SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ 264 શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ 5 [સ્તંભ 24 તું ગૃહસ્થાશ્રમમાં ચિરકાળ રહે.” તે સાંભળીને કુમારે કહ્યું કે “હે બહેન! આ જીવિત દર્ભના અગ્રભાગ પર રહેલા જળબિંદુ સમાન છે, લક્ષ્મી પણ કુલટા સ્ત્રી જેવી છે, ઇશુના અગ્ર ભાગ જેવું યૌવન પણ નીરસ છે, અને નાટકના સમય જેવો આ સ્વજનનો સંબંઘ પણ ક્ષણિક છે. મારી બાલ્યાવસ્થા જશે, અને યૌવન લક્ષ્મી મારા શરીરને શોભાવશે, અને પછી અમાત્યની જેમ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે” એવું (ચોક્કસ) કોણ જાણી શકે છે?” આ પ્રમાણે અનેક યુક્તિથી ઉત્તર પ્રત્યુત્તર કરવા વડે ઢાંત થયેલા સ્વજનોએ તેમને દીક્ષા લેવાની રજા આપી. એટલે સં. 1596 ના કાર્તિક કૃષ્ણ દ્વિતીયાને દિવસે ગુરુ પાસે તેમણે દીક્ષા ગ્રહણ કરી. ગુરુએ તેનું હીરહર્ષ એવું નામ પાડ્યું. ગુરુ પાસે અભ્યાસ કરીને તેઓ જૈનઘર્મ સંબંઘી સર્વ શાસ્ત્રમાં નિપુણ થયા. પછી પરદેશની ભાષા તથા પરઘર્મના શાસ્ત્રો જાણવાની ઇચ્છાથી તેઓ દક્ષિણ દેશમાં ગયા. તે દેશમાં શ્રી માણિક્યનાથ ઋષભદેવ વિરાજે છે, તથા ત્યાં અંતરિક્ષ પાર્શ્વદેવ પણ છે. તે અંતરિક્ષ નામના પાર્શ્વદેવ જમીનથી ઊંચા રહેલા હોવાથી જાણે ભવ્ય પ્રાણીઓનો મહા ઉદય કરવાના હેતુથી જ ઊંચા રહ્યા હોય નહીં એમ જણાવતા હતા. વળી કરડેટક ગામમાં મોટા પ્રભાવવાળા કરહેટક નામના પાર્શ્વનાથ સ્વામી બિરાજે છે. જે દિશામાં તેઓ રહેલા છે તે સ્થાનને તે પ્રભુની જ વાંછાથી જાણે હોય નહીં તેમ શેષનાગ કદાપિ તજતો નહીં, તેમજ જાણે આ પાર્શ્વનાથ દેવોના પણ દેવ છે એમ કહેવાને માટે જ આવતી હોય તેમ વસંત વગેરે ઋતુઓ વૈભવ સહિત પ્રતિવર્ષે આવીને તે પ્રભુની સેવા કરતી હતી. વળી તે દેશમાં સોપારક નામના પુરમાં જાણે ભરતચક્રીના પુણ્યનિધિ હોય તેવા જીવિતસ્વામી શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિમા બિરાજમાન છે. એ દેશમાં દેવગિરિ નામના કિલ્લામાં શહેરમાં) કોઈ બ્રાહ્મણ પાસે તર્કશાસ્ત્રાદિકનો અભ્યાસ કરીને શ્રી હરમુનિ ગુરુ પાસે આવ્યા. ગુરુએ તત્કાળ તેમને વાચક (ઉપાધ્યાય) પદ આપ્યું. પછી ગુરુએ સૂરિમંત્રના અધિષ્ઠાયિક દેવતાની આજ્ઞાથી સંવત 16 10 ના પોષ શુક્લ પંચમીને દિવસે હીરહર્ષમુનિને સૂરિપદે સ્થાપન કર્યા. પછી ગુરુ અન્યત્ર વિહાર કરવા લાગ્યા. અહીં અકબર બાદશાહની સભામાં અનેક જાતિના લોકો આવીને બેઠેલા હતા, તે વખતે સૌએ પોતપોતાના ઘર્મનું વર્ણન કર્યું, તેમાં એક વિદ્વાન પુરુષે શ્રી હીરસૂરિની પ્રશંસા કરી કે “હે બાદશાહ! જેમ સર્વ રાજાઓમાં આપ મુકુટ સમાન છો, તેમ સર્વ દર્શનોમાં અદ્વિતીય વિદ્વાન અને સર્વ ઘાર્મિકોમાં મુકુટ સમાન એક હીરવિજયસૂરિ જ છે. આ પ્રમાણેની તેમની પ્રશંસા સાંભળીને બાદશાહે બે દૂતોને વિજ્ઞપ્તિયુક્ત ફરમાન આપીને લાટદેશમાં ગાંઘાર નામના બંદરે જ્યાં હીરસૂરિ બિરાજમાન હતા ત્યાં તેમને બોલાવવા માટે મોકલ્યા. તે દૂતોએ ત્યાં જઈને જેના ચરણકમળની સેવા સર્વ સંઘ કરી રહેલા હતા એવા હીરગુરુના ચરણકમળમાં તે ફરમાન મૂક્યું. તે દૂતે કરેલી વિજ્ઞતિ સાંભળીને શ્રાવકોએ પણ વિનંતિપૂર્વક કહ્યું કે “હે ગુરુ મહારાજ! જેમ કેશીગણઘરે પ્રદેશ રાજાને બોઘ પમાડ્યો હતો, તેમ આપ પણ અકબર બાદશાહને બોઘ પમાડજો, આપના જેવા મહાત્મા પુરુષો વિશ્વના ઉપકારને માટે જ યત્ન કરે છે. શું મેઘ સર્વ જગતને જિવાડતો નથી? વળી જેમ પારઘી વનમાં ના અનેક પ્રાણીઓને હણીને વનને નિઃસત્ત્વ (પ્રાણી રહિત) કરી નાખે 1 હું પ્રભુના પદને (મોક્ષને) પામું એવી ઇચ્છાથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy