SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ર૯૨] તપાચારનો આઠમો ભેદ-વિનય વ્યાખ્યાન ૨૨ તપાચારનો આઠમો ભેદ-વિનય चतुर्धा विनयः प्रोक्तः, सम्यग्ज्ञानादिभेदतः । धर्मकार्ये नरः सोऽर्हः विनयातपोंऽचितः॥४॥ ભાવાર્થ-“સમ્યગુ જ્ઞાનાદિ ભેદે કરીને ચાર પ્રકારનો વિનય કહેલો છે. તે વિનય નામના તપથી યુક્ત પુરુષ ઘર્મકાર્યને વિષે યોગ્ય છે.” જ્ઞાનાદિ ભેદે કરીને ચાર પ્રકારનો વિનય છે તે આ પ્રમાણે-(૧) બહુમાન પૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું, તેનો અભ્યાસ કરવો, સ્મરણ કરવું, ઇત્યાદિ જ્ઞાનવિનય કહેવાય છે. આહાર નિહાર વગેરે ક્રિયા કરતાં મૌન ધારણ કરવું તે પણ જ્ઞાનવિનય છે. (૨) સામાયિક વગેરે સકળ પ્રવચન શ્રી જિનેશ્વરપ્રણીત હોવાથી તેમાં કોઈ પણ જાતનો વિસંવાદ નથી, તેથી યથાર્થ વસ્તુતત્ત્વની પ્રતીતિમાં નિઃશંક થવું તે દર્શનવિનય કહેવાય છે. (૩) ચારિત્રનું શ્રદ્ધાન કરવું, તેનું સમ્યક્ પ્રકારે આરાઘન કરવું, અન્યની પાસે ચારિત્રના ગુણોની સ્તવના કરવી અને ચારિત્રનું સ્વરૂપ કહી બતાવવું, એ વગેરે ચારિત્રવિનય કહેવાય છે. (૪) આચાર્ય વગેરે ગુરુનું પ્રત્યક્ષ દર્શન થાય એટલે તરત જ ઊભા થવું, તેમની સન્મુખ જવું, હાથ જોડવા વગેરે વિનય કરવો અને તેમની ગેરહાજરી હોય ત્યારે પણ મન વચન અને કાયાના યોગે કરીને પગે ચાલવું અને તેમના ગુણનું કીર્તન તથા વારંવાર સ્મરણાદિ કરવું તે ઉપચારવિનય કહેવાય છે. આ સંબંધમાં પાંચ કળશી ભારવાહકની કથા છે, તે આ પ્રમાણે– પંચાગ ભારવાહક કથા કોઈ એક ગામમાં ભાર વહન કરનારા પાંચસો મજૂર રહેતા હતા. તેઓમાં એક મુખ્ય હતો, તે પાંચ કળશી અનાજનો ભાર ઉપાડતો હતો. તેનામાં એવો લોકોત્તર ગુણ જોઈને રાજાએ તેના પર કૃપા કરીને વર આપ્યો કે, “જ્યારે તું ભાર ઉપાડીને માર્ગમાં ચાલે ત્યારે તારી સામે જો રથ, ઘોડા, ગાડા, સૈન્ય અને હાથી વગેરે આવતાં હોય તો તેને જોઈને તારે તારો સ્વીકાર કરેલો માર્ગ છોડીને આઘું પાછું થઈ જવું નહીં, કેમકે ભારથી પીડાયેલા પ્રાણીને લીઘેલો માર્ગ છોડવો અતિ દુષ્કર છે. હું પણ તને દૂરથી જોઈને માર્ગ આપીશ, તેથી તારે મારો પણ ભય રાખવો નહીં, તો પછી બીજાનો ભય તો શા માટે જ હોય? આ મારી આજ્ઞાનો કોઈ લોપ કરશે તો તેને હું શિક્ષા કરીશ.” આ પ્રમાણે આજ્ઞા મળવાથી તે મજૂર ઇચ્છા મુજબ માર્ગમાં ચાલતો હતો. તેને આવતો જોઈ સર્વ કોઈ તેને માર્ગ આપતા હતા, પણ તેના પર કોઈ રોષ કરતું નહોતું. એકદા તે ભાર ઉપાડીને માર્ગમાં જતો હતો, તેવામાં તેની સામે કોઈ સાઘુને આવતાં તેણે જોયા. તેને જોઈને તે મજૂરે વિચાર કર્યો કે “મારો ભાર તો ગમે તેટલો પણ પરિમિત છે, અને આ મુનિએ ઘારણ કરેલ પાંચ મહાવ્રતરૂપી ભાર તો અપરિમિત છે. તે કોઈનાથી કળી શકાતો નથી; તેટલો બધો ભાર ઉપાડીને તે ચાલે છે, તેથી એમની પાસે મારું પરાક્રમ નિરર્થક છે.” એમ વિચારીને તેણે મુનિને રસ્તો આપ્યો. તે આધો ખસ્યો એટલે તેની પાછળના સર્વે મજૂરોને પણ ખસવું પડ્યું, તેથી તેઓ રોષ પામીને બોલ્યા કે, “તે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું.” પછી તેઓએ રાજાને જાહેર કર્યું. રાજાએ તેને બોલાવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy