SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૦ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે, “હે દેવ! આપની આજ્ઞા જરા પણ મેં ખંડિત કરી નથી.” રાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે તે ફરીથી બોલ્યો કે, “હે રાજા! મારા કરતાં આ મુનિનો ભાર અધિક છે, તેથી હું બાજુ પર ખસ્યો છું.” રાજાએ પૂછ્યું કે, “તેના પર શો ભાર છે?” તે બોલ્યો કે, “હે સ્વામી! મેરુ પર્વત કરતાં પણ અધિક ભારવાળાં પાંચ મહાવ્રતો કે જેને વહન કરવાને હું અસમર્થ છું અને આ મુનિ તો તે ભારનું વહન કરે છે, અને તેમાં નેત્રફુરણ જેટલો કાળ પણ પ્રમાદ કરતા નથી. હું તો માત્ર બહારનો ભાર ઉપાડું છે, અને ઈર્યાદિ સમિતિ રહિત હોવાથી અનેક જીવોનું ઉપમર્દન કરીને અનેક ભવોથી પણ દુર્મોચ્ચ એવા પાપના સમૂહને વૃદ્ધિ પમાડું છું. પ્રથમ મેં પ્રવ્રજ્યા અંગીકાર કરી હતી, પરંતુ પાંચ મહાવ્રતના ભારને વહન કરવામાં અશક્ત થવાથી પ્રવજ્યાનો મેં ત્યાગ કર્યો. પરંતુ પાંચ કળશીનો ભાર તો હું સહેજે ઉપાડી શકે છે, પણ પ્રથમ સ્વીકાર કરેલા મહાવ્રતરૂપી અત્યંતર ભાર હું ઉપાડી શકતો નથી, માટે હું માર્ગમાંથી આઘો ખસ્યો, તે મેં યુક્ત જ કર્યું છે. भक्तिभरा नमस्यन्ति, इन्द्रादयो गतस्मयाः । महाव्रतभराकीर्णान्, तदग्रेऽहं कियन्मितः॥४॥ ભાવાર્થ–“હે રાજા! મહાવ્રતરૂપી ભારને વહન કરનારા મુનિઓને ભક્તિથી ભરપૂર ઇન્દ્રાદિક પણ ગર્વરહિત થઈને નમસ્કાર કરે છે, તો તેવા મુનિની પાસે હું કોણ માત્ર છું?” વળી હે રાજા! આ મુનિ પાંચ મહાવ્રતોમાંના દરેક વ્રતને પાંચ પાંચ ભાવના વડે નિરંતર નિર્મળ કરે છે. તેમાં પહેલાં પ્રાણાતિપાત વિરમણ નામના વતની પાંચ ભાવનાઓ આ પ્રમાણે છે. પ્રવચનસારોદ્ધારમાં કહ્યું છે– इरियासमिए तहा सया जए, उवेह भुंजेज व पाणभोयणं । आयाणनिक्खेव दुगुच्छ संजए, समाहिए संजयए मणोवई॥४॥ ભાવાર્થ-ઈર્યાસમિતિવાળા, તથા સર્વદા જોઈને પાન ભોજન કરનારા (એષણા સમિતિવાળા), આદાન નિક્ષેપ અને જુગુપ્સા કરનારા, તથા સમાહિત થઈને મનને અને વચનને નિયમમાં રાખનારા યતિ પહેલા વ્રતની પાંચ ભાવના ભાવે છે.' વિસ્તારાર્થ-(૧) ઈર્યા એટલે ગમન કરવું તે, તેમાં સમિત એટલે ઉપયોગ રાખનાર, સમસ્ત જીવોની હિંસાના ત્યાગને માટે ઈર્યાસમિત થવું તે પહેલી ભાવના; તથા (૨) સર્વદા સારી રીતે ઉપયોગ રાખીને ઈક્ષણ પૂર્વક જોઈને) પાન અને ભોજન ગ્રહણ કરવું અથવા વાપરવું એ બીજી ભાવના; (૩) આદાન નિક્ષેપ એટલે પાત્રાદિક પ્રમાર્જન પૂર્વક ગ્રહણ કરવાં અથવા મૂકવાં તે, તથા આગમમાં જેનો નિષેઘ કર્યો હોય તેની જુગુપ્સા (નિંદા) કરે–પોતે ન આચરે તે ત્રીજી ભાવના તથા (૪) સાધુ સમાહિત એટલે સાવઘાન થઈને મનને દૂષણ રહિત પ્રવર્તાવે, કેમકે મન દૂષણવાળું હોય તો કાયસંલીનતા વગેરે કર્યા છતાં પણ તે કર્મબંઘ માટે થાય છે. પ્રસન્નચંદ્ર નામના રાજર્ષિએ મનોગુતિ રાખી નહીં તેથી કાયાવડે હિંસા નહીં કર્યા છતાં પણ મનથી સાતમી નરકને યોગ્ય કર્મ બાંધ્યું હતું એમ સંભળાય છે, માટે મનને નિયમમાં રાખવું એ ચોથી ભાવના. (૫) તેવી જ રીતે વાણી પણ દૂષણ રહિત બોલવી કે જેથી હિંસા થાય નહીં, તે પાંચમી ભાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy