SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ TITષ્ટ માન), (3527 ધર્મકર્મમા દંભ અકર્તવ્ય श्रीमहावीर जैन आराधना केन्द्र વ્યાખ્યાન ૨૯૧] દાંપત્યસુખની પ્રશંસા કરી. પછી તરત પોતાનુંગી પણયાવવાથી તે પોતાને નિંદવા લાગી કે ‘અરેરે! મેં મારું વ્રત ફોગટ ખંડિત કર્યું! આ પાપનું પ્રાયશ્ચિત્ત ગુરુ પાસે જઈને લઉં.' એમ નિર્ણય કરતાં વળી વિચાર આવ્યો કે, ‘હું બાલ્યાવસ્થાથી જ શીલવ્રતને પાળનારી રાજપુત્રી છું, એટલે સર્વ લોકની સમક્ષ આ નિંદવા લાયક દુષ્કર્મનું શી રીતે પ્રાયશ્ચિત્ત લઈ શકું! તેમ કરવાથી તો મારી આજ સુધીની જે શીલપ્રશંસા છે, તે નષ્ટ થાય, માટે અન્યની સાક્ષીનું શું કામ છે? આત્માની સાક્ષીએ જે કરું તે જ પ્રમાણ છે.’ ઇત્યાદિ વિચાર કરીને તે સાધ્વીએ ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લીધા સિવાય પોતાની મેળે જ પ્રાયશ્ચિત્ત તરીકે છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, આંબિલ, નીવી વગેરે અનેક તપસ્યાઓ ચૌદ વર્ષ પર્યંત કરી; સોળ વર્ષ સુધી માસક્ષપણ કર્યા અને વીશ વર્ષ સુધી સતત આંબિલ કર્યા. એકદા તેણે વિચાર્યું કે,‘મેં આટલી બધી તપસ્યા કરી, પણ તેનું સાક્ષાત્ ફળ તો મેં કાંઈ પણ જોયું નહીં' ઇત્યાદિ આર્તધ્યાન કરતાં તે મૃત્યુ પામીને એક વેશ્યાને ઘેર અતિ રૂપવતી દાસી થઈ. તેનું રૂપ જોઈને સર્વ કામી પુરુષો તેને જ ઇચ્છવા લાગ્યા. પોતાની પુત્રીને જોયા છતાં પણ તેની કોઈ ઇચ્છા કરતું નથી, એમ જોઈને અક્કા રોષ પામીને વિચારવા લાગી કે આ રૂપવતી દાસીનાં કાન, નાક અને હોઠ કાપી નાંખવા યોગ્ય છે.’ તે જ રાત્રિએ કોઈ વ્યંતર દેવતાએ તે દાસીને ઊંધમાં અક્કાના વિચારનું સ્વપ્ન આપ્યું, તેથી ભય પામીને તે દાસી પ્રાતઃકાળે ત્યાંથી ભાગી. ભમતાં ભમતાં છ માસ વ્યતીત થયા ત્યારે કોઈ ગૃહસ્થના પુત્રે તેને પોતાના ઘરમાં રાખી. એકદા તે શ્રેષ્ઠીની પત્નીને ઈર્ષ્યા આવવાથી તેણે તે દાસી ઊંઘી ગઈ હતી ત્યારે તેના ગુહ્યસ્થાનમાં લોઢાની કોશ નાંખી, તેથી તે દાસી મૃત્યુ પામી. શેઠાણીએ તેના શરીરના ટુકડે ટુકડા કરીને ગીઘ વગેરે પક્ષીઓને ખવરાવી દીધા. શ્રેષ્ઠીએ તે વૃત્તાંત જાણ્યું એટલે વૈરાગ્ય પામીને તરત જ ચારિત્ર લીધું. તે દાસી ઘણા ભવમાં ભ્રમણ કરીને નરદેવ(ચક્રવર્તી)નું સ્રરત્ન થઈ, ત્યાંથી મરીને છઠ્ઠી નરકમાં ગઈ, ત્યાંથી શ્વાનયોનિમાં ઊપજી, અનેક વાર મરણ પામીને પછી નિર્ધન બ્રાહ્મણપણું પામી. પછી અનુક્રમે વ્યન્તરપણું, બ્રાહ્મણપણું, નરક–ગમન, સાત ભવ સુઘી પાડો, મનુષ્ય, માછલી અને અનાર્ય દેશમાં સ્ત્રીપણું પામી, મરીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી નીકળી કુષ્ઠી મનુષ્ય થઈ. પછી પશુ અને સર્પ યોનિમાં ઉત્પન્ન થઈ, મરીને પાંચમી નરકે ગઈ. ઇત્યાદિ ચારે ગતિમાં પરિભ્રમણ કરીને તે લક્ષ્મણાનો જીવ પદ્મનાભ સ્વામીના વારામાં કોઈક ગામમાં કૂબડી સ્ત્રી થશે. તેને તેના માબાપ અવિનીતપણાને લીધે ઘરમાંથી કાઢી મૂકશે. પછી તેને અરણ્યમાં ભ્રમણ કરતાં કાંઈક પુણ્યોદયથી શ્રી પદ્મનાભ પ્રભુના દર્શન થશે. ત્યાં તે પોતાના કર્મ વિપાકનો પ્રશ્ન કરશે, ત્યારે પ્રભુ સર્વ વૃત્તાંત કહેશે. તે સાંભળીને તે કુબ્જા વૈરાગ્ય પામી દીક્ષા લેશે. પછી પૂર્વનાં સર્વ દુષ્કૃતોની આલોચના પ્રતિક્રમણા કરીને સમાધિવડે કેવળજ્ઞાન પામી સિદ્ધિપદને પામશે.’’ ઇતિ લક્ષ્મણા સાધ્વી પ્રબંધ. Jain Education International 6 * પ્રથમની હકીકત સાથે મેળવતાં અનુક્રમે કેવળજ્ઞાન પામી મોક્ષે જશે એમ ઘટમાન લાગે છે. પ આ પ્રમાણે શીલસન્નાહ મુનિએ કહેલો વૃત્તાંત સાંભળ્યા છતાં પણ રૂપી સાધ્વી બોલી કે,‘હૈ ગુરુ! મારામાં કાંઈ પણ શલ્ય નથી.'' આ પ્રમાણે કહેવાથી તેણે માયા વડે ફરીને પણ સ્ત્રીપણું ઉપાર્જન કર્યું. ગુરુએ તેને અયોગ્ય જાણીને સંલેખના ન કરાવી અને પોતે એક માસની સંલેખના કરી, કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા.’* www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy