SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ 39 શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ પ્રાપ્ત થાય છે. તું તો શુભ અને અશુભ પુદ્ગલોને જોઈને રાગ અને વિરાગ ઘારણ કરે છે, માટે હમણાં તો તારો વિશ્વાસ જ્ઞાનીના વચનથી આવશે, તે વિના આવશે નહીં.’’ અર્હન્નક વિચારવા લાગ્યો કે,“ખરેખર મારી માતાનો રાગ મારા પર અત્યંત છે.’’ પછી માતાની પરીક્ષા કરવા માટે તે બોલ્યો કે,‘હે માતા ! હમણાં થોડા દિવસના મારા વિરહથી તમે આવી દુઃખી અવસ્થા પામ્યા, તો અનશનથી તો મારા શરીરનો સર્વથા નાશ થશે, તે વ્યથા તમે શી રીતે સહન કરશો?'' ભદ્રા બોલી, “હે પુત્ર! તું સત્ય કહે છે, પરંતુ એક વાત કહું તે સાંભળ. તારા વિરહથી દુઃખ પામીને મેં વિચાર્યું હતું કે, મારો પુત્ર ઘર્મ કર્યા વિના ઇન્દ્રાદિકને પણ દુર્લભ એવા સંયમરૂપી રત્નનો તૃણની માફક ત્યાગ કરશે તો સંસારમાં મહા દુઃખો પામશે; તેથી તેને હું તત્કાળ બોઘ કરું.’’ તે સાંભળીને અર્હન્નક બોલ્યો કે,“હે માતા! તમે આ લોકમાં અને પરલોકમાં બન્નેમાં સુખદાયી થયા છો, વધારે શું કહું? તમે મારો સમ્યક્ પ્રકારે ઉદ્ધાર કર્યો છે. પ્રથમ તમે મને જન્મ આપનાર થયા, અને પછી અનંત જન્મનો નાશ કરનાર ધર્મ આપનાર થયા.’’ ઇત્યાદિ માતાની સ્તુતિ કરીને ગુરુ પાસે જઈ તેણે ફરીથી ચારિત્ર લીધું. પછી જ્ઞાનીના વચનથી વિશ્વાસ પામીને માતાએ આજ્ઞા આપી એટલે તેણે સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કરીને, પોતાના દુરિતની નિન્દા કરીને, સર્વ પ્રાણીઓને ખમાવીને, સૂર્યનાં કિરણોથી તપેલી બાહ્ય વનની શિલા ઉપર બેસીને, ચાર શરણ અંગીકાર કરી પાદપોપગમન અનશન ગ્રહણ કર્યું. પછી અતિ દારુણ ઉષ્ણ વેદનાને સમ્યક્ પ્રકારે સહન કરતાં તે અર્હન્નક મુનિ શરીરે અતિ કોમળ હોવાથી માખણના પિંડની જેમ એક મુહૂર્તમાત્રમાં જ ગળી જઈ તત્કાળ સ્વર્ગસુખને પામ્યા. ‘‘ચંદ્રમુખી સ્ત્રીના સ્નેહપાશમાં બંધાયા છતાં પણ અન્નકે પોતાની માતાને જોઈને વિનય તજ્યો નહીં, અને તેથી જ તે ફરીને પોતાના દુષ્કૃતનો ત્યાગ કરી સ્વર્ગનું સુખ પામ્યા.’’ વ્યાખ્યાન ૨૪ તપાચારનો નવમો ભેદ–વૈયાવૃત્ત્વ હવે નવમા વૈયાવૃત્ય નામના તપ વિષે કહે છે— यथार्हं तत्प्रतीकारो, व्याधिपरीषहादिषु । वैयावृत्त्यं तदुद्भाव्यं, विश्रामणाशनादिभिः ॥ १ ॥ ભાવાર્થ-વ્યાધિ અને પરીષહાદિકમાં જેમ ઘટે તેમ તેનો પ્રતીકાર (ઉપાય) કરવો, અને વિશ્રામણા તથા અનશનાદિકે કરીને વૈયાવૃત્ય કરવું.’ વિશેષાર્થ—વિશ્રામણા એટલે ગ્લાન મુનિને અથવા માર્ગમાં અટન કરવાથી શ્રમિત થયેલા મુનિને નિવૃત્તિ માટે તેનાં હાથ, પગ, પૃષ્ઠ, જાંઘ વગેરે અવયવોને હાથની મુષ્ટિથી દબાવવાં તે. તે વિશ્રામણા ગુરુ વગેરેની અવશ્ય નિરંતર કરવી જોઈએ. અશન એટલે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે આપીને શક્તિ પ્રમાણે અનુકૂળ વર્તન કરવું તે. આ વિશ્રામણા કરવા વડે અને અશનાદિક આપવા વડે વૈયાવૃત્ય કરી કહેવાય છે. આવું વૈયાવૃત્ય સર્વને અવશ્ય કરવા લાયક છે. આ વિષય ઉપર ઘણાં દૃષ્ટાંતો છે. તેમાં ભરતચક્રી તથા બાહુબલીએ પોતાના પૂર્વભવમાં હમેશાં પાંચસો સાધુઓને For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy