SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ ભાવાર્થ-આચાર્ય, ઉપાધ્યાય, ૧સ્થવિર, તપસ્વી, ગ્લાન (રોગી), નવદીક્ષિત શિષ્ય, સાધર્મિક, કુળ, વૈગણ અને સંઘ એ દશના સંબંધમાં જે વૈયાવચ્ચ કરવી તે દશ પ્રકાર જાણવા.’’ આ પ્રમાણે સાંભળીને વિપુલમતિ નિરંતર વૈયાવૃત્ય કરવામાં તત્પર થઈ. અનુક્રમે મૃત્યુ પામીને સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવી થોડા કાળમાં સિદ્ધિસુખને પામશે. “આ અત્યંતર તપનું નિરંતર આરાધન કરનાર પ્રાણી આહાર કરતાં છતાં પણ તપનું ફળ પામે છે. આ તપનું ફળ પ્રત્યક્ષ જોઈને વિપુલમતિએ તે તપ સ્વીકાર્યું અને તેથી ધ્રુવ (મોક્ષ) પદને પામી.’” ૪૨ વ્યાખ્યાન ૨૯૫ તપાચારનો દશમો ભેદ–સ્વાધ્યાય હવે દશમા તપાચાર વિષે કહે છે– स्वाध्यायः पंचधा प्रोक्तो, महतीनिर्जराकरः । तपोपूर्त्तिरनेन स्यात्, सर्वोत्कृष्टस्ततोऽर्हता ॥ १ ॥ ભાવાર્થ-સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે, તે કર્મની મોટી નિર્જરાના કરનારા છે. એના વડે તપની પૂર્ણતા થાય છે, માટે જ અરિહંતે તે સ્વાધ્યાય તપને સર્વોત્કૃષ્ટ તપ કહેલું છે.’’ સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે તેમાં (૧) પહેલો પ્રકાર વાચના છે. વાચના એટલે સૂત્ર તથા અર્થનો અભ્યાસ કરવો અને કરાવવો તે. તે પ્રકાર વજસ્વામી અને ભદ્રબાહુ સ્વામી વગેરેની જેમ નિરંતર કરવો. (૨) બીજો પૃચ્છના સ્વાઘ્યાય છે. સૂત્ર તથા અર્થ સંબંધી સંદેહ દૂ૨ ક૨વા માટે અને તેને હૃદયમાં દૃઢ કરવા માટે બીજા વિશેષ જ્ઞાતાને પૂછવું તે પૃચ્છના કહેવાય છે. તે પૃચ્છના ચિલાતીપુત્ર, મહાબલનો જીવ, સુદર્શન શેઠ અને હરિભદ્ર બ્રાહ્મણ વગેરેની જેમ અવશ્ય કરવી. (૩) ત્રીજો પરાવર્તના નામનો સ્વાધ્યાય છે. ભણી ગયેલા સૂત્રાદિક વીસરી ન જવાય માટે તેનું વારંવાર ગણવુંઆવૃત્તિ કરવી તે પરાવર્તના કહેવાય છે. તે અતિમુક્તક તથા ક્ષુલ્લક ઋષિની જેમ કરવું, તથા વણકરની જેમ વિસ્તારવું. કોઈ એક વણકર પાંજણી પાતાં તે તંતુઓના પ્રાંત ભાગને પકડીને બન્ને છેડે ઊભી રહેલી પોતાની બે સ્ત્રીઓ પાસે જ્યારે જ્યારે જતો ત્યારે ત્યારે કુચમર્દન તથા અધરચુંબનાદિ કરતો હતો. તેની આ પ્રમાણેની ચેષ્ટા માર્ગે જતા કોઈ મુનિએ જોઈ, એટલે તે ઊભા રહ્યા. તે વખતે વણકરે મુનિને કહ્યું કે,“હે સાધુ! તમે શું જુઓ છો? આવું સુખ તમે ક્યાંય જોયું છે? તમારે તો સ્વપ્રમાં પણ આવું સુખ ક્યાંથી હોય?' આ પ્રમાણે અભિમાનવાળું તેનું વચન સાંભળીને મુનિએ અવધિજ્ઞાનનો ઉપયોગ દીધો. તેથી તે વણકરનું માત્ર એક ક્ષણનું જ આયુષ્ય બાકી રહેલું જોઈને તેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે,‘“હે ભદ્ર! કેટલી વખત જીવવા માટે આવી કામચેષ્ટા કરે છે? તારું આયુષ્ય તો હમણાં જ પૂર્ણ થવાનું છે.'' તે સાંભળીને વણકર ભય પામીને બોલ્યો કે,‘‘ત્યારે તમે મને કાંઈ પણ જીવવાનો ઉપાય કહો.'' પછી મુનિએ તેને નવકાર મંત્ર આપ્યો. તે મંત્રને એક વાર ગણીને તેનું પરાવર્તન કરતો તે મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. પોતાના પતિનું અકસ્માત્ મૃત્યુ ૧. વૃદ્ધ મુનિ, ૨. એક સૂરિનો પિરવાર ૩. ઘણા આચાર્યોનો પરિવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy