SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૯૪] તપાચારનો નવમો ભેદ–વૈયાવૃત્ય ૩૭ અન્ન પાણી લાવી આપવાનો તથા વિશ્રામણા કરવાનો અભિગ્રહ લીધો હતો, તેનાં તથા વસુદેવના જીવ નંદિષેણ મહર્ષિએ રોગી સાધુનું વૈયાવૃત્ય કરવાનો અભિગ્રહ લીધો હતો તેનાં દ્રષ્ટાંત જાણવાં, તથા પરિષહ ઉપસર્ગ થાય ત્યારે તેનો પ્રતિકાર અવશ્ય કરવો. તે ઉપર હરિકેશી મુનિનું વૈયાવૃત્ય કરનાર તિંદુક નામના યક્ષનું દ્રષ્ટાંત છે, તે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રથી જાણી લેવું. આ વૈયાવૃત્યનું ફળ સૂત્રમાં વિશેષ અઘિક વર્ણવ્યું છે, તે આ પ્રમાણે“वेयावच्चेण भंते जीवे किं जणइ? गोयमा ! निच्चगोयं कम्मं न बंधई" वेयावच्चं निययं करेह, उत्तमगुणे धरंताणं । सव्वं किर पडिवाई, वेयावच्चं अपडिवाइ॥१॥ पडिभग्गस्स मयस्स व, नासइ चरणं सुअं अगुणणाए । न हु वेयावच्चं चिअ, असुहोदय नासए कम्मं ॥२॥ ભાવાર્થ-ગૌતમ સ્વામી પૂછે છે કે, “હે ભગવન્! વૈયાવૃત્ય કરવાથી જીવને શું ઉત્પન્ન થાય?” પ્રભુ કહે છે કે, “હે ગૌતમ! વૈયાવચ્ચ કરનાર નીચ ગોત્ર કર્મ બાંધે નહીં.” વળી નિરંતર વૈયાવૃત્ય કરવું જોઈએ. જો કે બીજા ઉત્તમ ગુણો કોઈ ઘારણ કરે, પણ તે સર્વ ગુણો કોઈ વાર પ્રતિપાતી થાય છે (ભ્રષ્ટ થાય છે); પણ વૈયાવૃત્ય ગુણ અપ્રતિપાતી છે, તે ગુણથી પ્રાણી ભ્રષ્ટ થતો નથી. (૧) મદે કરીને ભ્રષ્ટ થયેલા માણસનું ચારિત્ર નષ્ટ થાય છે, અને આવૃત્તિ વિના (વારંવાર સંભાર્યા વિના) શ્રત નષ્ટ થાય છે. પણ વૈયાવૃત્ય ગુણ કદાપિ નાશ પામતો નથી, અને અશુભોદયવાળા કર્મનો નાશ કરે છે.(૨) આ વૈયાવૃત્ય કરવાનું તથા ન કરવાનું ફળ વિપુલમતિના દ્રષ્ટાંતથી જાણવું. કહ્યું છે કે गुरुभत्ति अकुणंतो, कुगइ जीवा लहंति पूणरवि । तं च कुणंतो सुगइ, विउलमइ इत्थ दिटुंतो ॥१॥ ભાવાર્થ-“ગુરુની ભક્તિ નહીં કરવાથી જીવો કુગતિને પામે છે અને પાછા ગુરુભક્તિ કરવાથી સારી ગતિને પામે છે, તે ઉપર વિપુલમતિનું દ્રષ્ટાંત છે.” તે આ પ્રમાણે વિપુલમતિની કથા વિરાટ દેશમાં વિજયપુરી નામે નગરી છે. તેમાં શ્રીડ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાનો બહુ માનીતો જિનદત્ત નામે શ્રેષ્ઠી પરમ શ્રાવક હતો. તે શ્રેષ્ઠીને બુદ્ધિવાળી વિપુલમતિ નામે પુત્રી હતી. તે જ નગરીમાં ઘનમિત્ર નામે એક શ્રાવક રહેતો હતો, તે જિનદત્તનો મિત્ર હતો. તે બન્ને મિત્રો જૈનઘર્મ પાળતા હતા. એકદા શિયાળાની ઋતુ આવી. શીતઋતુનું વર્ણન કોઈ કવિએ ભોજરાજાની પાસે કર્યું છે કે शीते त्राणपटी न चास्ति शकटी भूमौ च घृष्टा कटी, निर्वाता न कुटी न तंडुलपुटी तुष्टिर्न चैका घटी । वृत्ति रभटी प्रिया न गुमटी तनाथ मे संकटी, श्रीमन् भोज तव प्रसादकरटी भक्ता ममापत्तटी ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy