SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪ર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૪ રુક્મિણીએ તેને ખીર ખાવા આપીને વિજ્ઞપ્તિ કરી કે ‘‘હે પૂજ્ય! મને દેવતાએ કહ્યું છે કે સોળ વર્ષે તારો પુત્ર તને મળશે, તે હજુ સુધી આવ્યો નથી, મને પુત્રવિયોગનું બહુ દુઃખ છે.’’ ત્યારે તે બોલ્યો કે “મારે મારી માતાનો વિયોગ છે પણ શું કરીએ? પરંતુ જ્યોતિષશાસ્ત્રને આધારે હું કહું છું કે—આપણ બન્નેનું વિરહદુઃખ થોડા જ કાળમાં નષ્ટ થશે. તમે મને આ ખીર ખાવા આપી છે તે મને ભાવતી નથી; તેથી શ્રીકૃષ્ણને માટે કરેલા મોદક મને આપો.'' ત્યારે તે બોલી કે ‘“તે મોદક કૃષ્ણને જ ખાવા લાયક છે, બીજાને તે મોદક જરે તેવા નથી.’' તેણે કહ્યું કે ‘‘તપસ્વીને શું દુર્જર છે?'’ તે સાંભળી શંકા સહિત રુક્મિણીએ એક મોદક તેને આપ્યો. તે ખાઈને તેણે બીજો માગ્યો. એમ વારંવાર માગી માગીને ખાતાં સર્વ મોદક ખાઈ ગયો. અનુક્રમે પાત્ર ખાલી થઈ ગયેલું જોઈને તે બોલી કે “હે મુનિ! તમે તો અતિ બળવાન જણાઓ છો, કેમકે આટલા બધા મોદક ખાધા તો પણ તૃપ્ત થયા નહીં.'' અહીં સત્યભામા એકાંતમાં બેસીને જપ કરતી હતી. તેની પાસે આવીને તેના સેવકોએ કહ્યું કે ‘વિવાહને માટે એકઠી કરેલી સર્વ સામગ્રી તથા કન્યાને કોઈ દેવ હરણ કરી ગયો જણાય છે.’’ તે સાંભળીને તે અત્યંત ખેદ પામી. પછી ક્રોધથી તેણે રુક્મિણીના કેશ લાવવા માટે દાસીઓને ટોપલી આપીને રુક્મિણીને ઘેર મોકલી. તે દાસીઓએ આવીને રુક્મિણી પાસે કેશ માગ્યા; ત્યારે તે માયાસાધુએ માયાથી દાસીઓના મસ્તકના કેશથી જ તે ટોપલી ભરી આપી. દાસીઓએ પોતાનાં શિરમુંડન થયાં તે જાણ્યું નહીં. પછી તે દાસીઓ કેશ લઈને સત્યભામા પાસે આવી. ત્યાં તેઓને જ મુંડિત થયેલી જોઈને અતિ ખેદ પામેલી સત્યભામા સાક્ષી રાખેલા કૃષ્ણ પાસે જઈને ક્રોધથી બોલી કે “મને રુક્મિણીના કેશ અપાવો.'' કૃષ્ણે કહ્યું કે “પ્રથમ તું જ મુંડિત થઈ છે, હવે બીજીને શા માટે વિરૂપ કરવા ઇચ્છે છે?’’ તે બોલી કે ‘‘હાસ્ય કરવાથી સર્યું, અર્થાત્ હાંસી ન કરો. મને તેના કેશ અપાવો.’’ ત્યારે કૃષ્ણે કેશ માટે બળરામને રુક્મિણી પાસે મોકલ્યા. ત્યાં પ્રશ્ને કરેલું કૃષ્ણનું સ્વરૂપ સિંહાસન પર બેઠેલ જોઈને લગ્ન પામી બળરામ પાછા ફર્યા. પાછા આવીને જુએ છે તો ત્યાં પણ કૃષ્ણને જોયા; એટલે બળરામે કહ્યું કે “તમે બે રૂપ કરીને મને લજ્જિત કર્યો.' કૃષ્ણ બોલ્યા કે “હું સોગનપૂર્વક સત્ય કહું છું કે હું ત્યાં ગયો જ નથી.’’ ત્યારે સત્યભામાએ કહ્યું કે ‘“સર્વત્ર તમારું ચેષ્ટિત જણાય છે.’’ તે સાંભળીને વિલખા થયેલા કૃષ્ણ રુક્મિણીને ઘેર આવ્યા. તે જ વખતે નારદે આવીને કૃષ્ણ તથા રુક્મિણીને કહ્યું કે જેણે અહીં કૃષ્ણનું રૂપ કર્યું હતું તે જ તમારો પુત્ર આ પ્રશ્ન છે.’’ તે સાંભળીને તરત જ પ્રદ્યુમ્ર માતાપિતાના ચરણમાં નમીને હાથ જોડી બોલ્યો કે “હું તમારો પુત્ર જ્યાં સુધી સર્વ યાદવોને કાંઈક અપૂર્વ ચમત્કાર ન બતાવું ત્યાં સુધી તમે મૌન રહેજો.'’ તે સાંભળીને તે બન્નેએ તેને આલિંગન કરીને તેનું વચન સ્વીકાર્યું. પછી પ્રદ્યુમ્ર પોતાની માતાને રથમાં બેસાડીને ચાલ્યો, અને શંખ વગાડીને યાદવોને ક્ષોભ પમાડતો સતો તે બોલ્યો કે ‘‘હું આ રુક્મિણીનું હરણ કરું છું, તેથી જો કૃષ્ણનું બળ હોય તો તેની રક્ષા કરો. હું એકલો જ સર્વ વૈરીઓનો નાશ કરવા સમર્થ છું.” એમ બોલતો તે ગામ બહાર નીકળ્યો. તે વખતે કૃષ્ણે વિચાર્યું જે ‘‘જરૂર આ કોઈ માયાવી મને પણ છેતરીને મારી પત્નીનું હરણ કરી જાય છે, માટે મારે તેને હણવો જોઈએ.’' એમ વિચારીને સર્વ આયુધો અને સૈન્ય સહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy