SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૦ તે સાંભળીને સૂરિ બોલ્યા કે,“મેં ક્ષુઘાની પીડાથી આવું જલ્પન કર્યું છે, તેથી મને તેનો મિથ્યા દુષ્કૃત હો.’’ એ પ્રમાણે નિષ્કપટપણે સર્વેની સમક્ષ પોતાનું પાપ આલોચીને સૂરિએ ચિત્ત દૃઢ કર્યું. પછી પ્રાતઃકાળે પણ પોરસીનું પચખાણ કરીને ત્યાર પછી પારણું કર્યું.'' ૨૦ બીજા ગુણવ્રતની આલોચના આ પ્રમાણે છે—શત્રુનો ધાત, રાજાપણાની પ્રાપ્તિ, ગામનો ઘાત, અગ્નિ લગાડવાની વૃત્તિ અને હું વિદ્યાધર થાઉં તો ઠીક એવી ઇચ્છા ઇત્યાદિ દુર્ધ્યાન કર્યું હોય, “બળદોને દમન કરો, ખેતર ખેડો, ઘોડાઓને કેળવો, ગાડાં હાંકો' ઇત્યાદિ પાપકર્મનો ઉપદેશ કર્યો હોય તો જઘન્યથી એક ઉપવાસ, અને અહંકારથી તેમ કર્યું હોય તો દશ ઉપવાસ. ઢંઢણ ઋષિનો જીવ જે પૂર્વ ભવે પુરોહિત હતો, તેણે પોતાના ખેતરમાં ૫૦૦ હળવડે એકેક ચાસ વધારે ખેડાવ્યો હતો અને તેથી દોઢ હજાર॰ પ્રાણીઓને ભોજનનો અંતરાય થયો હતો, તે પાપની આલોચના કરી નહીં, તેથી મુનિના ભવમાં તેમને છ મહિના સુધી નિર્દોષ આહાર મળ્યો ન હતો. હળ, યંત્ર, ઉખળ (ખાંડણીઓ), મુશળ (સાંબેલું), ઘંટી, ઘાણી વગેરે હિંસા થાય તેવી વસ્તુ આપવાથી તથા જિનચૈત્યમાં વિલાસાદિક કરવાથી જઘન્ય એક ઉપવાસ અને દર્પથી કરે તો દર્શ ઉપવાસ. કામણ, વશીકરણ વગેરે કરવાથી દશ ઉપવાસ. સરોવર, દ્રહ, તળાવ વગેરે જળાશયોનું શોષણ કરાવવાથી અને દાવાનળ લગાડવાથી દશ ઉપવાસ. કોઈ સ્થાનકે એકસો ને આઠ ઉપવાસ પણ કહેલા છે. પહેલા શિક્ષાવ્રતમાં સામાયિક કરવાનો નિયમ હોય અને ન કરે તો એક ઉપવાસ ગંઠિ સહિત, સામાયિકનો ભંગ થયો હોય તો એક નીવિ, પર્વતિથિએ આરંભની જયણા ન કરે તો એક પુરિમટ્ઠ, સામાયિકમાં બાદર અકાય પૃથ્વીકાય અને તેજસ્કાયનો સ્પર્શ થાય તો એક આંબિલ, સામાયિકમાં ભીના વસ્ત્રનો સ્પર્શ થાય તો એક પુરિમટ્ટુ, લીલાં તૃણાદિક તથા બીજાદિકનું મર્દન કરે તો એક આયંબિલ, પુરુષને સ્ત્રીનો સ્પર્શ થાય અથવા સ્ત્રીને પુરુષનો સ્પર્શ થાય તો એક આયંબિલ, આંતરા પૂર્વક સ્પર્શ થાય તો એક નીવિ, તેમના વસ્ત્ર વગેરેનો સ્પર્શ થાય તો એક પુરિમટ્ઠ, સૂતાં સૂતાં રાજકથા કરે તો એક પુરિમટ્ઠ, સાધુને સ્રીનો સ્પર્શ થાય તો જઘન્યથી એક પુરિમટ્ઠ, મધ્યમ એકાસણું અને ઉત્કૃષ્ટ એક આયંબિલ, સર્વ અંગનો સ્પર્શ થયો હોય તો દશ ઉપવાસની આલોયણા આવે છે. સાવદ્ય સૂરિએ સાધ્વીના વસ્ત્રનો સંઘટ્ટ થયા છતાં તે પાપની આલોચના કરી નહીં, તેથી તે અનન્ત દુઃખ પામ્યા; માટે તત્કાળ તેની આલોચના કરવી કે જેથી અલ્પ તપવડે તે કર્મથી નિવૃત્તિ થાય. દેશાવકાશિક નામના દશમા વ્રતનો ભંગ થાય અથવા તેમાં અતિચાર લાગે તો એક આયંબિલની આલોયણા આવે છે. કાકજંઘ રાજાની જેમ અવશ્ય એનું પ્રાયશ્ચિત્ત લઈ લેવું. અગિયારમા વ્રતમાં લીધેલા નિયમનો ભંગ કરે અથવા બરાબર નિયમ પાળે નહીં તો એક ઉપવાસ, અને અતિચાર લાગે તો એક આંબિલ, તેમજ ત્રાવસ્તી નિસ્સિદ્દી બરાબર ન કહે, ઉચ્ચાર અને પ્રસ્રવણની ભૂમિને ન પ્રમાએઁ, પ્રમાર્ષ્યા વિના કાંઈ પણ વસ્તુ ગ્રહણ કરે, અવિધિએ બારણાં ઉઘાડે અથવા બંઘ કરે, શરીરને પ્રમાર્ઝા વિના ખજવાળે, ભીંત પૂંજ્યા વિના તેને ૧. પાંચસો હળ ખેડનારા ૧૦૦૦ બળદ ને તેને હાંકનારા ૫૦૦ માણસો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy