SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૯૧] ઘર્મકર્મમાં દંભ અકર્તવ્ય તો ઘરના એક ખૂણામાં પોતાના મોટા પુત્રને કોઈ વેશ્યા સાથે ક્રીડા કરતાં જોયો. તે પુત્રે તેને આવતી જોઈને તિરસ્કાર કર્યો, તેથી તે મૂછ પામી. ગોવિંદને તેની ખબર પડતાં તેણે શીત ઉપચારથી તેને સજ્જ કરી. એટલે તે સ્ત્રીને જાતિસ્મરણ જ્ઞાન થવાથી તેણે પોતાનો પૂર્વભવ જાણીને કહી બતાવ્યો. તે સાંભળીને ગોવિંદે પોતાની સ્ત્રી સહિત દીક્ષા ગ્રહણ કરી. આ સમયે શ્રી ગૌતમસ્વામીએ શ્રી મહાવીરસ્વામીને પ્રણામ કરીને પૂછ્યું કે, “હે ભગવંત! તેણે પોતાનો પૂર્વભવ શો કહી બતાવ્યો કે જેથી ગોવિંદને પણ વૈરાગ્ય ઊપયો?” એટલે ભગવાન બોલ્યા કે, “તે સ્ત્રીએ લાખ ભવ ઉપર દંભ કર્યો હતો. પૂર્વે તે ક્ષિતિપ્રતિષ્ઠ નગરના રાજાની રૂપી નામની પુત્રી હતી. તે પુત્રીનું પાણિગ્રહણ થયું કે તરત જ તેનો પતિ મૃત્યુ પામ્યો; એટલે તે રૂપી વિઘવા થવાથી તેણે શીલના રક્ષણ માટે ચિતામાં પ્રવેશ કરવા પોતાના પિતાની રજા માગી. રાજાએ કહ્યું કે, “હે પુત્રી! ચિતામાં પ્રવેશ કરવાથી પતંગના મૃત્યુની જેમ નિષ્ફળ મરવાપણું છે, તેથી તે તે વાત છોડી દઈને જૈનઘર્મમાં રક્ત થઈ શીલવ્રતનું પાલન કર.” તે સાંભળીને રૂપીએ ભાવથી શીલ અંગીકાર કર્યું. અન્યદા તે રાજા પુત્ર રહિત મરણ પામ્યો, એટલે પ્રઘાનોએ તે પુત્રીને જ ગાદી પર બેસાડી, અને તેને રૂપી રાજાના નામથી બોલાવવા લાગ્યા. અનુક્રમે રૂપી યુવાવસ્થા પામી. તેના ગાત્રમાં કામદેવે પ્રવેશ કર્યો. એકદા સભાને વિષે શીલસન્નાહ નામનો મંત્રી બેઠો હતો તેની સામું રૂપીએ સરાગ દ્રષ્ટિએ જોયું. તે મંત્રીએ પણ તેના ચિત્તનો અભિપ્રાય જાણી લીધો; એટલે શીલભંગથી ભીરુ મંત્રી ગુપ્ત રીતે નગરની બહાર નીકળી ગયો અને વિચારસાર નામના કોઈ બીજા રાજાનો સેવક થઈને રહ્યો. એકદા તે રાજાએ મંત્રીને પૂછ્યું કે, “તેં પ્રથમ જે રાજાની સેવા કરી હતી તેનું નામ તથા તારું કુળ, જાતિ, નગર વગેરે કહે.” મંત્રીએ કહ્યું કે, “મેં જે રાજાની પ્રથમ સેવા કરી હતી તેની આ મુદ્રા જુઓ. બાકી તેનું નામ તો ભોજન કર્યા પહેલાં લેવું યોગ્ય નથી; કેમકે જો ભોજન અગાઉ તેનું નામ લેવામાં આવે તો તે દિવસ અન્ન વિનાનો જાય છે.” તે સાંભળીને રાજા વિસ્મય પામ્યો, એટલે તરત જ સભામાં ભોજનસામગ્રી મંગાવી, હાથમાં કવળ લઈને મંત્રીને કહ્યું કે, “હવે તે રાજાનું નામ લે.” જ્યારે મંત્રીએ “રૂપી રાજા' એ પ્રમાણે નામ કહ્યું કે તરત જ “શત્રુરાજાએ આપના નગરને ઘેરો ઘાલ્યો છે” એ વાક્ય રાજાએ સાંભળ્યું. તત્કાળ કવળ નાખી દઈને રાજા યુદ્ધ કરવા ગયો. પરસ્પર મોટું યુદ્ધ ચાલ્યું. તે વખતે યુદ્ધનું નિવારણ કરવા માટે શીલસન્નાહ પણ ત્યાં ગયો. તેને મારવા માટે શત્રુના સુભટો તેની સન્મુખ આવ્યા. તેમને શાસનદેવીએ ખંભિત કર્યા, અને આકાશવાણી કરી કે, “નમોસ્તુ શાસન્નાહાય બ્રહ્મવર્ધરતી” બ્રહ્મચર્યમાં આસક્ત એવા શીલસન્નાહને નમસ્કાર છે” એમ બોલીને દેવતાઓએ શીલસન્નાહ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. શીલસન્નાહ તે વાક્ય સાંભળીને વિચાર કરવા લાગ્યો, એટલે તરત જ તેને જાતિસ્મરણ થયું. અને અવધિજ્ઞાન પણ પ્રાપ્ત થયું. તત્કાળ તેણે પંચમુષ્ટિ લોચ કરી ચારિત્ર અંગીકાર કર્યું. પછી તે મુનિના ઉપદેશથી તે બન્ને રાજાઓ બોધ પામી યુદ્ધથી નિવૃત્ત થયા. પૂર્વભવમાં શીલસન્નાહ મુનિ સાવદ્ય વચન બોલ્યા હતા, તેથી તેના પ્રાયશ્ચિત્ત માટે તેમણે મૌનવ્રત ઘારણ કર્યું. ૧.ઘર્મદેશનાદિ શુભ નિમિત્ત વિના ન બોલવું એ પ્રમાણેનું મૌનવ્રત જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy