SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૫૭] ગુરુ પટ્ટાવળી ૨૫૯ ચિદાનંદ (આત્માનંદ)માં જ મગ્ન છે એવા શ્રી દેવાનંદસૂરિએ યુવાવસ્થા જેમ ચંદ્રમુખી સ્ત્રીને શોભા પમાડે તેમ તે જયદેવસૂરિની પટ્ટલક્ષ્મીને શોભા પમાડી. ત્યાર પછી જાણે અજ્ઞાનરૂપ અંઘકારના સૈન્યને હણવાની ઈચ્છાવાળા પરાક્રમે શરીરનો સ્વીકાર કર્યો હોય તેવા અને દેવાનંદસૂરિના પટ્ટરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્ર સમાન શ્રી વિક્રમ નામના સૂરીશ્વર થયા. ત્યાર પછી સિદ્ધાંતસમુદ્રના પારને જોનારા એવા શ્રી નરસિંહસૂરિ થયા. તેમણે જેમ સૂર્ય જગતને નિદ્રાનો ત્યાગ કરાવે તેમ એક યક્ષને માંસ ખાવાનો ત્યાગ કરાવ્યો હતો. ત્યાર પછી જેમ અમૂલ્ય માણિજ્ય અંગુલીને શોભાવે તેમ ખૂમાણ રાજાના કુળમાં દીપક સમાન સમુદ્રસૂરિ નામના આચાર્ય શ્રી નરસિંહસૂરિની પટ્ટલક્ષ્મીને અલંકૃત કરી. ત્યાર પછી તે સમુદ્રસૂરિના પટ્ટ ઉપર શ્રી માનદેવ નામના (બીજા) સૂરિ થયા, કે જેમના મુખકમળમાં વાસ કરનારી સરસ્વતી દેવી અમૃતના ભોજન વડે કંઠ સુધી તૃપ્ત થયેલી હોવાથી, આ આચાર્યના મનોહર વાવિલાસના મિષથી જાણે પીધેલા અમૃતના ઉદ્ગાર કાઢતી હોય એવો ભાસ થતો હતો. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર વિબુઘ સમાન શ્રી વિબુઘપ્રભ નામના આચાર્મેન્દ્ર થયા, જેમનાથી પરાભવ પામેલો પુષ્પરૂપ આયુઘવાળો કામદેવ ફરીથી યુદ્ધ કરવાની ઇચ્છા વડે તીક્ષ્ણ આયુઘવાળો થયો. ત્યાર પછી તેમના પટ્ટરૂપી કમળમાં હંસ સમાન શ્રીમાનું જયાનંદસૂરિ થયા, જેમના હૃદયમાં અગમ્ય મુનિની અંજલીમાં સમુદ્રની જેમ સમગ્ર સિદ્ધાંત સમાઈ ગયા હતા. ત્યાર પછી તેમના સ્થાન પર રવિપ્રભ નામના મુનીંદ્ર થયા, તેમનું મુખ ચંદ્રમાન આચરણ કરતું હતું, તેમના દાંતની કાંતિ ચંદ્રની જ્યોસ્નાનું આચરણ કરતી હતી, તેમની ભૃકુટીની વક્રતા ચંદ્રમાં રહેલી વક્રતાનું આચરણ કરતી હતી, અને વાણીનો વિલાસ અમૃત સ્ત્રવવાનું આચરણ કરતો હતો. ત્યાર પછી તે રવિપ્રભસૂરિના પટ્ટ ઉપર શ્રી યશોદેવસૂરિ થયા, તેમના વૃદ્ધિ પામતા કીર્તિરૂપી ક્ષીરસાગરે કરીને જગતમાં અહંતના મહિમાએ કરીને ઈતિઓ (ઉપદ્રવો)ની જેમ કૃષ્ણ નીલાદિક અસિત પદાર્થોએ પોતાના નામનો પણ લોપ કર્યો હતો; અર્થાત્ આ આચાર્યની કીર્તિથી સર્વ વિશ્વ શ્વેત થયું હતું, તેથી કૃષ્ણ નીલાદિક વર્ષો જોવામાં પણ આવતા નહોતા. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર અલૌકિક પ્રદ્યુમ્રદેવ (કામદેવ) સમાન પ્રદ્યુમદેવ નામે આચાર્ય થયા; કારણ કે તે આચાર્યે ભવને (સંસારને) ભેદી નાંખ્યો હતો, અને કામદેવ તો ભવથી (શિવથી) ભેદાયો હતો. વળી તે આચાર્ય રતિ (સ્ત્રી વગેરેની પ્રીતિ)નો ત્યાગ (નાશ) કર્યો હતો, અને કામદેવ તો રતિનો પતિ હોવાથી તેનો સ્વીકારનાર હતો; તે આચાર્ય મધુ (મઘ અથવા મદ્ય)થી દૂર રહેલા હતા, અને કામદેવ તો મધુ (વસંત) ના સહાયન ઇચ્છક હતો, તેમજ તે આચાર્યની મૂર્તિ સમગ્ર વિશ્વને આદર કરવા યોગ્ય મનોહર હતી, અને કામદેવ તો અનંગ હોવાથી મૂર્તિરહિત હતો; માટે તે આચાર્ય નવીન કામદેવરૂપ થયા હતા. ત્યાર પછી પોતાની કીર્તિરૂપ ચંદ્રજ્યોન્ઝા વડે જેમણે ત્રિલોકને ઘવલિત કર્યું છે એવા શ્રી માનદેવસૂરિએ પ્રભુ, મંત્ર અને ઉત્સાહ એ ત્રણ પ્રકારની શક્તિ વડે રાજાની લક્ષ્મીની જેમ તે પ્રદ્યુમ્રસૂરિના પટ્ટની લક્ષ્મીને શોભા પમાડી. (આ ત્રીજા માનદેવ સૂરિ જાણવા). ત્યાર પછી જેમના ચરણકમળમાં ઇન્દ્રો તથા ચંદ્રો ભ્રમરરૂપ થયા છે એવા વિમલચંદ્ર નામના સૂરીશ્વરથી શત્રુને તાપ પમાડનાર પ્રતાપી રાજાની જેમ તે માનદેવસૂરિનું પટ્ટ લક્ષ્મીને ભોગવતું થયું. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર કામદેવ સમાન પ્રશસ્ત રૂપવાન અને આચાર્યોને વિષે ચંદ્ર સમાન ઉદ્યોતન નામના સૂરિ વિરાજમાન થયા, કે જેના પટ્ટને ઘારણ કરનારા દિગ્ગજોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy