SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૫૫] તીર્થસ્તવના ૨૫૧ શ્રી શત્રુંજયગિરિ ઉપર જઈને બાર વર્ષ સુધી તપ કર્યું. એકદા તે મંત્રી શત્રુંજયની યાત્રા કરવા માટે ગયો. ત્યાં તે સાધુને જોઈને “આપને મેં પૂર્વે કોઈ વખત જોયેલા છે' એમ કહીને વંદના કરી. પછી તેમના પવિત્ર ચારિત્રથી પ્રસન્ન થયેલા મંત્રીએ તે મુનિને તેમના ગુરુ, કુળ વગેરે પૂછ્યું; એટલે તેમણે મંત્રીને કહ્યું કે “તત્ત્વથી તો તમે જ મારા ગુરુ છો.” તે સાંભળીને અજાણ્યો મંત્રી કાન આડા હાથે રાખીને બોલ્યો કે “અરે પૂજ્ય! એવું ન બોલો.” મુનિ બોલ્યા કે जो जेण सुद्धधम्ममि, ठाविओ संजएण गिहिणा वा । सो चेव तस्स जायइ, धम्मगुरु धम्मदाणाओ॥१॥ ભાવાર્થ-“મુનિએ અથવા ગૃહસ્થીએ જેણે જેને શુદ્ધ ઘર્મમાં સ્થાપન કર્યો હોય તે જ તેને ઘર્મદાન આપવાથી તેનો ઘર્મગુરુ જાણવો.” એમ કહીને તે મુનિએ પોતાનું મૂળ વૃત્તાંત કહી તેને ઘર્મમાં દ્રઢ કર્યો. ચૈત્યના ભંગ કરનારે શું કરવું? चैत्यभंगाच्च यदुःखं, लब्धं तस्य क्षयः कथम् । भूयश्चैत्यविधानेन, तत्पापं विलयं व्रजेत् ॥१॥ ભાવાર્થ-“ચૈત્યનો એટલે જિનપ્રતિમાનો અથવા જિનમંદિરનો ભંગ કરવાથી જે દુઃખ (પાપ) પ્રાપ્ત થાય તે શી રીતે ક્ષય પામે? આ પ્રશ્નનો જવાબ એ છે કે “તે પાપ ફરીને ચૈત્ય કરાવવાથી નાશ પામે છે. તે ઉપર દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે પ્રહ્નાદનપુર (પાલનપુર) માં પ્રહ્માદન નામે રાજા હતો. તે એકદા અર્બુદાચળ (આબુપર્વત) જોવા ગયો. ત્યાં તેણે કુમારપાળ રાજાએ કરાવેલો શ્રી પાર્શ્વનાથ સ્વામીનો પ્રાસાદ જોયો. તે પ્રાસાદમાં શ્રી પ્રાર્થનાથ સ્વામીની રૂપાની પ્રતિમા જોઈને રાજાએ તેને ભાંગી નખાવી મહાદેવનો પોઠીઓ કરાવીને શિવાલયમાં સ્થાપન કર્યો. ત્યાંથી રાજા પોતાને ઘેર આવ્યો કે તરત જ રાજાના શરીરમાં ગલકુષ્ઠ (ઝરતો કોઢ) નો વ્યાધિ ઉત્પન્ન થયો. તે વ્યાધિથી રાજાના દેહમાં ઘણી વેદના થવા લાગી. રાજાને ગંગા વગેરેના તીર્થજળથી સ્નાન કરાવ્યું, તો પણ વ્યાધિ શાંત થયો નહીં; તેથી તે અત્યંત વ્યાકુળ થયો. એકદા રાજાએ કોઈ મુનિને રોગની શાંતિનો ઉપાય પૂછ્યો, ત્યારે મુનિએ કહ્યું કે स्वतिश्रीयांधाम गुणाभिराम, सुनामसंताननतांहिपद्म । जाग्रत्प्रतापं जगतितलेऽत्र, श्रीपार्श्वदेवं सततं श्रय त्वं ॥१॥ यदीयमूर्तिर्भविनो समस्तं, निहंत्यघं दृष्टीपथावतीर्णा । शैलेऽर्बुदेस्थापिततीर्थनाथं, श्रीपार्श्वदेवो वितनोति सौख्यं ॥२॥ ભાવાર્થ-“હે રાજનું કલ્યાણ અને સંપત્તિના સ્થાનભૂત, સકળ ગુણોથી વિરાજમાન અને જેના ચરણકમળને ઇન્દ્રોનો સમૂહ પણ પ્રણામ કરે છે, તથા જેનો પ્રતાપ જગતમાં નિરંતર જાગૃત છે એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું તમે નિરંતર સેવન કરો. જેની મૂર્તિ માત્ર દ્રષ્ટિમાર્ગમાં આવવાથી પણ ભવ્ય પ્રાણીઓના સમગ્ર પાપને હણે છે, એવા આબુપર્વત પર સ્થાપન કરેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુ સર્વ પ્રાણીઓને સુખના આપનારા છે.”હે રાજા! તમે આ પુરમાં એક નવીન ચૈત્ય કરાવીને તેમાં શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ સ્થાપના કરી હમેશાં દંભ રહિત નિર્મળ ભક્તિથી તેની પૂજા કરો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy