SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન 359] શ્રી હીરવિજયસૂરિનું સંક્ષિપ્ત ચરિત્ર 265 છે, વળી સર્વ દ્રષાવર્ગને જીતી લઈને નિ:સત્ત્વ (સત્ત્વ રહિત) કરી નાખનાર શ્રી હેમચંદ્રસૂરિએ જેમ કુમારપાળ રાજાને બોઘ પમાડ્યો હતો, તેમ આપ અકબર રાજાને બોઘ પમાડજો.” આ પ્રમાણેની શ્રી સંઘની વિનંતી સાંભળીને ગુરુ ત્યાંથી વિહાર કરી રાજનગર (અમદાવાદ) સમીપ આવ્યા; એટલે ત્યાંના અધિકારી સાહિબખાને અત્યંત આદર અને ભક્તિપૂર્વક ગુરુને પોતાની રાજધાનીમાં લઈ જઈને તેમની પાસે ઘણા ઘોડાઓ, હસ્તીઓ, રથો, મ્યાનાઓ, પાલખીઓ વગેરે ભેટ કરી. પછી વિનંતી કરી કે “હે સ્વામી! અકબર બાદશાહના હુકમથી આ ભેટ હું આપને કરું છું માટે તે ગ્રહણ કરો. બાદશાહે મને કહેવરાવ્યું છે કે સૂરીશ્વર શ્રી હીરવિજય ગુરુને ઘન, રથ, અશ્વ, હસ્તી વગેરે આપીને તેમના મનોરથ પૂર્ણ કરી તેમને મારા તરફ મોકલવા. માટે હે સ્વામી! આ આપને માટે આવેલી થાપણની જેમ મારાથી અપાતું ગ્રહણ કરો.” તે સાંભળીને સૂરિ બોલ્યા કે “અમે નિષ્પરિગ્રહી છીએ, અમે હમેશાં ઉપાનહ પણ પહેર્યા વિના પગે ચાલવાને જ યોગ્ય છીએ, તેથી એ સર્વ અમારે કાંઈ કામનું નથી.” એમ કહી સૂરિ વિહાર કરતા આબુગિરિ આવ્યા. - ત્યાં ગુરુએ વિમલમંત્રીએ કરાવેલી વિમલવસહી જોઈ. તે વસહી (જિનચૈત્ય) આરસ પથ્થરની હોવાથી શ્વેત હતી, તેમાં અનેક શ્વેત હાથીઓ અને શ્વેત અશ્વો હતા, તથા સુઘા સરખી શોભાયમાન હતી, અને તે વસહીને મધ્યભાગ શ્રી જિનેશ્વરે પવિત્ર કરેલો હતો, તેથી તે વસ્તી જાણે ક્ષીરસમુદ્રની સખી હોય તેવી જણાતી હતી; કેમકે ક્ષીરસાગર દૂઘનો હોવાથી શ્વેત છે, શ્વેત ઐરાવત હાથી, શ્વેત ઉચ્ચ શ્રવા અશ્વ અને સુઘા (અમૃત) તેમાંથી નીકળ્યાં છે એમ કહેવાય છે, તથા જિન એટલે વિષ્ણુએ તેનો મધ્યભાગ પવિત્ર કરેલો કહેવાય છે. ત્યાર પછી તે યતીન્દ્ર વસ્તુપાલે કરાવેલી વસ્તીના ચૈત્યને જોયું. ત્યાં ગિરનાર પર્વતની જેમ આબુપર્વતને પણ પવિત્ર કરવાની ઇચ્છાથી જ જાણે આવ્યા હોય એવા નયનને આનંદ કરનારા શિવારાણીના પુત્ર શ્રી નેમિનાથને વંદના કરી. ત્યાંથી ચાલતાં માર્ગમાં જાણે ઘર્મનું પ્રપાસ્થાન (પરબ) હોય તેવા અને જેણે અમૃત (મોક્ષ) ની લક્ષ્મી ઘારણ કરી છે એવા કુમારપાળ રાજાએ કરાવેલા ચૈત્યને નમીને તે મુનીન્દ્ર અચલગઢમાં આવી ચતુર્મુખ શ્રી ઋષભસ્વામીને વંદના કરી. ત્યાંથી રાણકપુર આવીને નલિની ગુલ્મ વિમાનના આકારવાળા ઘનાશાહે કરાવેલા ચૈત્યને વંદના કરી. તે ચૈત્યમાં જાણે પ્રાણીઓને ચારગતિની પીડારૂપ મોટા અંઘકૂપમાંથી ઉદ્ધાર કરવાની ઇચ્છાથી જ હોય નહીં એમ ચાર મૂર્તિને ઘારણ કરતા શ્રી યુગાદિદેવના દર્શન કર્યા. ત્યાંથી મેડતા નગર સમીપે આવીને શ્રી ફળવર્થિ પાર્શ્વનાથને વંદના કરી. આ પ્રતિમા વિષે એવું સંભળાય છે કે આ બિંબની પાસે બીજી કોઈ જિનપ્રતિમા રહી શકતી નથી, તેથી તે પ્રતિમા એકલી જ છે. તે પ્રભુ જાણે એમ ઘારતા હોય કે હું એકલો જ–બીજાની અપેક્ષા રાખ્યા વિના ત્રણ જગતના જીવોના મનોરથ પરિપૂર્ણ કરું એવો છું, તેથી બીજાની જરૂર નથી. એવી રીતે પોતાના મનમાં અહંકાર લાવીને તે પ્રભુ એકલા જ રહેલા હોય નહીં? વળી તે ફળવર્ધિ પાર્શ્વનાથના દ્વારને બારણાં રહેતાં નહીં. કદાચ કોઈ માણસ તે દ્વાર ઉપર બારણાં ચઢાવતા તો પ્રાતઃકાળે તે પ્રાસાદથી બે કોસ દૂર જઈને પડતા, ત્યાં રહેતા નહીં. સૂરિ ત્યાંથી વિહાર કરીને ફતેહપુરની સમીપે આવ્યા. ત્યાંનો રાજા થાનસિંહ બાદશાહનો સેવક હતો, તથા અમીપાળ નામે બાદશાહનો સેવક પણ ત્યાં હતો. તે હમેશાં બાદશાહને નાળિયેરની ભેટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy