SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ તેથી તમારા રોગની શાંતિ થશે. વળી હે રાજા!પ્રતિમાદિકના ભંગનું પ્રાયશ્ચિત્ત સાંભળો– મોટી પ્રતિમા બળી ગઈ હોય, નાશ પામી હોય અથવા તેની કોઈએ ચોરી કરી હોય, તો મૂળ મંત્રનો એક લાખ જાપ કરીને બીજી પ્રતિમા સ્થાપન કરવાથી તે પાપની શુદ્ધિ થાય છે. એક હાથ ઊંચેથી બિંબ પડે તો મૂળ મંત્રનો દશ હજાર જાપ કરીને પછી પૂજા કરવી. બે હાથ ઊંચેથી પડે અને અંગભંગ ન થયો હોય તો એક લાખ જાપ કરીને ફરીથી સંસ્કાર કરવાથી શુદ્ધ થાય. પુરુષ પ્રમાણ ઊંચાઈથી પ્રતિમા પડી હોય અને શલાકા સર્વથા વિશીર્ણ થઈ હોય તો તેનું પ્રાયશ્ચિત્ત નથી, એટલે કે શલાકાનો ભેદ થાય તો નવી જ પ્રતિમા કરાવવી પડે. સ્થંડિલાદિકમાં પણ દેવોનું આહ્વાન કર્યા પછી પૂજાનું કાર્ય વિસર્જન કર્યું ન હોય ત્યાં સુધીમાં જો પ્રમાદથી બિંબને ઉપઘાત થાય, તો પૂજાદિ વડે મંત્રને સંહરીને મૂળ મંત્રનો પાંચ હજાર જાપ કરી પાત્રદાન આપી ફરીથી સર્વ અર્ચા-પૂજા કરવી. દેવના ઉપકરણને પગ વડે સ્પર્શ થયો હોય તો પાંચ સો વાર મંત્રજાપ કરવો. પ્રતિક્રમણની ક્રિયાનો લોપ થયો હોય તો વ્યાધિ વિનાનાએ ઉપવાસ કરીને મૂળ મંત્રનો સો વાર જાપ કરવો, અને વ્યાધિવાળાએ માત્ર સો વાર જાપ જ કરવો. એક દિવસ દેવપૂજા ન થઈ હોય, તો ત્રણ ઉપવાસ કરીને ત્રણે દિવસ ત્રણસો ત્રણસો વાર જાપ કરવો. અજાણતાં નિર્માલ્યનું ભક્ષણ થઈ ગયું હોય તો દશ હજાર જાપ કરી વિશેષે પૂજા કરવી, અને જાણીને નિર્માલ્યનું ભક્ષણ કર્યું હોય તો એક લક્ષ નવકારનો જાપ કરીને પાંચ ઉપવાસ કરવા. [સ્તંભ ૨૪ નિર્માલ્યના પાંચ ભેદ છે. દેવસ્વ, દેવદ્રવ્ય, નૈવેદ્ય, નિવેદિત અને નિર્માલ્ય. તેમાં દેવને માટે આપેલ ગ્રામાદિક દેવસ્વ કહેવાય છે. દેવસંબંધી અલંકારાદિક દેવદ્રવ્ય કહેવાય છે. દેવને માટે કલ્પેલ પદાર્થ નૈવેદ્ય કહેવાય છે. દેવને માટે કલ્પીને તેમની પાસે ઘરેલું નિવેદિત કહેવાય છે, અને પ્રભુ પાસે થર્યા પછી બહાર નાંખી દીધેલું–ઉપાડી લીધેલું નિર્માલ્ય કહેવાય છે. તે પાંચે પ્રકા૨ના નિર્માલ્યને સુંઘવું નહીં, ઓળંગવું નહીં, કોઈને આપવું નહીં, તેમજ વેચવું નહીં.૧ કેમકે કોઈને આપવાથી રાક્ષસ જાતિમાં જન્મ થાય છે, ખાવાથી ચાંડાળ જાતિમાં જન્મ થાય છે, ઓળંગવાથી કાર્યસિદ્ધિમાં હાનિ થાય છે, સૂંઘવાથી વનસ્પતિકાયમાં જન્મ થાય છે, સ્પર્શ કરવાથી સ્ત્રીપણું પ્રાસ થાય છે, અને વેચવાથી ભીલયોનિમાં જન્મ થાય છે. પૂજામાં દીપનું અવલોકન કરતાં તથા ગ્રૂપ અન્નાદિક ઘરતાં તેનો ગંધ આવે તેનો દોષ નથી, તેમજ નદીના પ્રવાહમાં નાંખેલા પુષ્પાદિક નિર્માલ્યના ગંધથી પણ દોષ લાગતો નથી. મરણના તથા જન્મના સૂતકવાળાને ઘેર જમવું નહીં. અજાણતાં ખવાયું હોય તો એક ઉપવાસ કરીને મૂળ મંત્રનો એક હજાર જાપ કરવો. જાણીને ભોજન કર્યું હોય તો ત્રણ ઉપવાસ કરીને ત્રણ હજાર જાપ કરવા. પોતાને જ ઘેર સૂતક આવ્યું હોય તો સૂતકી માણસનો સ્પર્શ તજી દેવો અને જુદી રસોઈ કરાવીને જમવું; નહીં તો પ્રતિક્રમણ દેવપૂજા વગેરે નિત્યકર્મની હાનિ થાય છે. ધર્મમાં સ્થિત રહેલા, ક્રિયામાં આસક્ત, જ્ઞાનવાળા અને વ્રતવાળાએ સૂતકમાં પણ નિત્યકર્મની હાનિ કરવી નહીં, અર્થાત્ પ્રતિક્રમણ દેવપૂજાદિ કર્યા વિના રહેવું નહીં. કોઈ માણસ નિત્યકર્મ કરતો ન હોય અને ૧ પોતાના સંબંધીને આપવું નહીં અને પોતે દ્રવ્ય મેળવવા વેચવું નહીં એમ સમજવું; દેરાસરના માળી ભોજકને આપવામાં તેમજ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે વેચવામાં બાધ સમજવો નહીં. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy