SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૦ કાળી સાધ્વી મલ પરિષહ સહન કરવાને અસમર્થ થઈ સતી હાથ, પગ, મુખ, મસ્તક, સ્તનાંતર, કક્ષાંતર, ગુહ્યાંતર વગેરે અવયવો જળથી ઘોવા લાગી, અને જે ઠેકાણે બેસીને સ્વાધ્યાય કરે ત્યાં પ્રથમ જળવડે પૃથ્વીને શુદ્ધ કરવા લાગી. તે સર્વ જોઈને મહત્તરાએ તેને શિખામણ આપી કે, સાધુ સાધ્વીને દેહાદિકની જળવડે શુદ્ધિ કરવી ઘટતી નથી, માટે તેનું તું પ્રાયશ્ચિત્ત લે.” તે સાંભળીને કાળી સાધ્વી મૌન રહી સતી વિચારવા લાગી કે, “મારે આવી રીતે પરાધીનપણે અહીં રહેવું યોગ્ય નથી.” પછી તે જુદા ઉપાશ્રયમાં જઈને રહી. ત્યાં અંકુશ રહિત થવાથી સ્વચ્છંદપણે જળવડે અંગની શુદ્ધિ કરવા લાગી. એ પ્રમાણે ઘણાં વર્ષો સુધી ચારિત્રનું પાલન કરીને પ્રાંતે તે પાપની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના પંદર દિવસના અનશનથી કાળ કરીને અઢી પલ્યોપમના આયુષ્યવાળી અસુરકુમાર નિકાયમાં દેવી થઈ છે; ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે. છેદસૂત્ર વગેરે શાસ્ત્રોમાં બહુશ્રુત આચાર્યોએ અનેક વિચારથી ગર્ભિત આ પ્રાયશ્ચિત્ત તપનું વર્ણન કરેલું છે, તેથી તે તપનો તાત્કાલિક સ્વીકાર કરીને પાપની આલોચના લેવી, પણ શુભને ઇચ્છનારા પુરુષોએ મૃતથી વ્યતિરિક્ત કાંઈ પણ બોલવું નહીં.” વ્યાખ્યાન ૨૯૧ ધર્મકર્મમાં દંભ અકર્તવ્ય હવે ઘર્મકર્મમાં દંભનો ત્યાગ કરવા વિષે કહે છે दंभतो नन्वयत्नेन, तपोऽनुष्ठानमादृतम् । तत्सर्वं निष्फलं ज्ञेयमूषरक्षेत्रवर्षणम् ॥१॥ ભાવાર્થ-“તપ અનુષ્ઠાનાદિ નિશ્ચયે જો અયતનાવડે અને દંભથી કરવામાં આવે તો તે સર્વ ઊખર જમીનમાં વૃષ્ટિની જેમ નિષ્ફળ જાણવાં.” તે ઉપર સુસિરિની કથા છે તે આ પ્રમાણે– સુરસિરિની કથા અવત્તિ નગરી પાસે શબુક નામના ખેટને વિષે સુજ્જશિવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે દરિદ્રી અને નિર્દય હતો. તેની સ્ત્રી યજ્ઞયશા અન્યદા ગર્ભવતી થઈ. પ્રસૂતિ સમયે પ્રસવની વેદનાથી તે મરી ગઈ. તેણે એક કન્યાને જન્મ આપ્યો હતો. તેનું નામ સુજસિરિ રાખ્યું હતું. આ સુજસિરિનો જીવ પૂર્વભવે કોઈ રાજાની રાણી હતો. તે રાણીએ પોતાની શોકના પુત્રને મારી નાંખવાનો વિચાર કર્યો હતો, તેથી આ ભવે તેની માતા જન્મતાં જ મૃત્યુ પામી. અનુક્રમે તે પુત્રી આઠ વર્ષની થઈ તેવામાં બાર વર્ષનો દુષ્કાળ પડ્યો; એટલે આજીવિકા માટે તે સુશિવ બ્રાહ્મણ પુત્રીને લઈને પરદેશ ચાલ્યો. માર્ગે જતાં કોઈ ગામમાં ગોવિંદ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને ઘેર તેણે સુજસિરિને વેચી દીધી. અનુક્રમે તે ગોવિંદ પણ નિર્ધન થયો. એકદા તેને ઘેર કોઈ મહિયારી ગોરસ વેચવા આવી. તેની પાસેથી ગોવિંદની સ્ત્રીએ ચોખાને બદલે ગોરસ લીધું અને ચોખા લાવવાને માટે સુજસિરિને ઘરમાં મોકલી. તે ઘરમાં જઈ આમ-તેમ જોઈને પાછી આવી અને બોલી કે, “ચોખા ક્યાં છે? મેં તો ક્યાંય જોયા નહીં.” તે સાંભળીને ગોવિંદની સ્ત્રી પોતે ઘરમાં ગઈ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy