SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૦ અનાયાસે પ્રાપ્ત થયું છે, માટે આટલા દિવસ પાલન કરેલા વ્રતનું આ ફળ પ્રાપ્ત થયું છે એમ જાણો. વળી ___ कुरूपदुःस्थविरकर्कशांगजनोचिताम् । इमां कष्टक्रियां मुंच, मुधा स्वं वंचयस्व मा ॥१॥ ભાવાર્થ-કુરૂપ, દુઃખી, વૃદ્ધ અને કઠોર અંગવાળા જનોને યોગ્ય એવી આ કષ્ટકારી ક્રિયાને મૂકી દો; ફોકટ તમારા આત્માને છેતરો નહીં. વળી આપણા બેઉનું રૂપ અને શરીર અન્યોન્યના સંગમથી આજે સફળપણાને પામો. જો કદાચ તમને દીક્ષામાં અત્યંત આગ્રહ જ હોય તો ભોગ ભોગવીને પછી વૃદ્ધાવસ્થામાં ફરીથી દીક્ષા ગ્રહણ કરજો.” આ પ્રમાણેનાં તેનાં વચનો સાંભળીને તથા તેના હાવભાવ જોઈને અહંન્નકનું મન વ્રત ઉપરથી ભગ્ન થઈ ગયું. કહ્યું છે કે दृष्टाश्चित्रेऽपि चेतांसि, हरन्ति हरिणीदृशः । किं पुनस्ताः स्मितस्मेरविभ्रमभ्रमितेक्षणाः॥१॥ ભાવાર્થ-“મૃગલીના સરખા નેત્રવાળી સ્ત્રીઓ માત્ર ચિત્રમાં જોઈ હોય તો પણ તે ચિત્તનું હરણ કરે છે, તો પછી હાસ્યથી પ્રફુલ્લિત અને વિલાસથી ભ્રમિત એવાં નેત્રોવાળી સ્ત્રીઓને સાક્ષાત્ જોવાથી ચિત્તનું હરણ થાય તેમાં શું કહેવું?” પછી તેનું વચન અંગીકાર કરીને અહંન્નક તેના જ ઘરમાં રહ્યો, અને અત્યંત આસક્ત થયેલી. તે સ્ત્રીની સાથે સ્વેચ્છાપૂર્વક કામક્રીડા કરવા લાગ્યો. - અહીં સર્વે સાધુઓ ગોચરી લઈને ઉપાશ્રયે આવ્યા, અહંન્નકને જોયો નહીં, તેથી તેમણે તેની શોઘ આખા શહેરમાં કરી પણ કોઈ ઠેકાણે તેનો પત્તો લાગ્યો નહીં, તેથી તેઓએ તે વૃત્તાંત તેની માતા કે જે સાધ્વી થયેલી હતી તેને કહ્યો. તે સાંભળીને સાધ્વી પુત્રપરના અતિ રાગાંઘપણાથી પુત્રશોકવડે જાણે તેના શરીરમાં ભૂત પેઠું હોય તેમ બેભાન જેવી અને ઉન્મત્ત જેવી થઈ ગઈ, અને “હે અહંન્નક! હે અહંન્નક!” એમ ઊંચે સ્વરે ગદ્ગદ કંઠે વિલાપ કરતી શહેરના સર્વ ચૌટા અને શેરીઓમાં ભમવા લાગી. મોહથી ઘેલી બનેલી તે પગલે પગલે અલના પામતી નયનમાંથી પડતા આંસુની ઘારાથી માર્ગની ધૂળને આર્ટ્સ કરતી અને જે કોઈ સામું મળે તેને “મારા પ્રાણથી પણ પ્રિય પુત્ર અહંન્નકને તમે ક્યાંય પણ જોયો છે?” એમ વારંવાર પૂછતી તે આખા નગરમાં અટન કરવા લાગી. તેની આવી ઉન્મત્ત અવસ્થા જોઈને સજ્જન પુરુષોને અનુકંપા આવતી હતી અને દુર્જનો તેની મશ્કરી કરતા હતા. એકદા મહેલની બારીમાં બેઠેલા અહંન્નકે તેને દીઠી. તેની તેવી ઉન્મત્ત સ્થિતિ જોઈ તેને ઓળખીને અહંન્નક વિચાર કરવા લાગ્યો કે, “અહો! મારું કેવું અવિનયપણું! અહો! મેં કેવું દુષ્કર્મ કર્યું! ક્ષણિક સુખને માટે મેં આ સ્ત્રીનાં વચનથી મુક્તિના સુખને આપનારા વ્રતનો ત્યાગ કર્યો, અને આવા દુસહ કષ્ટમાં મારી માતાને નાંખી. લૌકિક શાસ્ત્રમાં અડસઠ તીર્થો કરતાં પણ માતાના વિનયનું ફળ અત્યંત કહેલું છે. તેમાં પણ આ મારી માતા તો જૈનધર્મજ્ઞ હોવાથી અને ચારિત્ર અંગીકાર કરેલી હોવાથી વિશેષ કરીને પૂજ્ય છે. હા! હા! ચારિત્રનો ભંગ કરીને મેં મારા આત્માને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy