SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૯૩] વિનય ૩૫ ભવસાગરમાં નાંખ્યો, એટલું જ નહીં પણ આ મારી માતાના મહાવ્રતનો લોપ થવામાં પણ હું જ સહાયભૂત થયો. અહો! પરંપરાથી મારા પાપમાં કેટલી બધી વૃદ્ધિ થઈ? આ ચંદ્રવદના સ્ત્રીએ પ્રારંભમાં મિષ્ટ લાગે તેવું બહારથી સુંદર પણ પરિણામે અનન્ત દુઃખ આપનાર હાવભાવાદિ રૂપ વિષનું મને પાન કરાવ્યું. તેના લાવણ્યને, સુંદર વેષને અને નિપુણતાને ધિક્કાર છે! આની સર્વ ચતુરાઈ કેવળ નરકને જ આપનારી છે. તે ચેતન! હવે તારે માટે બે માર્ગ છે. એક તો આ ચંદ્રમુખીએ બતાવેલો પાપ માર્ગ અને બીજો આ આર્યાએ બતાવેલો પુણ્ય માર્ગ, આ બે માર્ગમાંથી જે કલ્યાણકારી હોય તેનું તું આચરણ કર; પણ અત્યારે તો મારે મારી દુઃખી માતાના શોકનું ઉમૂલન કરવું યોગ્ય છે.' એમ વિચારીને અર્કન્નક એકદમ તે ઘરમાંથી બહાર નીકળ્યો. તેની પાછળ તે ચંદ્રમુખી પણ એકદમ આવીને વિરહના વિલાપ વગેરે અનેક પ્રકારના અનુકૂળ ઉપસર્ગ કરતી બોલી કે, “હે નિર્દય! હમણા તને સ્ત્રીહત્યાનું પાપ લાગશે. હે કઠોર! શા માટે મને વૃક્ષના શૃંગ ઉપરથી પાડી નાખે છે? શા માટે મને દુઃખરૂપી ચિતામાં હોમે છે? શા માટે માલતીના પુષ્પની માળા જેવી કોમળ, સુંદર અને અકુટિલ એવી મને તજે છે? મને રસીલી બનાવીને હવે વિરસ કેમ કરે છે!” આ પ્રમાણેનાં તેનાં વચનો સાંભળીને અર્કન્નક બોલ્યો કે, “હે પાપસમુદ્ર! ક્ષણિક સુખને માટે આવા ફોગટ વિલાપો શા માટે કરે છે? પહેલાં હું અજ્ઞાનગ્રસ્ત હતો, તેથી તે મને વિલાસમાં પાડી નાંખ્યો, અને મેં ત્રણ લોકને અદ્વિતીય શરણરૂપ પરમાત્માના ઘર્મને દૂષિત કર્યો. હવે અહીં રહેવું મને યોગ્ય નથી. આ મારી માતાને ઘન્ય છે કે જેણે મને વિવેકમાર્ગ દેખાડ્યો. સંસારમાં પડવાના માર્ગ બતાવનાર તો દુનિયામાં ઘણા દેખાય છે, પરંતુ ભવસાગરમાં પડેલાનો ઉદ્ધાર કરવામાં ને તેને પવિત્ર કરવામાં સમર્થ તો મારી માતા સમાન બીજું કોઈ નથી. હવે જીવિત પર્યન્ત ઇન્દ્રની અગ્રમહિષીનું સુખ મળે તો તેને પણ હું ઇચ્છતો નથી, તો પછી મનુષ્યજાતિની સ્ત્રીના સુખની ઇચ્છા તો કેમ જ કરું? મનવચનકાયાએ કરીને મેં સર્વ સંસારસુખનો ત્યાગ કર્યો છે.” ઇત્યાદિ કહીને પછી લગ્ન સહિત વિનયયુક્ત પોતાની માતાને નમીને તે બોલ્યો કે, “હે માતા! આ તમારા કુળમાં અંગારા જેવો અર્કન્નક તમને ગમે છે.” એમ કહીને નેત્રમાં અશ્રુ લાવીને તે માતાને નમ્યો. તેને જોઈને તે માતા સ્વસ્થ ચિત્તવાળી થઈ સતી હર્ષથી બોલી કે, “હે પુત્ર! આટલા દિવસ તું ક્યાં રહ્યો હતો?” ત્યારે અર્કન્નકે દંભરહિતપણે પૂર્વે અભ્યાસ કરેલા પ્રશસ્ત ઘર્મરાગથી અનંતગણા શુભ વૈરાગ્યયુક્ત અધ્યવસાયવાળા થઈને પોતાનું સર્વ વૃત્તાન્ત યથાર્થ કહી આપ્યું.” તે સાંભળીને માતા બોલી કે, “હે વત્સ! હવે તું ફરીથી ચારિત્ર ગ્રહણ કર.” તે બોલ્યો કે, “હે માતા! હમેશાં સંયમક્રિયાનું પાલન કરવું અને દુષ્કર લાગે છે. નિરંતર સુડતાળીશ દોષ રહિત આહાર ગ્રહણ કરવો, એક નિમેષ માત્ર પણ પ્રમાદ કરવો નહીં, “રેમિ ભંતે”ના ઉચ્ચાર સમયથી આરંભીને પ્રાણાંત સમય સુધી અતિચાર રહિત ચારિત્રનું પાલન કરવું. ઇત્યાદિ સાધુની સમગ્ર ક્રિયા નિરંતર કરવા હું શક્તિમાન નથી. હું મહા પાપી છું, તેથી વ્રતનું પાલન કરી શકીશ નહીં, તેથી હે માતા!! જો તમારી આજ્ઞા હોય તો હું અનશન ગ્રહણ કરું.” તે સાંભળીને ભદ્રા સાધ્વી હર્ષ પામતી સતી બોલી કે, “હે ભદ્ર! આ સમયે અનશન પણ તારે માટે યોગ્ય છે; અનંત ભવભ્રમણ કરવામાં નિમિત્તરૂપ વ્રતભંગ યોગ્ય નથી, પરંતુ તે આવા સ્વલ્પ માત્ર પંચ મહાવ્રતનું પાલન કરવામાં ઉદ્વેગ પામે છે, તો અનશન પાળવું તે તો મહા દુષ્કર છે. યોગ્ય માણસને જ તે અનશન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy