SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૪ યુવાવસ્થા પામી ત્યારે રાજાએ વિચાર્યું કે “મારી પુત્રીને યોગ્ય વર કોણ મળશે?’’ પછી રાજાએ પોતાના સુબુદ્ધિ નામના પ્રધાનને બોલાવીને કહ્યું કે “મેં તારા પુત્રને મારી ત્રૈલોક્યસુંદરી આપી છે. તેમાં તારે કાંઈ પણ બોલવું નહીં.’’ તે સાંભળી પ્રધાને ઘેર જઈ વિચાર કર્યો કે ‘‘રાજાની પુત્રી તો સાક્ષાત્ તિ જેવી છે, અને મારો પુત્ર તો કુષ્ઠના વ્યાધિવાળો છે. તે જાણતાં છતાં હું તે બન્નેનો યોગ શી રીતે કરું?’' પછી પોતાની બુદ્ધિથી જ ઉપાય શોધીને પ્રધાને ગોત્રદેવીની આરાધના કરી. ત્યારે દેવી પણ પ્રત્યક્ષ થઈને બોલી કે ‘હે પ્રધાન! તારા પુત્રને કર્મના વિપાકથી કુષ્ઠ રોગ થયો છે, તેથી તે મટી શકે તેમ નથી; કેમકે ભોગ્ય કર્મ અવશ્ય ભોગવવું જ પડે છે; તો પણ તારા કાર્યની સિદ્ધિ માટે તારી ભક્તિથી પ્રસન્ન થયેલી હું આ પુરીને દરવાજે રહેનાર અશ્વરક્ષકની પાસે ટાઢથી પીડા પામતો અને અગ્નિની ઇચ્છાવાળો કોઈક બાળક લાવીને મૂકીશ. તે બાળકને તારે ગ્રહણ કરવો.'' એમ કહીને દેવી અન્તર્ધાન થઈ. પછી મંત્રીએ વિવાહની સામગ્રી તૈયાર કરવા માંડી, અને તે અશ્વરક્ષકને બોલાવીને કહ્યું કે ‘“અમુક દિવસે જે બાળક તારી પાસે આવે તેને ગુપ્ત રીતે મારી પાસે લાવજે.'' એમ કહીને અશ્વરક્ષકને રજા આપી. હવે તે ગોત્રદેવીએ પણ ઉજ્જયિની નગરીમાં જઈને પુષ્પો લઈને ઘર તરફ જતા તે મંગળકુંભને ઉદ્દેશીને આકાશવાણીથી કહ્યું કે “આ બાળક રાજાની કન્યાને ભાડે પરણશે.’’ તે સાંભળીને મંગળકુંભ વિસ્મય પામી ઘેર આવ્યો. બીજે દિવસે પણ તે જ પ્રમાણે સાંભળ્યું. ત્યારે તેણે વિચાર કર્યો કે “આજે ઘેર જઈને આ આકાશવાણીની વાત પિતાને કહીશ.' આમ વિચાર કરતો હતો, તેટલામાં તો તેને તે દેવીએ ચંપાપુરીની પાસેના વનમાં મૂક્યો, એટલે તે ભમતો ભમતો અશ્વપાળની પાસે ગયો. અશ્વપાળે તેને ગુપ્ત રીતે લઈ જઈને મંત્રીને સોંપ્યો. મંત્રીએ તેને દેવકુમાર જેવો રૂપવાન જોઈને હર્ષ પામી એકાંતમાં રાખ્યો. એકદા મંગળકુંભે સચિવને પૂછ્યું કે “હે પિતા! મને પરદેશીને શા માટે ગુપ્ત સ્થાને રાખ્યો છે?’' મંત્રીએ તેને કપટથી કહ્યું કે “તને રાજાની પુત્રી ત્રૈલોક્યસુંદરી સાથે પરણાવવો છે, તેને પરણીને પછી તું મારા કુષ્ઠના વ્યાધિવાળા પુત્રને તે રાજપુત્રી આપજે. આ કાર્ય માટે તને અહીં લાવવામાં આવ્યો છે.'' તે સાંભળીને મંગળકુંભ બોલ્યો કે ‘‘કુળને કલંક લગાડનારું અકૃત્ય હું શી રીતે કરું? મુગ્ધ જનને કૂવામાં ઉતારીને દોરડું કાપી નાખવા જેવું એ અકાર્ય હું તો નહીં કરું.’’ મંત્રીએ કહ્યું કે “રે મૂર્ખ! જો આ કામ તું નહીં કરે તો હું મારા હાથથી જ તને મારી નાંખીશ.'' તે સાંભળીને તે બાળક બુદ્ધિરૂપ નેત્રથી વિચારીને બોલ્યો કે “હું તમારા કહેવા પ્રમાણે કરું, પણ રાજા હસ્તમેળાપ વખતે જે વસ્તુ આપે તે બઘી તમારે મને આપવી.’’ મંત્રીએ તે વાત કબૂલ રાખી, પછી લગ્નદિવસે શુભ સમયે મોટા આડંબરથી મંગળકુંભ રાજપુત્રી સાથે પરણ્યો. તેના હસ્તમેળાપ સમયે રાજાએ જાતિવંત પાંચ અશ્વો વગેરે પહેરામણીમાં તેને આપ્યા. વિવાહ થઈ રહ્યા પછી મંત્રી રાજપુત્રીને તથા મંગળકુંભને પોતાને ઘેર લઈ ગયો. થોડીવારે મંગળકુંભ દેહચિંતાએ જવાનું મિષ કરીને શયનગૃહથી બહાર નીકળ્યો. તેનું ચપળ ચિત્ત જાણીને રાજપુત્રી પણ જળપાત્ર લઈને તેની પાછળ ગઈ. દેહચિંતાથી આવ્યા પછી મંગળકુંભને આમણદુમણો—ચળચિત્ત જોઈને રાજપુત્રીએ પૂછ્યું કે “હે નાથ! શું તમને ક્ષુધા બાઘા કરે છે?'' તેણે હા કહી; એટલે રાજપુત્રીએ દાસી પાસે પોતાને ઘેરથી મોદક મંગાવીને તેને આપ્યા. તે ખાતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy