SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૯૨] તપાચારનો આઠમો ભેદ–વિનય ૩૧ પંચામ્ય નામના મજૂર પાસેથી આ પ્રમાણેની હકીકત સાંભળીને રાજા બોલ્યો કે,‘‘હે પંચાખ્ય! તું મહા પરાક્રમી છે. આટલો પાંચ કળશીનો મોટો ભાર વહન કરે છે, મહાકષ્ટનો અનુભવ કરે છે, છતાં તેં પંચમહાવ્રતનો ત્યાગ શા માટે કર્યો? કેમકે તેમાં કાંઈ ભાર નથી. આ વ્રત તો સુખેથી નિર્વાહ થઈ શકે તેવાં છે, મને તો તેમાં કાંઈ પણ દુષ્કર જણાતું નથી.'' તે સાંભળીને પંચાખ્ય બોલ્યો કે, “હે સ્વામી! આપે ઘણી વાર ઇન્દ્રિયોને યોગ્ય એવા વિષયો ભોગવ્યા છે, હવે આપના પુત્રને રાજ્ય સોંપીને મુનિને યોગ્ય એવું સંયમ એક જ દિવસને માટે અંગીકાર કરો, અને તેને યોગ્ય ક્રિયાનુષ્ઠાન કરો.’’ આ પ્રમાણેનાં પંચાખ્યના વચનથી તે અભિમાની રાજા વ્રતને માટે ઉદ્યમી થયો. તે વાત જાણીને તેની રાણીઓ બોલી કે,“હે પ્રાણનાથ! અમે તમારું પડખું એક ક્ષણ પણ છોડીશું નહીં, તમારા વિના અમે કોઈ પણ વસ્તુથી રતિ પામીશું નહીં. વળી મનોહ૨-૨મણિક કામિનીના ભોગને યોગ્ય એવું આ તમારું શરીર અંત, પ્રાંત અને તુચ્છ આહારાદિક બાવીશ પ્રકારના પરીષહો સેવવાથી નાશ પામશે. તે વખતે પછી તમને નિરંતર પશ્ચાત્તાપ થશે; કેમકે દુઃખ ભોગવવું સહેલું નથી. હે નાથ! જો કે હમણાં તમે નિઃસ્પૃહ અને ત્રિકાળ પરવસ્તુને નહીં ઇચ્છનારા એવા મુનિના ગુણોનો તિરસ્કાર કરવા માટે અહંકારને લીધે આ કાર્ય કરવા ઇચ્છો છો, પણ તે યુક્ત નથી; કેમકે તે કાર્ય તો સમગ્ર પ્રકારના દર્પ, દંભ અને ગર્વથી રહિત એવા પુરુષો જ કરી શકે છે.’’ ઇત્યાદિ સાંભળીને રાજા બોલ્યો કે,‘અહો! આ અતિ દુષ્કર કાર્ય મેં અજ્ઞાનથી જ ચિંતવ્યું, કેમકે જ્યારે સર્વથા નિરાશાભાવ પ્રાપ્ત થાય છે, ત્યારે જ તે વ્રતને યોગ્ય સ્વભાવ (આત્મભાવ) પ્રગટ થાય છે.’ પછી રાજાએ તે ભારવાહક પંચાખ્યને કહ્યું કે,‘‘સમસ્ત પુદ્ગલની આશા રહિત એવું મુનિપણું અતૃપ્ત જીવોને એક દિવસ પણ ફરસી શકતું નથી.’’ પંચાખ્ય બોલ્યો કે,‘‘હે રાજા! તે મુનિએ યૌવન અવસ્થા છતાં પણ પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલું કાંચન, કામિની અને રાજ્યનું સુખ તૃણમાત્રની જેમ છોડી દઈને જીવન પર્યંત સંયમનો ભાર વહન કરવાનું સ્વીકાર્યું છે, અને તે જ પ્રમાણે તે છેલ્લા શ્વાસોચ્છ્વાસ સુધી પાલન કરશે. મેં પણ શ્રી મુમુક્ષુ (તીર્થંકર) પ્રણીત સ્યાદ્વાદયુક્ત આગમનાં વચનોને સાંભળીને મહાવ્રત ગ્રહણ કર્યા હતા, પરંતુ હું તો તેમાં નપુંસક બળદ જેવો થઈ ગયો. હાથીનો ભાર તો હાથી જ ઉપાડી શકે, ગઘેડો ઉપાડી શકે નહીં. વળી વિશ્વમાં આ સમગ્ર પૃથ્વી, સમુદ્ર, પર્વત અને વૃક્ષો વગેરેનો ભાર ઉપાડવામાં સમર્થ એવા કેટલાક પુરુષોને સાંભળીએ છીએ; પણ આ મહાવ્રતનો ભાર વહન કરવામાં તો તે ક્ષમાવાન મુનિ જ સમર્થ છે, એમ હું માનું છું; તે માટે જ હે રાજન! હું માર્ગમાં તેને વિનયથી નમ્યો છું, તથા તેની પ્રશંસા પણ તેટલા માટે જ કરી છે.’” આ પ્રમાણે પંચાખ્યનાં વચનો સાંભળીને રાજા વગેરે સર્વ જૈન મુનિનો વિનય કરવામાં તત્પર થયા, અને પંચાષ્યની આવી બુદ્ધિથી રંજિત થયેલા રાજાએ તેને પોતાનો હજૂ૨ સેવક કરીને રાખ્યો અને તેની પાસે નિરંતર ધર્મકથા શ્રવણ કરવા લાગ્યો. ', “આ ભારવાહકે જોકે દુ:ખે ઘારણ કરી શકાય તેવા ચારિત્રના ગુણોનો ત્યાગ કર્યો હતો, તોપણ તેણે રાજાદિકને ધર્મના રાગી કર્યા, તેનું કારણ એ કે સર્વ ગુણોના મોટા ભાઈ સમાન વિનયગુણને તેણે છોડ્યો નહોતો અને તે જ ગુણથી તે પરિણામે સર્વોત્તમપણું પામશે.’’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy