SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૦ લાગે છે. (૫) સરખા ઘર્મનું જે આચરણ કરે તે સાઘર્મિક કહેવાય છે, અર્થાત્ એક જ શાસનમાં વર્તનારા સંવેગી સાધુઓએ પ્રથમથી તે સ્થાન યાચનાપૂર્વક ગ્રહણ કરેલું હોય તે તેમની પાસેથી માસ વગેરે અવધિનું તથા પંચકોશાદિ ક્ષેત્રનું માન કરીને રહેવા માટે માગી લેવું, તેમની આજ્ઞાથી જ ઉપાશ્રય વગેરે સર્વ ગ્રહણ કરવું, નહીં તો અદત્તનો ભાંગો લાગે છે. હવે ચોથા બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે आहारगुत्ते अविभूसियप्पा, इत्थि न निज्झाय न संथवेजा । बुद्धे मुणी खुद्दकहं न कुज्जा, धम्माणुपेही बंभचेर संधए ॥४॥ ભાવાર્થ-આહારની ગુતિ કરે, પોતાના દેહને અવિભૂષિત રાખે, સ્ત્રીને જુએ નહીં, સ્ત્રીની પ્રશંસા અથવા પરિચય કરે નહીં, અને બુદ્ધિમાન મુનિ શુદ્ર કથા કરે નહીં, તો તે ઘર્માનુપ્રેક્ષી મુનિ બ્રહ્મચર્યને બરાબર ઘારણ કરે છે, એમ જાણવું. વિશેષાર્થ-(૧) આહારની ગુપ્તિ રાખવી, એટલે સ્નિગ્ધ ભોજન કરવું નહીં, તેમજ અતિમાત્રા ભોજન કરવું નહીં; કેમકે તેથી ઘાતુ પુષ્ટ થવાથી વેદનો ઉદય થાય અને તેથી કરીને કદાચ બ્રહ્મચર્યનું ખંડન પણ થાય. (૨) અવિભૂષિતાત્મા એટલે શરીરને સ્નાન વિલેપન વગેરે વિવિઘ પ્રકારની વિભૂષાથી રહિત રાખવું. (૩) સ્ત્રીને અને તેના અંગોપાંગોને પણ જોવાં નહીં. (૪) સ્ત્રીની પ્રશંસા કરવી નહીં, તથા તેનો પરિચય પણ કરવો નહીં. (૫) બુદ્ધિમાન એટલે તત્ત્વને જાણનાર મુનિએ શુદ્ર એટલે અપ્રશસ્ય એવી સ્ત્રીકથા કરવી નહીં. આ પાંચ ભાવનાથી જેનું અંતઃકરણ ભાવિત થયું છે, એવો ઘર્માનુપ્રેક્ષી એટલે ઘર્મના આસેવનમાં તત્પર સાધુ બ્રહ્મચર્યને ધારણ કરે છે, અર્થાત્ તે વ્રતને પુષ્ટ કરે છે. પાંચમા પરિગ્રહપરિમાણ મહાવ્રતની ભાવના આ પ્રમાણે છે– जे सद्दरूवरसगंधमायए, फासे य संपप्पमणुणपावए । गेही पउसं न करेज पंडिए, से होइ दंते विरए अकिंचणे॥५॥ ભાવાર્થ-જે સાધુ મનોજ્ઞ ને અમનોજ્ઞ એવા આગંતુક શબ્દ, રૂપ, રસ અને ગંઘ એ ચાર તથા સ્પર્શ મળી પાંચ પ્રકારના ઇન્દ્રિયના વિષયોને પામીને તેના પર વૃદ્ધિ કે પ્રષ કરે નહીં તે પંડિત, જિતેન્દ્રિય અને સર્વ સાવદ્ય કર્મથી વિરક્ત એવો સાધુ અકિંચન એટલે પરિગ્રહ રહિત કહેવાય છે. વિશેષાર્થ-જે સાધુ શબ્દ, રૂપ, રસ, ગંઘ એ ચાર પ્રકારના ભાવતા એવા ઇન્દ્રિયના વિષયો પ્રત્યે તેમજ સ્પર્શ પ્રત્યે-મનોજ્ઞ અને અમનોજ્ઞ-ઇષ્ટ અને અનિષ્ટ એવાને પામીને તેનાપર ગૃદ્ધિ એટલે મૂછ અને પ્રદ્વેષ એટલે દ્વેષ યથાક્રમે ન કરે, અર્થાત્ ઇષ્ટ વિષયોને પામીને ગૃદ્ધિ ન કરે અને અનિષ્ટને પામીને દ્વેષ ન કરે તે મુનિ દાંત, જિતેન્દ્રિય, સર્વ સાવદ્ય યોગથી વિરત અને અકિંચન-નિઃપરિગ્રહી થાય છે. પાંચ પ્રકારના વિષયો સંબંધી અભિળંગ ને પ્રષ એટલે રાગ ને દ્વેષ તજી દેવા એ પાંચમા વ્રતની પાંચ ભાવના જાણવી. આ પ્રમાણે દરેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ મળીને પચીશ ભાવના જાણવી. ઇત્યાદિ અનેક યુક્તિથી મહાવ્રતનો ભાર ઉપાડવો દુષ્કર છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy