SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ વ્યાખ્યાન ૨૯૨] તપાચારનો આઠમો ભેદ-વિનય બીજા અસત્યવિરમણ વ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે अहस्स सच्चे अणुवीय भासए, जे कोह लोहं भयमेव वजए । સે તીહરાચં સમુદિયા સયા, મુળ ટુ નોર્સ પડિવકૂ સિયારા ભાવાર્થ-જે હાસ્ય રહિત સત્ય બોલે, વિચારીને બોલે તથા ક્રોઘ લોભ અને ભયનો ત્યાગ કરે તે મુનિ દીર્ધરાત્રને (મોક્ષને) સદા જુએ છે, માટે મુનિએ સર્વદા અસત્યનો ત્યાગ કરવો.” વિશેષાર્થ-(૧) હાસ્યનો ત્યાગ કરીને સત્ય વાણી બોલવી, કેમકે હાસ્યથી કદાચ અસત્ય પણ બોલાય છે તે પહેલી ભાવના.(૨) વિચારીને એટલે સમ્યમ્ જ્ઞાનપૂર્વક વિચાર કરીને બોલવું; વગર વિચારે બોલનાર કોઈ વાર અસત્ય પણ બોલી જાય છે, અને તેથી પોતાને વૈર, પીડા વગેરે પ્રાપ્ત થાય છે, તથા જીવહિંસા પણ થાય છે તે બીજી ભાવના.(૩) જે ક્રોઘ, લોભ અને ભયનો ત્યાગ કરે તે મુનિ દીર્ઘાત્ર એટલે મોક્ષને પોતાની સમીપે જુએ છે, માટે હમેશાં અસત્યનો ત્યાગ કરવો. ક્રોધાદિક ત્યાગ કરવાનું તાત્પર્ય એ છે કે-ક્રોઘને આધીન થયેલો માણસ જ્યારે બોલે છે ત્યારે તેને સ્વપરની અપેક્ષા રહેતી નથી, તેથી તે જેમ તેમ બોલતાં અસત્ય પણ બોલે છે, માટે તેનો ત્યાગ કરવો શ્રેષ્ઠ છે. (૪) લોભને આધીન થયેલો માણસ પણ અત્યંત ઘનના લોભથી ખોટી સાક્ષી પૂરવા વગેરેથી અસત્ય બોલે છે, માટે તેનો ત્યાગ કરવો. (૫) ભયભીત માણસ પોતાના પ્રાણાદિકનું રક્ષણ કરવાની ઇચ્છાથી સત્યવાદીપણાનો ત્યાગ કરે છે, માટે પોતાના આત્મામાં નિરંતર નિર્ભયતા ઘારણ કરવી. ત્રીજા અદત્તાદાન વિરમણ વ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે सयमेव उग्गह जायणे घडे, मइमं निसम्म स भिक्खु उग्गहं । अणुन्नविय भुंजिय पाणभोयणं, जाइत्ता साहमियाण उग्गहं ॥३॥ ભાવાર્થ-સાઘુ પોતાની જાતે જ અવગ્રહની યાચના કરે, પછી મતિમાન એવો તે સાધુ (યોગ્ય) ચેષ્ટા કરે, અવગ્રહની આજ્ઞા સાંભળીને તેમાં રહે, પાન અને ભોજન આજ્ઞા લઈને કરે, તથા સાઘર્મિક પાસે અવગ્રહની યાચના કરીને નિવાસ કરે.” વિશેષાર્થ-(૧) બીજાની સાથે કહેવડાવ્યા વિના પોતે જ સાધુ ભગવંતની આજ્ઞા પ્રમાણે ઇન્દ્ર, રાજા, ગૃહપતિ, શય્યાતર અને સાઘર્મિકના ભેદવાળા પાંચ પ્રકારના અવગ્રહની યાચના કરે; અન્ય માણસ પાસે યાચના ન કરાવે, કારણ કે જે સ્વામી ન હોય તેની પાસે યાચના કરી હોય ને ખરા સ્વામી પાસે યાચના ન કરી હોય તો પરસ્પર વિરોધાદિક દોષો પ્રાપ્ત થાય છે. (૨) પછી તે આજ્ઞા લીઘેલા અવગ્રહમાં તૃણાદિક ગ્રહણ કરવા માટે મતિમાન સાધુ ચેષ્ટા એટલે યત્ન કરે, અર્થાત્ અવગ્રહ આપનારનું આજ્ઞાવચન સાંભળીને તૃણાદિક પણ વાપરે; આજ્ઞા વિના વાપરે તો અદત્તનું ગ્રહણ કર્યું કહેવાય. (૩) સાધુ સર્વદા અવગ્રહની સ્પષ્ટ મર્યાદા પૂર્વક યાચના કરે, અર્થાત્ સ્વામીએ એક વાર અવગ્રહ આપ્યા છતાં પણ વારંવાર માત્રુ વગેરે પરઠવવાના કાર્યમાં અવગ્રહની યાચના કરે. (૪) ગુરુ વગેરેની આજ્ઞા લઈને પાન ભોજન વગેરે વાપરે, અર્થાત્ જે કાંઈ ચીજ વાપરવી તે સર્વ ગુરુની આજ્ઞાપૂર્વક જ વાપરવી જોઈએ, નહીં તો અદત્ત ભોગવ્યાનો દોષ ૧. ક્રોધાદિકના ત્યાગની ત્રણ ભાવના મળીને પાંચ થાય છે. ૨.ઉપાશ્રય વગેરેની For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy