SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૯૦] ગુણવ્રત તથા શિક્ષાવ્રતના પ્રાયશ્ચિત્ત અઠીંગીને બેસે, ગમનાગમન ન આલોવે, વસતિને પ્રમાર્યા વિના સક્ઝાય કરે, કેવળ કામળી જ પહેરે, જળ, અગ્નિ, વીજળી અને પૃથ્વીકાયનો સંઘટ્ટ કરે, ઇત્યાદિકના પ્રાયશ્ચિત્ત બદલ પ્રત્યેક જઘન્યથી પણ નીવીની આલોયણા આવે છે. કાજો ઉદ્ધરે નહીં અથવા બેઠા બેઠા પ્રતિક્રમણ કરે તો જઘન્ય એક પુરિમઢ, અને ઉત્કૃષ્ટ એકાસણું. પૌષઘમાં વમન થયું હોય, કારણ વિના દિવસે શયન કર્યું હોય અને જમ્યા પછી વાંદણાં ન દીધાં હોય તો પ્રત્યેકે એક એક આયંબિલ. મુખવસ્ત્રિકાના સંઘટ્ટમાં એક નીવિ, મુખવસ્ત્રિકા ખોવાઈ ગઈ હોય તો એક ઉપવાસ, રજોહરણના સંઘટ્ટમાં એક આંબિલ અને રજોહરણ ખોવાઈ જાય તો એક અઠ્ઠમ. આ પ્રમાણે પૌષઘની આલોચના સાંભળીને ભવ્ય જીવોએ ઉનાળાની ઋતુમાં તૃષાથી પીડાયા છતાં પણ જળની ઇચ્છા માત્ર કરવી નહીં. કદાચ ઇચ્છા ઉત્પન્ન થઈ જાય તો તત્કાળ તેની આલોચના લેવી, નહીં તો નંદ મણિકાર શ્રાવકની જેમ મોટું દુઃખ પ્રાપ્ત થાય છે. અતિથિ સંવિભાગનો નિયમ લીધો હોય તો તે નિયમ ન પાળવાથી અથવા ભાંગવાથી એક ઉપવાસ, અને તેના અતિચારમાં એક આયંબિલ. સાધુને અશુદ્ધ આહાર આપીને તેની આલોચના ન કરે તો તે નાગશ્રી વગેરેની જેમ ભવપરંપરાને પામે છે. માટે કદાચિત્ મુનિને અયોગ્ય આહાર અપાયો હોય તો તેની તરત જ આલોયણા લેવી (પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું.) તપસ્વી સાધુને દેરાના ચોખાની રાંઘેલી ખીર વહોરાવનારા શ્રીમંત શ્રાવકની જેમ. હવે પ્રસંગોપાત્ત બીજાં પણ કેટલાક પ્રાયશ્ચિત્ત કહે છે. આપઘાત કરવાનું ચિંતવન કર્યું હોય તો એક ઉપવાસ, નિયાણું કરે તો એક ઉપવાસ, કદાચ નિયાણું કર્યું હોય તો તરત જ તેની આલોચના લઈ લેવી. દ્રૌપદીના જીવે સુકુમાલિકાના ભાવમાં પાંચ પુરુષોથી સેવાતી એક વેશ્યાને જોઈને નિયાણું કર્યું હતું. તે પાપની આલોચના કરી નહીં તો તેથી અનેક પ્રકારની વ્યથાને પામી હતી. ગભર્વતી સ્ત્રીને આઠ માસ થાય ત્યાં સુધી સાઘુએ તેના હાથથી આહાર ગ્રહણ કરવો; જો નવમે માસે ગ્રહણ કરે તો તેને એક આયંબિલનું પ્રાયશ્ચિત્ત આવે. એકાસણા વગેરે તપનો ભંગ થયો હોય તો તેના પ્રાયશ્ચિત્તમાં તે જ (એકાસણું વગેરે) તપ આપવું અથવા તે તપનો જેટલો સ્વાધ્યાય હોય તે આપવો. આ પ્રમાણે આલોચનાનું વર્ણન આચાર્ય મહારાજે કહેલું છે. તે સાંભળ્યા છતાં પણ જે તેનો આદર ન કરે તે હીન ગતિને પ્રાપ્ત થાય છે. એકદા રાજગૃહી નગરીમાં શ્રી વીરસ્વામીને વાંદીને શ્રેણિક રાજા સહિત સર્વ સભા બેઠી હતી, તે વખતે ચમરેન્દ્રની અગ્રમહિષી કાલી નામની દેવી સર્વ ઋદ્ધિ સહિત પ્રભુ પાસે આવી નમીને સૂર્યાભદેવની જેમ નૃત્ય કરી પોતાને સ્થાને ગઈ. પછી તે દેવીના પૂર્વભવનું વૃત્તાંત ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું, એટલે ભગવાન બોલ્યા કે, “આમલકલ્પ નગરમાં કાળ નામના ગૃહસ્થની પુત્રી કાળી નામે કુમારિકા હતી. તેણે માબાપની રજા લઈને શ્રી પાર્શ્વનાથ સ્વામી પાસે દીક્ષા લીધી. પ્રભુએ તેને પુષ્પચૂલા નામની સાથ્વીને શિષ્યા તરીકે સોંપી. પછી તે કાળી સાથ્વી તેમની પાસે સામાયિક વગેરે અગિયાર અંગનું અધ્યયન કરીને સંયમ તપવડે પોતાના આત્માને ભાવવા લાગી. અન્યદા તે * એક ઉપવાસના બદલામાં ૨૦૦૦ સ્વાધ્યાય અપાય છે તે પ્રમાણે સમજી લેવું. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy