SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૪ જેવા આઠ સૂરીન્દ્રો થયા. આ સૂરિએ મોટા વટવૃક્ષની નીચે આઠ મુનિઓને સૂરિપદ આપ્યું હતું. તેથી તેમના વખતથી આ ગચ્છનું વડગચ્છ અથવા બૃહદ્ગચ્છ એવું પાંચમું નામ પડ્યું. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર જેમણે પોતાના માહાત્મ્ય વડે સર્વ દેવોને નમ્ર કરેલા છે એવા સર્વદેવ નામના આચાર્ય થયા, કે જે તારાની શ્રેણી વડે ચંદ્રની જેમ ગુણોની શ્રેણી વડે આશ્રય કરાયેલા હતા. ત્યાર પછી તેના પટ્ટ ઉપર ગોને વિષે નિવાસ કરનાર, રંગૌરવ વડે શોભાવાળા, વાણીના અધિપતિ અને વિબુઘોએ સેવાતા એવા દેવસૂરિ (બૃહસ્પતિ) ના જેવા શ્રીદેવસૂરિ નામના આચાર્ય થયા. ત્યાર પછી મંદિરને દીવો શોભાવે તેમ તેના પટ્ટને ઇંદોષોના ઉદયથી પ્રગટ થયેલા તમ (અજ્ઞાન અથવા પાપ) ના વિસ્તારનો નાશ કરવારૂપ વ્યાપારમાં જ તત્પર થયેલા એવા શ્રી સર્વદેવસૂરિએ શોભાવ્યું. (આ બીજા સર્વદેવસૂરિ જાણવા). ત્યાર પછી તેમના પટ્ટરૂપ આમ્રવૃક્ષને સેવનારા પોપટ અને કોયલની જેવા શ્રીમાન્ યશોભદ્રસૂરિ તથા મુનિઓને વિષે શ્રેષ્ઠ એવા શ્રી નેમિચંદ્રસૂરિ થયા. ત્યાર પછી તે બન્ને સૂરિના પટ્ટ ઉપર અનેક શાસ્ત્રોના રચનારા શ્રી મુનિચંદ્ર નામના સૂરિ થયા. વાયુની અસ્ખલિત ગતિની જેમ તેમની બુદ્ધિ કોઈ પણ શાસ્ત્રમાં સ્ખલના પામતી નહોતી. ચારિત્ર લેવાને ઇચ્છતા ચક્રવર્તી જેમ છ ખંડ પૃથ્વીનો ત્યાગ કરે તેમ આ સૂરિએ છ વિગયનો ત્યાગ કર્યો હતો. તે સૂરિ કોઈ પણ વખત પોતાના શરીર ઉપર પણ મમતા કરતા નહીં, અને હમેશાં એક જ વાર છાશની પરાશ માત્રનો આહાર કરતા હતા. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર દેવોએ ઉપસર્ગ કર્યા છતાં પણ આ કોઈ વખત જિતાય તેવા નથી, એ હેતુથી જ જાણે તેવા નામથી પૃથ્વી પર પ્રસિદ્ધ થયા હોય એમ અજિતદેવ નામના સૂરિ થયા. ત્યાર પછી જગતને પવિત્ર કરનાર દેવનદી (ગંગા)નો પ્રવાહ ચંદ્રમૌલિ (શિવ)ની જટાનો આશ્રય કરે તેમ તે અજિતદેવસૂરિના પટ્ટનો તપસ્વીઓને વિષે સિંહ સમાન અને જગતને પવિત્ર કરનાર એવા શ્રી વિજયસિંહસૂરિએ આશ્રય કર્યો. ત્યાર પછી ઇક્ષ્વાકુ વંશને શ્રી ઋષભસ્વામીના પુત્રો ભરત અને બાહુબળીએ જેમ શોભાવ્યો, તેમ તે વિજયસિંહસૂરિના પટ્ટને શ્રી સોમપ્રભ તથા શ્રી મણિરત્નસૂરિએ શોભા પમાડી. ત્યાર પછી શ્રીમગચંદ્રસૂરિ થયા. તેમણે તે બન્ને સૂરિના પટ્ટરૂપી લક્ષ્મીના તિલકની લીલાને વિસ્તારી. તે સૂરિએ જેમ રાજહંસ મેઘથી મલિન થયેલા તળાવનો ત્યાગ કરે, તેમ કળિકાળના પ્રભાવથી થયેલી ચારિત્રની શિથિલતાનો ત્યાગ કર્યો હતો. તે આચાર્ય વાદ કરવા આવેલા બત્રીશ દિગંબરાચાર્યો સાથે વાદ કરવામાં હીરકમણિ(વજ્રમણિ)ની જેમ અભેદ્ય થયા હતા, તથા આધાટ નગરના રાજાએ તેમનું હીરલાજગચંદ્રસૂરિ એવું નામ પ્રસિદ્ધ કર્યું હતું. વળી જેમ કોઈ રાજા મોટા યુદ્ધોએ કરીને શત્રુઓનો પરાભવ કર્યા પછી જિતકાશીની સંજ્ઞા પામે, તેમ તે આચાર્ય બાર વર્ષ સુધી આયંબિલનો તપ કરીને તપાનું બિરુદ પામ્યા હતા. ત્યારથી આરંભીને જેમ અત્રિૠષિના નેત્રથી ચંદ્રલેખા પ્રગટ થઈ, તેમ આ આચાર્યથી તપાગચ્છ એવું છઠ્ઠું નામ પ્રગટ થયું; અને જેમ વસંત માસથી સૂર્યની કાંતિ અધિક દેદીપ્યમાન થાય તેમ આ આચાર્યથી મુમુક્ષુ પુરુષોની લક્ષ્મી અધિક દીપ્ત થઈ. ૧ સૂરિના વિશેષણમાં ગો એટલે પૃથ્વી અને બૃહસ્પતિના વિશેષણમાં સ્વર્ગ. ૨. સૂરિના પક્ષમાં ગૌરવ એટલે માહાત્મ્ય, બીજા પક્ષમાં ઇન્દ્રાદિક દેવોને ભણાવવાથી ગુરુપણું. ૩. પહેલા પક્ષમાં પંડિતો, બીજામાં દેવો. ૪. દીવાના પક્ષમાં દોષો એટલે રાત્રિ અને તમ એટલે અંધકાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy