SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૦ વ્યાખ્યાન ૨૯૪ વિનય પુનઃ વિનયનું જ વર્ણન કરે છે बाह्याभ्यन्तरभेदाभ्यां, द्विविधो विनयः स्मृतः । तदेकैकोऽपि द्विभेदो, लोकलोकोत्तरात्मकः॥१॥ ભાવાર્થ-“બાહ્ય તથા અભ્યત્તર ભેદવડે વિનય બે પ્રકારનો કહેલો છે. તે બાહ્ય તથા અભ્યત્તરના પણ લોક અને લોકોત્તર એવા બે બે ભેદ છે.” વિશેષાર્થ–વંદન કરવું, વચનથી સ્તુતિ કરવી, ઊભા થવું, સન્મુખ જવું, એ વગેરે બાહ્ય વિનય કહેવાય છે અને અન્તઃકરણથી વંદનાદિક કરવું, તે અભ્યત્તર વિનય કહેવાય છે. આ બે પ્રકારના વિનયના ચાર ભાંગા થઈ શકે છે. તે આ પ્રમાણે-(૧) કોઈ પ્રાણી માત્ર બાહ્ય વિનય દેખાડે છે, પણ અત્યંતર વિનય હોતો નથી. શીતળાચાર્યની જેમ. (૨) કોઈ પ્રાણી અત્યંતર વિનય કરે છે, પણ બાહ્ય વિનય કરતો નથી, સાતમા દેવલોકના દેવતાની જેમ. તે વિષે પાંચમા અંગમાં કહ્યું છે કે–સાતમા દેવલોકના દેવોએ શ્રી મહાવીરસ્વામીને ભાવથી વંદન કરીને મનવડે જ પ્રશ્ન કર્યો, તેથી પ્રભુએ પણ “મારા સાતસો શિષ્યો મોક્ષ પામશે” એવો ઉત્તર આપ્યો. તે વખતે સંદેહ ઉત્પન્ન થવાથી ગૌતમ વગેરે મુનિઓએ સ્વામીને પૂછ્યું કે, “હે ભગવન્! આ દેવોએ બાહ્ય વિનય કેમ ન કર્યો?” ત્યારે પ્રભુએ આન્તર ભક્તિથી પૂછેલા પ્રશ્નાદિકનું સર્વ વૃત્તાન્ત કહ્યું, તે સાંભળીને તેઓ વિસ્મય પામ્યા. (૩) કોઈ પ્રાણી અતિમુક્તક ઋષિની જેમ બન્ને પ્રકારનો વિનય કરે છે. (૪) કોઈ પ્રાણી ગોષ્ઠામાહિલ અને મંખલીપુત્ર વગેરેની જેમ બેમાંથી એક પ્રકારનો વિનય કરતા નથી. આ બન્ને પ્રકારના વિનય લૌકિક તથા લોકોત્તર ભેદે કરીને બે બે પ્રકારના છે. તેમાં પિતા વગેરેને વિષે બાહ્ય વિનય કરવો તે લૌકિક બાહ્ય વિનય કહેવાય છે, અને તે પિતા વગેરેને વિષે આંતર પ્રીતિથી વંદન, અભ્યસ્થાનાદિક કરવા, તે લૌકિક અભ્યત્તર વિનય કહેવાય છે. લોકોત્તર એવા જૈન માર્ગમાં રહેલા આચાર્યાદિકનો અભ્યસ્થાનાદિક બાહ્ય વિનય કરવો, તે લોકોત્તર બાહ્ય વિનય કહેવાય છે, તથા તે આચાર્યાદિકનું અંતરંગ પ્રીતિથી વિધિવંદનાદિક વડે ધ્યાન કરવું તે લોકોત્તર અત્યંતર વિનય કહેવાય છે. બીજા સર્વ ગુણોથી ભ્રષ્ટ થયા છતાં પણ જો વિનયવાળો હોય તો તે ઘર્મ પામી શકે છે. કહ્યું છે કે अन्यैर्गुणैः प्रभ्रष्टोऽपि, यद्यस्ति विनयो दृढः । भूयो गुणानवाप्रोति, अर्हन्नकनिदर्शनम् ॥१॥ ભાવાર્થ-બીજા ગુણોથી ભ્રષ્ટ થયા છતાં પણ જો વિનય ગુણ દ્રઢ રહ્યો હોય તો તે ફરીથી પણ અર્કન્નકની જેમ ગુણને પામે છે.” અહેજક મુનિનું દ્રષ્ટાંત તગરા નામની નગરીમાં દત્ત નામે શ્રાવક રહેતો હતો. તેને ભદ્રા નામની પત્ની સાથે પાંચ ઇન્દ્રિય સંબંધી સુખ ભોગવતાં અર્વક નામનો પુત્ર થયો. એકદા અર્હન્મિત્ર નામના સૂરિ પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy