SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદું ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ પ્રાંતે તે મુનિ ચારિત્ર પાળીને પ્રથમ દેવલોકમાં દેવતા થયા, અને ત્યાંથી ચ્યવીને એ શીલસન્નાહ સ્વયંબુદ્ધ મુનિ થયા.’૧ ર૪ શીલસન્નાહ મુનિ વિહાર કરતાં કરતાં એકદા રૂપી રાજાના નગરની બહાર ઉદ્યાનમાં આવ્યા. તેને વાંદવા માટે રૂપી રાજા સામન્તાદિક સહિત ઉદ્યાનમાં આવ્યો. ત્યાં ગુરુની દેશના સાંભળીને રૂપીરાજાએ દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે શીલસન્નાહ મુનિ સમેતશિખર ગયા. ત્યાં જિનેશ્વરોને વંદના કરીને એક શિલાપટ્ટ ઉપર સંથારો કરી સંલેખના કરવા તૈયાર થયા. તે વખતે રૂપી સાધ્વી બોલ્યા કે,‘હે ગુરુ! મને પણ સંલેખના કરાવો.” ગુરુ બોલ્યા કે,‘ભવસંબંધી સર્વ પાપોની આલોચના લઈને શલ્ય રહિત થયા પછી ઇચ્છિત કાર્ય કરો; કેમકે જ્યાં સુધી શલ્ય ગયું ન હોય ત્યાં સુધી બહુ ભવભ્રમણ કરવું પડે છે. જેમ કોઈક રાજાના અશ્વના પગમાં ખીલો વાગ્યો હતો, તેનો નાનો સરખો કકડો અંદર ભરાઈ રહ્યો હતો, તેથી તે અશ્વ અતિ કૃશ થવા લાગ્યો. રાજાએ તેને માટે અનેક ઉપચારો કર્યા પણ તે નિષ્ફળ ગયા. પછી એક કુશળ પુરુષે તે અશ્વના આખા શરીરે આછો આછો કાદવ ચોપડ્યો એટલે જે ઠેકાણે શલ્ય હતું તે ભાગ ઊપસી આવ્યો. તે જોઈને તે પુરુષે તેમાંથી નખહરણીવતી તે શલ્ય કાઢી નાખ્યું, એટલે તે અશ્વ સ્વસ્થ થયો. વળી હે સાધ્વી! એક તાપસ હતો. તેણે એકદા અજાણ્યું ફળ ખાધું, તેથી તે રોગગ્રસ્ત થયો. પછી દવા માટે તે વૈદ્ય પાસે ગયો. વૈદ્ય ‘શું ખાધું છે?' એમ પૂછ્યું ત્યારે તાપસે સત્ય વાત કહી દીધી; તેથી તે વૈદ્યે તેને વમન તથા વિરેચન આપીને સાજો કર્યો.’’ આ પ્રમાણે સાંભળીને તે રૂપી સાધ્વીએ માત્ર એક દૃષ્ટિવિકાર (શીલસન્નાહ સામું વિકાર દૃષ્ટિએ જોયું હતું તે) વિના બીજાં સર્વ પાપની આલોચના લીધી. ગુરુએ કહ્યું કે,‘પ્રથમ સભામાં તેં મારી સામે સરાગ દૃષ્ટિએ જોયું હતું તેની આલોચના કર.’’ તે બોલી કે ‘‘તે તો મેં સહજ નિર્દભપણે જોયું હતું.' તે સાંભળીને ગુરુએ તેને ઉપદેશ આપવા માટે લક્ષ્મણા રાજપુત્રીનું દૃષ્ટાંત કહી સંભળાવ્યું કે– ગઈ ઉત્સર્પિણીમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરને વિષે જંબુદાડિમ નામના રાજાની લક્ષ્મણા નામે યુવાન પુત્રી હતી. તે સ્વયંવરમંડપમાં એક યોગ્ય પતિને વરી. તેના પાણિગ્રહણ વખતે ચોરીમાં જ તેનો પતિ અકસ્માત્ મરણ પામ્યો; તેથી લક્ષ્મણા અતિ દુઃખથી વિલાપ કરવા લાગી. તેના પિતાએ શિખામણ આપી કે, ‘હે પુત્રી! કર્મની વિચિત્ર ગતિ છે, માટે વિલાપ કરવાથી શું ફળ છે? તેથી તું જીવિત પર્યંત શીલનું પાલન કર.' ઇત્યાદિ કહીને રાજાએ તેને શાંત કરી. એકદા શ્રી જિનેશ્વર તે રાજાના ઉદ્યાનમાં સમવસર્યા. ભગવાનની દેશનાથી બોધ પામીને રાજાએ પુત્રી સહિત દીક્ષા ગ્રહણ કરી. લક્ષ્મણા સાધ્વી પોતાની ગુરુણી (પ્રવત્તિની) પાસે રહીને સંયમ પાળવા લાગી. એકદા ગુરુણીજી (મહત્તરા) ના કહેવાથી તે વસતિ શોધવા ગઈ. ત્યાં ચકલાના મિથુનને ચુંબનાદિ પૂર્વક કામક્રીડા કરતું જોઈને તેણે વિચાર્યું કે, ‘પતિથી વિયોગ પામેલી મને ધિક્કાર છે! અહો! આ પક્ષીઓ પણ પ્રશંસા કરવા લાયક છે કે જેઓ સાથે રહીને નિરંતર ક્રીડા કરે છે. અહો! શ્રી જિનેશ્વરોએ આનો સર્વથા નિષેધ કેમ કર્યો હશે? જરૂર શ્રી જિનેન્દ્રો અવેદી હોવાથી વેદોદયના વિપાકથી અજાણ્યા હોવા જોઈએ.' આવા વિચારથી તેણે જિનેશ્વરમાં અજ્ઞાનદોષ પ્રગટ કર્યો અને ૧. આ હકીકત શીલસન્નાહના ભવના પ્રાંત ભાગની છે તે વચ્ચે લખવામાં આવી છે. ૨. ભાષામાં ‘નેરણી' કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy