SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૫૮] તપાગચ્છ નામ પડ્યા પછીના આચાર્યની પટ્ટાવળી ૨૬૧ વ્યાખ્યાન ૩૫૮ તપાગચ્છ નામ પડ્યા પછીના આચાર્યની પટ્ટાવળી ત્યાર પછી શ્રી જગચંદ્રસૂરિના પટ્ટ ઉપર વિષ્ણુના વક્ષ:સ્થળ ઉપર કૌસ્તુભમણિની જેમ દેવેન્દ્રના કર્ણોમાં આભરણરૂપ થતાં યશો વડે ત્રિજગતને ઉલ્કાસન કરનાર દેવેન્દ્ર નામના સૂરિ શોભતા હવા. (આ સૂરિ કર્મગ્રંથાદિકના કર્તા જાણવા). ત્યાર પછી તેના પટ્ટ ઉપર ઘર્મઘોષસૂરિ થયા. તે જાણે નાગણીઓએ ગાયન કરેલી તે આચાર્યની કીર્તિને સાંભળવામાં રસિક થયેલા નાગાધિરાજે (શેષનાગે) તે માટે જ બે હજાર ચક્ષુઓ ઘારણ કર્યા હોય નહીં એવા થયા. તે આચાર્યના ઉપદેશથી બાદશાહના મંત્રી પૃથ્વીઘરે જાણે પોતાની ચોરાશી જ્ઞાતિઓનો ઉદ્ધાર કરવા માટે જ હોય નહીં એમ તીર્થકરોના ચોરાશી પ્રાસાદો કરાવ્યા. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર મનુષ્યોની દ્રષ્ટિરૂપ ચકોરીને આહ્વાદ કરવામાં ચંદ્રની કાંતિસમાન સોમપ્રભ નામના સૂરિ થયા. તે સૂરિના સંગથી શરદઋતુના સંગથી ચંદ્રજ્યોસ્નાની જેમ ચારિત્રલક્ષ્મી શોભતી હતી. ત્યાર પછી તે સોમપ્રભસૂરિએ પોતાના પટ્ટ ઉપર મુનિઓની લક્ષ્મીના દેદીપ્યમાન તિલક સમાન સોમતિલક નામના સૂરિને સ્થાપન કર્યા. તે સૂરિએ વાદમાં અન્ય વાદીઓના સમૂહના મુખમાં પ્રતિપદા તિથિની જેમ અનધ્યાયતા મૂકી દીધી હતી, અર્થાત્ તેમને બોલતા બંધ કર્યા હતા. ત્યાર પછી તે સોમતિલક ગુરુએ પોતાના સ્થાન ઉપર દેવ સમાન સુંદર શોભાવાળા શ્રી દેવસુંદર સૂરિને સ્થાપન કર્યા. તે આચાર્ય પ્રાતઃકાળ જેમ અંઘકાર સહિત રાત્રિનો નાશ કરે તેમ આઠ મદ સહિત માયાનો નાશ કર્યો હતો. ત્યાર પછી તેમના પટ્ટને શ્રીમાનું સોમસુંદર ગુરુએ સેવન કર્યું. કોઈ એક પુરુષ કે જેને આ આચાર્યનું માહામ્ય સાંભળીને સૂર્યને ઘુવડની જેમ અન્યધર્મીઓએ દ્વેષથી તે આચાર્યને મારવા માટે મોકલ્યો હતો તે પુરુષ આચાર્યને મારવા માટે તેના ઉપાશ્રયે ગયો, ત્યાં ચંદ્રની કાંતિ વડે છિદ્રમાંથી તેણે જોયું તો સૂરિ સૂતા સૂતા પણ જીવઘાતાદિક પ્રમાદથી રહિત છે એમ દીઠું, એટલે કે પોતાના સંથારાને તથા તેની આસપાસ રજોહરણ વડે પૂંજાતા જોયા; તે જોઈને તે પુરુષે પશ્ચાત્તાપ કરતા સતા ગુરુ પાસે પ્રગટ થઈ તેમને ખમાવીને પોતાનું વૃત્તાંત કહ્યું; અને પછી ગુરુના ઉપદેશથી પ્રતિબોધ પામી દીક્ષા લીધી. ત્યાર પછી જેમ ઉત્પલ કમળનો વિકાસ કરવામાં ચતુર એવા શરદઋતુના ચંદ્રબિંબમાં પ્રાપ્ત થયેલી સૂર્યની કાંતિ વડે લોકોનાં નેત્રોને અત્યંત પ્રીતિ ઉત્પન્ન થાય છે, તેમ પૃથ્વીવલયને પ્રતિબોધ કરવામાં ચતુર એવા મુનિસુંદર નામના સૂરીન્દ્રને વિષે પ્રાપ્ત થયેલી સોમસુંદરસૂરિની પટ્ટલક્ષ્મીએ ભવ્યજનોના નેત્રોને અત્યંત પ્રીતિ ઉત્પન્ન કરી. આ સૂરિએ “તિર' વગેરે સ્તોત્રો બનાવીને વ્યંતરોનો ઉપદ્રવ શાંત કર્યો હતો. ત્યાર પછી ઋષભદેવ થકી જેમ શ્રી પુંડરીક ગણઘર થયા, તેમ તે મુનિસુંદરસૂરિ થકી રત્નશેખરસૂરિ થયા. તે સૂરિને ખંભાતમાં કોઈ બાબી નામના શ્રેષ્ઠ બ્રાહ્મણે બાલસરસ્વતી કહીને બોલાવ્યા, ત્યારથી તેમને બાલસરસ્વતીનું બિરુદ મળ્યું હતું. શ્રાદ્ધવિધિસૂત્રવૃત્તિ વગેરે અનેક ગ્રંથોના રચનાર એ રત્નશેખરસૂરિના પટ્ટને લક્ષ્મીસાગરસૂરિએ અલંકૃત કર્યું. તેમના પટ્ટ ઉપર મોટા ગુણવાન સુમતિસાધુસૂરિ થયા. તેમના પટ્ટ ઉપર શ્રી હેમવિમલસૂરિ થયા. આ સૂરિના વખતમાં દુઃષમાં ૧ સર્પો ચક્ષુવડે જ સાંભળે છે તેમને કાન જુદા હોતા નથી, તેથી અહીં સાંભળવા માટે ચક્ષુ કર્યાનું સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy