SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન 359] શ્રી હીરવિજયસૂરિનું સંક્ષિપ્ત ચરિત્ર 263 સૌભાગ્યસૂરિ થયા. તેમના પ્રભાવથી ગુણરત્નના પાત્ર સમાન સ્યાદ્વાદ તત્ત્વ અમારી સમીપે આવ્યું. અર્થાત્ અમને સ્યાદ્વાદ તત્ત્વની પ્રાપ્તિ થઈ. તે વિજયસૌભાગ્ય ગુરુના પટ્ટપર શ્રી વિજયલક્ષ્મી સૂરિ થયા. તેમણે આ સુખને આપનારી ગુરુ પટ્ટાવળી હર્ષથી લખી છે. મારા ગુરુના શિષ્ય ગુણવાન અને વૈર્યવાન એવા જયવંત શ્રી પ્રેમવિજય નામના મારા ગુરુભાઈને માટે આ ઉદ્યમ મેં કરેલો છે. વ્યાખ્યાન ૩પ૯ શ્રી હીરવિજયસૂરિનું સંક્ષિપ્ત ચરિત્ર वैराग्यपूर्णहृदया-स्त्यक्तमूर्छा जगृहुश्चारित्रं / सुविहितसाधुप्रभवः, श्रीहीरविजयसूरीन्द्राः॥४॥ ભાવાર્થ-“વૈરાગ્યથી પૂર્ણ હૃદયવાળા સુવિહિત મુનિના ગુરુ શ્રી હીરવિજયસૂરિએ મૂછનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી હતી.” શ્રી ગુર્જર દેશમાં તારંગગિરિ વગેરે તીર્થો છે. તેમાં કૈલાસ પર્વત જેવા ઊંચા તારંગગિરિ ઉપર કોટિશિલા છે. તે શિલા જાણે મુક્તિરૂપી સ્ત્રીના પાણિગ્રહણમાં કરોડો મુનિઓને માટે રચેલી સ્વયંવરની ભૂમિ હોય તેવી શોભે છે. વળી તે દેશમાં જાણે વિઘાતાએ જગતના લોકોનો મનોરથ સિદ્ધ કરવા માટે મેરુપર્વત ઉપરથી કલ્પવૃક્ષને લાવીને સ્થાપન કરેલ હોય તેમ નાગેન્દ્રથી સેવાતા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ વિરાજે છે. આ પાર્શ્વનાથના બિંબનું પ્રથમ નમિ અને વિનમિ નામના વિદ્યાધર રાજાએ અર્ચન કર્યું હતું; ત્યાર પછી જાણે પોતાના સ્થાનની સ્થિરતા માટે જ હોય તેમ સ્વર્ગમાં ઇન્દ્ર પૂજા કરી હતી. પછી ઇન્દ્ર તે બિંબને ઉશ્ચંત (ગિરનાર) ગિરિ પર મૂક્યું હતું. ત્યાંથી લઈને સૂર્ય તથા ચંદ્ર પોતાના સ્થાનમાં રાખીને અર્ચન કર્યું હતું. તેમણે પાછું ગિરનારના શૃંગ ઉપર સ્થાપન કર્યું હતું. ત્યાંથી ઘરોંદ્ર પોતાના ઘામમાં લઈ ગયા હતા. ત્યાર પછી શ્રી નેમિનાથના વચનથી શ્રીકૃષ્ણ તે બિંબને લાવ્યા હતા. વળી તે દેશમાં ખંભાત નગરમાં જેનો અપૂર્વ મહિમા છે અને જે બિંબના પ્રભાવથી ઘવંતરીની જેમ શ્રી અભયદેવસૂરિનો કુષ્ઠ રોગ નાશ પામ્યો હતો એવા સ્તંભન પાર્શ્વનાથ વિરાજે છે. આ પ્રમાણે અનેક પુણ્યનાં સ્થાનો જેમાં રહેલાં છે એવા તે ગુજરાત દેશમાં શ્રી પ્રદ્વાદનપુર (પાલનપુર) નામે નગર છે. તેમાં ઓસવાળવંશી કુરાશાહ નામે શેઠ હતા. તેને નાથી નામની પત્ની હતી. તેણે સંવત 1583 ના માર્ગશીર્ષ માસની શુક્લ નવમીને દિવસે ગજના સ્વપ્નથી સૂચિત હીરકુમાર નામના પુત્રને જન્મ આપ્યો હતો. તે કુમાર ક્રમે કરીને વૃદ્ધિ પામતાં યુવાવસ્થા પામ્યો. એકદા તે કુમારે શ્રી વિજયદાન સૂરિના મુખથી દેશના સાંભળી કે, “જીવિત સંધ્યાના રંગ જેવું ચપળ છે, નદીના વેગ જેવું યૌવન અસ્થિર છે, અને લક્ષ્મી વિદ્યુતના જેવી ક્ષણિક છે, માટે હે ભવ્ય પ્રાણીઓ! નિરંતર જિનઘર્મનું સેવન કરવામાં ત્વરા કરો.” આ પ્રમાણેની દેશના સાંભળીને હીરકુમાર હર્ષ પામી પોતાને ઘેર ગયો. પછી અનુક્રમે પોતાના માતા પિતા સ્વર્ગે ગયા, ત્યારે કુમારે વિમલા નામની પોતાની બહેન પાસે દીક્ષાની રજા માગી. તે સાંભળીને બહેન બોલી કે “હે ભાઈ! તું વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેજે. હાલ તો તારી સ્ત્રીના મુખામૃતનું પાન કરવા વડે મારા નેત્રરૂપ ચકોર પક્ષીને આહ્વાદ આપવા માટે ચંદ્ર જેવો થઈને ચપળતા તજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy