SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [તંભ ૨૪ કર્યો હતો. ત્યાર પછી ક્રમે કરીને જિનેશ્વરના પાદને મસ્તક વડે સ્પર્શ કરતી એવી તે દિન્નસૂરિની પટ્ટલક્ષ્મીને ધ્વજાનો સમૂહ જેમ પ્રાસાદ સમૂહને શોભાવે તેમ સિંહગિરિ નામના સૂરીશ્વરે શોભાવી. ત્યાર પછી તેમના પટ્ટને જેમ મસ્તકને માણિક્યનો મુકુટ શોભાવે તેમ અજ્ઞાન તથા પાપના સમૂહરૂપ પર્વતનું દલન કરવામાં ઇન્દ્રના વજ જેવા શ્રી વજપ્રભુ ઉત્કૃષ્ટ શોભા પમાડતા હતા. ત્યાર પછી શ્રી વજપ્રભુના પટ્ટરૂપી ઉદયાચલ પર્વતની ચૂલિકા ઉપર સૂર્ય સમાન શ્રી વજસેનસૂરિ થયા. ત્યાર પછી ચંદ્રકુળના મૂળ કારણભૂત શ્રી ચંદ્રસૂરિ થયા. અહીંથી ચંદ્રગચ્છ એવું ત્રીજું નામ થયું. ત્યાર પછી જેમ સરોવરના મધ્ય ભાગને પ્રફુલ્લિત કમળ શોભાવે તેમ તરંગિત કરુણા રસવાળા તે ચંદ્રસૂરિના પટ્ટને સામંતભદ્ર સૂરિએ શોભાવ્યું. આ સૂરિ પ્રાયે વનમાં રહેતા હતા, તેથી તેમનાથી આ ગચ્છનું વનવાસીગચ્છ એવું ચોથું નામ થયું. ત્યાર પછી સામંતસૂરિના પટ્ટ ઉપર વૃદ્ધદેવ સૂરિ થયા. તેમણે કોરટક નામના નગરમાં ભવ્ય પ્રાણીઓના નેત્રરૂપી પાંથની આજીવિકા (વિશ્રામસ્થાન) સમાન તથા પુણ્યના પાક (ઉદય)ને કરનારી જાણે સત્રશાળા (દાનશાળા) હોય તેવી શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ સ્થાપના કરી હતી. ત્યાર પછી ઔરસ પુત્ર વડે જેમ પિતાનો વંશ ઉત્કૃષ્ટ શોભા પામે તેમ વૃદ્ધદેવસૂરિ પટ્ટ ગૈલોક્યની લક્ષ્મીના તિલક સમાન શ્રી પ્રદ્યોતન નામના સૂરિ વડે ઉત્કૃષ્ટ શોભા પામ્યું. ત્યાર પછી ગંગાના તરંગ જેવો જેમનો વાગ્વિલાસ છે એવા અને બુદ્ધિથી બૃહસ્પતિને પણ જીતનારા શ્રી માનદેવસૂરિએ સભામંડપને સભ્ય જનની જેમ તે પ્રદ્યોતનસૂરિના સ્થાનને અલંકૃત કર્યું. આ શ્રી માનદેવસૂરિને આચાર્યપદ આપતી વખતે તેમના સ્કન્ધ પર સાક્ષાત્ સરસ્વતી તથા લક્ષ્મીદેવીને જોઈને “અહો! અન્યાયાદિક પ્રમાદને સેવનાર રાજાનો જેમ રાજ્યથી ભ્રશ થાય છે તેમ આ માનદેવ રાજાદિકનો સત્કાર પામીને ચારિત્રથી ભ્રષ્ટ થશે” એવી શંકાથી જેમનું મન ખેદ પામતું હતું એવા પોતાના ગુરુ શ્રી પ્રદ્યોતનસૂરિને જોઈને નરેન્દ્ર, નાગેન્દ્ર અને દેવેન્દ્રો પણ જેમની કીર્તિનું ગાન કરતા હતા એવા તે માનદેવસૂરિએ જાણે કામ ક્રોધાદિક છ અત્યંતર શત્રુને જીતવા ઇચ્છતા હોય તેમ વૃતાદિક છ વિગહનો યાવજીવિત ત્યાગ કર્યો હતો. આ સૂરિ સંઘના ઉપદ્રવનો નાશ કરવા માટે લઘુશાંતિના રચનારા જાણવા. - ત્યાર પછી તે માનદેવસૂરિના પટ્ટરૂપ આકાશમાં સૂર્ય સમાન શ્રીમાનતુંગ નામે સૂરીન્દ્ર થયા. તેમણે પૃથ્વી પરના અનેક રાજાઓને જેમ ચક્રવર્તી આજ્ઞા મનાવે તેમ સર્વ સાધુઓને પોતાની આજ્ઞા ગ્રહણ કરાવી હતી. આ સૂરિએ પોતાને બાંધેલા અડતાળીશ બંઘનોને “મર સ્તોત્ર' રચીને તે વડે તોડી નાખ્યા હતા તથા સંઘને વ્યત્તરાદિકે કરેલા ઉપસર્ગો દૂર કરવા માટે “નમિઝળ પાસુરી' ઇત્યાદિ સર્વ ભયનું હરણ કરનાર સ્તોત્ર બનાવી આપ્યું હતું. ત્યાર પછી શ્રીકૃષ્ણની જેમ શુક્લ ધ્યાનરૂપ સર્પેન્દ્ર તે રૂપ મંથનરઝુ તેના વડે અને સમતારૂપી મંદરાચળ પર્વત વડે મદરૂપી સમુદ્રનું મંથન કરીને શ્રી વીર નામના આચાર્ય તે માનતુંગસૂરિની પટ્ટલક્ષ્મીને વર્યા. ત્યાર પછી જેમણે સમગ્ર કુવાદીઓના સમૂહને દૂર કર્યા છે એવા શ્રી જયદેવસૂરિ થયા, કે જેની વાણીના વિલાસથી જેના માઘુર્યનો તિરસ્કાર થયો છે એવી સુઘા (અમૃત) જાણે ક્ષીરસાગરમાં ડૂબી ગઈ હોય નહીં શું? ત્યાર પછી સ્વર્ગની અપ્સરાઓએ જેમની કીર્તિનું ગાયન કર્યું છે અને જેમનું મન સદા ૧ જિનેશ્વરનું આદિપણું હોવાથી પરંપરા વડે આ પટ્ટ જિનેશ્વરના પાદરૂપ થયો, અને આ પટ્ટલક્ષ્મી આદિ હોવાથી તેનું મસ્તક થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy