SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન 3૫૬] ઘર્મનું માહાભ્ય ૨પ૩ પ્રમાદથી (અજાણતાં) સૂતકીનો સ્પર્શ કરે, અથવા સમુદાય માટે રાંધેલા અનાજનું ભોજન કરે તો એક ઉપવાસ અને હજાર જાપથી તે શુદ્ધ થાય છે; પણ જો જાણીને સ્પર્શાદિક કર્યું હોય તો તેથી ત્રણગણું પ્રાયશ્ચિત્ત કરવું. એક દિવસની પૂજાનો લોપ થયો હોય તો મૂળ મંત્રનો દશ હજાર જાપ કરવો અથવા ઉપવાસ કરીને એક સો વાર જાપ કરવો.” આ પ્રમાણે મુનિએ કહેલો પ્રાયશ્ચિત્તનો વિધિ સાંભળીને રાજાએ તરત જ શ્રી પાર્શ્વનાથનું ચૈત્ય કરાવી તેમાં શ્રી પાર્શ્વનાથસ્વામીની કાંચનમય મૂર્તિ સ્થાપના કરી અને હમેશાં તેની ભક્તિપૂર્વક પૂજા કરવા માંડી. તેના પ્રભાવથી અનુક્રમે રાજાનો સર્વ વ્યાધિ નષ્ટ થયો. પાલનપુરના પ્રહ્માદ નામના રાજાએ ભક્તિ વડે જે પાર્શ્વનાથની મૂર્તિનું નિર્માપણ કર્યું તે મૂર્તિના સ્નાત્રનું જળ અન્ય રાજાને પણ પામા (ખસ) વ્યાધિનો નાશ કરનાર થયું. પ્રહાદનપુરમાં પ્રહ્માદન નામના ચૈત્યમાં બિરાજેલા પ્રહ્માદન નામના પાર્શ્વનાથસ્વામી ચંદ્રની જેમ પ્રાણીઓને પ્રહ્નાદ (હર્ષ) કરનારા થવાથી જગતમાં સાર્થક નામવાળા થયા છે.” વ્યાખ્યાન ૩પ૬ ધર્મનું માહાભ્ય जिनधर्म समाराध्य, भूत्वा विभवभाजनम् । प्राप्ताः सिद्धिसुखं ये ते, श्लाघ्या मंगलकुंभवत् ॥४॥ ભાવાર્થ-“જિનઘર્મનું આરાઘન કરીને સર્વ સંપત્તિનું સ્થાન થઈ જેઓ સિદ્ધિસુખને પામ્યા છે તેઓ મંગળકળશની જેમ પ્રશંસા કરવાને યોગ્ય છે.” મંગળકુંભનું દ્રષ્ટાંત ઉજ્જયિની નગરીમાં વૈરિસિંહ નામે રાજા હતો. તે નગરીમાં ઘનદત્ત નામે ઘર્મની રુચિવાળો એક શેઠ હતો. તેને પુત્રરહિત સત્યભામા નામની સ્ત્રી હતી. એકદા પુત્રની ચિંતાથી પ્લાન મુખવાળાં શેઠને જોઈને સત્યભામાએ તેને પૂછ્યું કે “હે નાથ! તમારે ચિંતાતુર થવાનું શું કારણ છે? તે કહો.” ત્યારે શેઠે પુત્ર ચિંતાની વાત કહી. તે સાંભળીને તે બોલી કે “હે સ્વામી! સુખને ઇચ્છનાર માણસે એવી ચિંતા શા માટે કરવી? તેણે તો આ લોકમાં તથા પરલોકમાં સુખને આપનાર ઘર્મની જ સેવા કરવી.” આ પ્રમાણેનો પ્રિયાનો ઉપદેશ સાંભળીને તેને સત્ય માનીને હર્ષ પામેલો શ્રેષ્ઠી પુષ્પાદિક વડે દેવપૂજા કરવા વગેરે અનેક ઘર્મકાર્યો કરવા લાગ્યો. ઘર્મના પ્રભાવથી તુષ્ટમાન થયેલી શાસનદેવીએ તેને ઇચ્છિત વરદાન આપ્યું; તેથી સત્યભામાએ ગર્ભ ધારણ કર્યો. અનુક્રમે સમય પૂર્ણ થતાં તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્રનું સ્વપ્નને અનુસાર મંગળકુંભ એવું નામ પાડ્યું. તે પુત્ર અનુક્રમે વૃદ્ધિ પામી કળાભ્યાસ કરવામાં તત્પર થયો. તેના પિતા હમેશાં દેવપૂજાને માટે પુષ્પાદિક લેવા ઉદ્યાનમાં જતા, તેનો નિષેઘ કરીને મંગળકુંભ હમેશાં પુષ્પો લાવીને પિતાને આપવા લાગ્યો. તે પુષ્પોથી પિતા અને પુત્ર બન્ને પૂજા કરતા હતા. આ પ્રમાણે ઘર્માભ્યાસ કરતા હતા તેવામાં જે બન્યું તે સાંભળો– ચંપાપુરીમાં મહાબાહુ નામે રાજા હતો. તેને ગુણાવલી નામે રાણી હતી. તે રાણીથી ઉત્પન્ન થયેલી લાવણ્યના રસની જાણે પેટી હોય તેવી સ્વરૂપવાન રૈલોક્યસુંદરી નામે તેને પુત્રી હતી. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy