SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૯૪]. તપાચારનો નવમો ભેદ-વૈયાવૃત્ય ૩૯ ભાવાર્થ-“જેને બુદ્ધિ છે તેને જ બળ છે, નિર્બદ્ધિને બળ ક્યાંથી હોય? વનમાં મદોન્મત્ત હાથીને બાંધેલો હતો તેને બુદ્ધિમાન ઉદરે મુક્ત કર્યો હતો.” (આ દ્રષ્ટાંત પંચતંત્રમાંથી જાણી લેવું.) પુત્રીનાં આવાં વચન સાંભળી જિનદત્તે ઘનમિત્રની સાથે તેને પરણાવી. વિવાહ થયા પછી ઘેર લઈ જઈને ઘનમિત્રે વિપુલમતિને પાણી વિનાના એક કૂવામાં નાંખી, અને તેને કહ્યું કે, “તને પુત્ર થાય ત્યાં સુધી કપાસ કાંતતી અને કાંગના ચોખા ખાતી એમાં રહેજે. હું દ્રવ્ય ઉપાર્જન કરવા માટે પરદેશ જાઉં છું.” એમ કહીને ઘનમિત્ર પરદેશ ગયો. પછી વિપુલમતિએ તે કૂવાથી પિતાના ઘર સુધી સુરંગ ખોદાવી અને તે રસ્તે તે પોતાના પિતાને ઘેર ગઈ. કૂવામાં પોતાને ઠેકાણે એક ચાકરને રાખ્યો. તે હમેશાં કાંગના ચોખા ગ્રહણ કરતો. કાંતવા આપેલો કપાસ પિતાને સોંપ્યો અને કંતાવી રાખવા કહ્યું. પછી “જ્યાં મારો પતિ છે, ત્યાં હું જાઉં છું.” એમ કહીને તે પતિવાળા ગામે ગઈ. ત્યાં વેશ્યાની વૃત્તિથી પતિને વશ કરી તેની સાથે ક્રીડા કરવા લાગી. અનુક્રમે તેનાથી પત્ર થયો. પછી પતિની પહેલાં જ તે પોતાને ઘેર આવી અને કૂવામાં રહી. કેટલેક દિવસે ઘનમિત્ર ઘેર આવ્યો, ત્યારે તેને તેના આમજનોએ કહ્યું કે, “તારી સ્ત્રીને કૂવામાંથી બહાર કાઢ.” ઘનમિત્રે તેને બહાર કાઢી તો સૂત્ર અને પુત્ર સહિત તે બહાર નીકળી. ઘનમિત્રે તેને ઓળખી એટલે તે આશ્ચર્ય પામ્યો. પછી તેણે વિપુલમતિને ઘરની સ્વામિની કરી. લોકમાં વિપુલમતિની ઘણી પ્રતિષ્ઠા થઈ. એકદા તે નગરીમાં ભવદેવ નામના સૂરિ આવ્યા. ઘનદત્ત સ્ત્રી સહિત તેમને વાંચવા માટે ગયો. ગુરુને વાંદીને તેણે પૂછ્યું કે, “હે સ્વામી! આ મારી સ્ત્રીએ પૂર્વ ભવમાં શું પુણ્ય ઉપાર્જન કર્યું છે કે જેના પ્રસાદથી તેને આવી તીક્ષ્ણ બુદ્ધિ પ્રાપ્ત થઈ છે?” ગુરુ બોલ્યા કે, “હે મહાભાગ્યવાનું! કુસુમપુર નામના નગરમાં ભાનુદેવને રોહિણી નામે બાળવિઘવા પુત્રી હતી. એકદા તેને ઘેર પરગામથી કોઈ ગૃહસ્થ વણિકનો પુત્ર આવ્યો. તેને જોઈને રોહિણીને કામવિકાર ઉત્પન્ન થયો, તેથી તેણે તેના સામું કટાક્ષપૂર્વક ચપળ દ્રષ્ટિથી જોયું. તે વખતે આહાર લેવા આવેલા શીલસાર મુનિ તે સમજી ગયા. કહ્યું છે કે जइविन सइन संपज्जइ, न हु अझाएइ हिअयमज्झंमि । मयणाउरस्स दिठ्ठी, लक्खिजइ तहवि लोएण ॥१॥ ભાવાર્થ-જો કે પોતાને સ્ત્રી નથી, સ્ત્રીની ઇચ્છા નથી, તેને હૃદયમાં ધ્યાતા નથી, તો પણ બુદ્ધિમાન મુનિ જોવા માત્રથી મદનાતુરની દ્રષ્ટિને સમજી શકે છે. પછી અહો! કામદેવનો પ્રચાર અતિ દુર્જય છે” એમ વિચારતાં તે મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. તે શીલસાર મુનિ અનુક્રમે સમગ્ર સૂત્ર અર્થનો અભ્યાસ કરી ગીતાર્થ થયા. તેથી ગુરુએ તેને આચાર્યપદે સ્થાપન કર્યા. અનુક્રમે વિહાર કરતાં એકદા ભવ્ય જીવોને પ્રતિબોઘ કરવા માટે તે કુસુમપુરે પઘાર્યા, ત્યાં દેશના આપી. તે સાંભળીને રોહિણી પ્રતિબોઘ પામી અને દીક્ષા લેવા તૈયાર થઈ. દીક્ષા લેવાને સમયે ગુરુએ કહ્યું કે जहा सुविसुद्धे कुडे, लिहिअ चित्तं विहाइ रमणिज्जं । तह अणइयार जीवे, समत्तं गुणकरं होइ॥१॥ ૧. ઘનમિત્રે કહેલી હકીકતની જિનદત્તને ખબર પડ્યા પછી કોઈ માણસ દ્વારા વિપુલમતિએ કહેવરાવેલી યુક્તિ પ્રમાણે આ સુરંગ ખોદાવી. ૨. સૂત્ર એટલે કાતેલું સૂતર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy