SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૦ રૂપી સાથ્વી વિરાઘક ભાવે મૃત્યુ પામી વિકુમાર નિકાયમાં દેવી થઈ ત્યાંથી ચ્યવીને શ્યામ અંગવાળી અને કામવાસનાથી વિહળ એવી કોઈ બ્રાહ્મણની પુત્રી થઈ, ત્યાંથી નરકમાં ગઈ, ત્યાંથી નીકળી તિર્યંચ થઈ. એવી રીતે ત્રણ ઊણા લાખ ભવ સુધી પરિભ્રમણ કરીને મનુષ્યભવ પામી પ્રવ્રજ્યા ગ્રહણ કરી સાધુપણાના ગુણને પામી; પરંતુ પૂર્વની માયાને લીધે ત્યાંથી કાળ કરીને ઇન્દ્રની અગ્રમહિષી (ઇંદ્રાણી) થઈ, ત્યાંથી ચ્યવીને તે ગોવિંદની સ્ત્રી થઈ, અને આ ભવમાં ચારિત્ર પામીને મોક્ષે ગઈ.” ઇતિ રૂપી શ્રમણી સંબંધ. - હવે પેલી સુજસિરિ ગોવિંદના ઘરમાં રહેતી હતી, ત્યાંથી તેને લોભ પમાડીને એક આભીરી પોતાને ઘેર લઈ ગઈ. ત્યાં દૂધ દહીં વગેરે ખાઈને તે મનોહર રૂપવાળી થઈ. તેનો પિતા જે સુશિવ હતો તે મનુષ્ય અને પશુનો ક્રયવિક્રય કરવાવડે પાંચ મહોર મેળવી ફરતો ફરતો એકદા રાત્રિ રહેવા માટે તે આભીરને ઘેર આવ્યો. ત્યાં પોતાની પુત્રી સુજસિરિના રૂપથી મોહ પામીને ઘણા દ્રવ્યનો વ્યય કરીને તેને પરણ્યો. એકદા બે સાધુને જોઈને સુસિરિનાં નેત્રમાં જળ ભરાયું. તેનું કારણ તેના પતિએ પૂછ્યું ત્યારે તે બોલી કે, “મારા સ્વામી ગોવિંદની પત્ની આવા ઘણા સાધુઓને પ્રતિભાભીને પંચાંગ નમસ્કાર કરતી હતી, તેનું સ્મરણ થવાથી મને શોક થાય છે.” તે સાંભળીને સુશિવે તેને પોતાની પુત્રી તરીકે ઓળખી અને તેણે પણ પોતાના પિતા તરીકે સુશિવને ઓળખ્યો; તેથી તે બન્ને લતિ થયા. પછી તે બન્ને અગ્નિમાં બળી મરવાનો નિશ્ચય કરી ચિતા ખડકીને તેમાં પેઠા, પણ કાષ્ઠ નિર્દાહક* જાતિનાં હોવાથી અગ્નિ પણ બુઝાઈ ગયો. લોકોએ તેમનો અત્યંત તિરસ્કાર કર્યો, એટલે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. અનુક્રમે એક મુનિ મળ્યા, એટલે તેની પાસે સુશિવે દીક્ષા લીધી. સુજસિરિ ગર્ભવતી હતી, તેથી તેને દીક્ષા આપી નહીં. પછી તે ગર્ભના દુઃખથી વિચાર કરવા લાગી કે, “આ ગર્ભને વિવિધ પ્રકારના ક્ષારાદિકના ઉપાયથી પાડી નાખું.” ઇત્યાદિ રૌદ્રધ્યાન કરતી સતી પ્રસવની વેદનાથી મરણ પામીને છઠ્ઠી નરકે ગઈ. તેના ગર્ભથી નવા જન્મેલા પુત્રને કોઈ કૂતરાએ મુખમાં લઈને એક કુંભારના ચક્ર ઉપર મૂક્યો. કુંભારે તેને પુત્ર તરીકે રાખ્યો. સુસઢ તેનું નામ પાડ્યું. અનુક્રમે તે યુવાવસ્થા પામ્યો. એકદા તે સુસઢ મુનિના ઉપદેશથી બોઘ પામી દીક્ષા ગ્રહણ કરી; પરંતુ જપતપાદિમાં તેમજ વ્રતનું આચરણ કરવામાં ને ક્રિયામાં તે શિથિલાચારી થયો. ગુરુએ તેને ઘણો ઉપદેશ આપ્યો, તોપણ તેણે શિથિલપણું છોડ્યું નહીં. છેવટ તે કાળ કરીને પહેલા દેવલોકમાં ઇન્દ્રનો સામાનિક દેવતા થયો. ત્યાંથી ચ્યવીને તે ભરતક્ષેત્રમાં વાસુદેવ થશે; ત્યાંથી સાતમી નરકે જઈને હાથી થશે, ત્યાંથી અનન્તકાયમાં ઉત્પન્ન થશે. ઇત્યાદિ બહુ કાળ સુધી ભમીને અત્તે તે સિદ્ધિપદને પામશે.” આ સુસઢની કથા નિશીથ સૂત્રમાં કહેલી છે, તે અહીં પ્રસંગોપાત્ત ટૂંકામાં કહેવામાં આવી છે. ઉત્તમ જીવે આલોચના લેતી વખતે નિરંતર કટિલપણાનો અવશ્ય ત્યાગ કરવો. આગમના અર્થને જાણનાર પુરુષોએ આલોચના દેવી તેમજ લેવી, કેમકે આલોચનાની ઇચ્છા માત્ર પણ શુભ ફળદાયક છે.” * બળે સળગે નહીં એવી જાતનાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy