SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ जह लंघहणिअरस्स, रोगिणो ओसहं गुणाय भवे । आलोयणा विसुद्धस्स, धम्मकम्मं तहा सयलं ॥२॥ [સ્તંભ ૨૦ ભાવાર્થ-જેમ શુદ્ધ કરેલી ભીંત ઉપર ચીતરેલું ચિત્ર રમણીય લાગે છે, તેવી જ રીતે અતિચાર રહિત શુદ્ધ જીવને વિષે રહેલું સમકિત અઘિક ગુણકારી થાય છે. જેમ લંધન કરેલા રોગીને ઔષધ ગુણકારી થાય છે, તેમ આલોયણા રૂપી લંઘનથી વિશુદ્ધ થયેલા જીવને સર્વ ધર્મકાર્ય ગુણકારી થાય છે. તે સાંભળીને રોહિણીએ સર્વ પાપની આલોચના લીઘી, પણ પેલા દૃષ્ટિવિકા૨ની આલોચના લીધી નહીં. ત્યારે ગુરુ બોલ્યા કે,“હે મહા અનુભાવવાળી! તે દિવસે હું તારે ઘેર આહાર લેવા આવ્યો હતો, તે વખતે મેં તારો દૃષ્ટિવિકાર સાક્ષાત્ જોયો હતો, તેની આલોચના કેમ કરતી નથી?’’ રોહિણીએ જવાબ આપ્યો કે,‘તે વણિકપુત્રની સામે મેં માત્ર સહજ જ જોયું હતું; રાગથી જોયું નહોતું.' તે સાંભળીને ગુરુએ તેને લક્ષ્મણા આર્યાનું દૃષ્ટાંત આપીને ઘણું સમજાવી તોપણ તેણે માન્યું નહીં, અને કહેવા લાગી કે,‘વારંવાર કહીને ખોટું દૂષણ શા માટે આપો છો? જો આપને ખોટું દૂષણ આપવું જ હોય તો મારે ચારિત્ર જ લેવું નથી.’’ એમ બોલીને સમ્યક્ત્વ ગ્રહણ કરેલી તે ગુરુ ઉપર દ્વેષ કરીને પોતાને ઘેર ચાલી ગઈ. પછી પ્રતિસમયે ઊભરાતા દ્વેષથી તે નિરંતર ગુરુની નિંદા કરવા લાગી. અનુક્રમે તેવા જ દુર્ધ્યાનમાં મૃત્યુ પામીને તે કૂતરી થઈ. ઋતુ વખતે તેના ગુહ્યસ્થાનમાં અનેક કૃમિ ઉત્પન્ન થયા, તેથી વ્યથાથી મરણ પામીને તે સર્પિણી થઈ. ત્યાં દાવાનળથી બળી મરીને નરકે ગઈ. ત્યાંથી નીકળીને વાઘણ થઈ, ત્યાં પારઘિના બાણથી મૃત્યુ પામીને પાછી નરકે ગઈ. ઇત્યાદિ તિર્યંચ તથા નરકમાં અસંખ્ય વાર ઉત્પન્ન થઈને અત્યંત દુઃસહ દુઃખો પામી. પછી મનુષ્યપણામાં ઘણી વાર સ્ત્રીપણું પામીને દુર્ભાગ્ય, દારિદ્રય, વ્યાધિ, શોક, પતિવિયોગ વગેરે અનેક પ્રકારનાં દુઃખો ભોગવીને અસંખ્ય કાળે ઘન્ય નામના પુરમાં ગોવર્ધન શેઠની ઘની નામે પુત્રી થઈ. તે યુવાવસ્થા પામી એટલે તેને નગરશેઠના પુત્રે જોઈ, અને તેના સ્વરૂપથી મોહિત થઈ તેની માગણી કરીને તે તેને પરણ્યો. પછી શયનગૃહમાં સૂવા ગયો. તે વખતે તેના અંગનો સ્પર્શ થતાં જ તેને એવો તાપ લાગ્યો કે જાણે જાજ્વલ્યમાન અગ્નિના તાપમાં પડ્યો હોય. આવો તાપ સહન નહીં થવાથી તે રાત્રિમાં જ જતો રહ્યો. પ્રાતઃકાળે પુત્રીને રુદન કરતી જોઈને તેના પિતાએ તેને ઘીરજ આપી. પછી પોતાના ઘરના ગોવાળને ઘરજમાઈ કરીને તેની સાથે પરણાવી. તે ગોવાળ પણ તેના સ્પર્શથી તાપ પામીને તેને મૂકીને નાસી ગયો. પછી શોકાતુર થયેલી પુત્રીને તેના પિતાએ કહ્યું કે,‘“હે પુત્રી! આપણા કુળને અયોગ્ય એવો તારો પુનર્વિવાહ પણ મેં કર્યો, તોપણ તારા પૂર્વકર્મના પ્રભાવથી દુર્ભાગ્ય જ આગળનું આગળ આવીને ઊભું રહે છે. હવે તું દાનાદિક ધર્મક્રિયામાં તત્પર થઈને મારા ઘરમાં જ રહે.” ઘનીએ તે વાત કબૂલ કરી, અને પિતાના કહેવા પ્રમાણે ધર્મક્રિયા કરવા લાગી. એકદા ત્યાં કોઈ સાધુઓ આવ્યા, તેમને વંદના કરીને ઘનીએ પૂછ્યું કે,‘હે ગુરુ! એવો કોઈ મંત્ર, જંત્ર કે તંત્ર છે કે જેથી મને સૌભાગ્યની પ્રાપ્તિ થાય, અને હું યુવાન પુરુષને સ્પૃહા કરવા લાયક થાઉં?’’ મુનિએ જવાબ આપ્યો કે,“અમે કાંઈ જાણતા નથી, પણ પુષ્પાકર ઉદ્યાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy