SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૫૩] ભાવવંદનનું ફળ ૨૪૧ પ્રદ્યુમ્ર બોલ્યો કે “હે માતા! તમે મારા વિદ્યાગુરુ થઈને આવી અયોગ્ય માગણી કેમ કરો છો?” એમ કહીને પ્રદ્યુમ્ર નગરની બહાર ગયો. તે વખતે પોતાના નખ વડે પોતાના વક્ષસ્થળાદિકનું ક્રોધથી નિર્દય રીતે વિદારણ કરીને કનકમાળા પોકાર કરવા લાગી અને મોટે સ્વરે બોલી કે “અરે પુત્રો! દોડો, દોડો, આ દુષ્ટ ભોગની ઇચ્છાથી મારી આવી કદર્થના કરીને જતો રહ્યો છે.” તે સાંભળી તેના પુત્રો પ્રદ્યુમ્રની પાછળ યુદ્ધ કરવા દોડ્યા. પ્રદ્યુમ્ર વિદ્યાબળથી તે સર્વને હણી નાખ્યા. પુત્રોને હણાયેલા સાંભળીને તેનો પિતા જાતે યુદ્ધ કરવા ગયો. તેને પણ પ્રદ્યુઝે ક્રીડામાત્રમાં જીતીને બાંઘી લીઘો. ત્યારે તે બોલ્યો કે “હે પુત્ર! શા માટે મારી કદર્થના કરે છે? સત્ય બોલ.” ત્યારે કુમાર બોલ્યો કે “હે પિતા! આ તમારી સ્ત્રી સારી નથી. હું તેનું ચેષ્ટિત કહી શકું તેમ નથી.” આ પ્રમાણે વાત થતી હતી તેવામાં અકસ્માતું નારદે ત્યાં આવીને પ્રદ્યુમ્રકુમારને કહ્યું કે “હે કુમાર! તારા પિતા કૃષ્ણ અને તારી માતા રુકિમણી તારા વિયોગથી પીડા પામે છે. વળી તારી ઓરમાન માતાનો પુત્ર ભાનુકુમાર જો પ્રથમ પરણશે તો શરત પ્રમાણે તારી માતાને પોતાની વેણી કાપીને તેને આપવી પડશે, અને કેશ આપવાના કષ્ટથી તથા તારા વિયોગના શોકથી દુઃખી થયેલી તારી માતા, તારા જેવો પુત્ર છતાં પણ મરણ પામશે.” તે સાંભળીને હર્ષ પામેલો પ્રદ્યુમ્ર વિમાનમાં બેસીને નારદની સાથે દ્વારિકાના ઉપવનમાં આવ્યો. પછી વિમાન સહિત નારદને ત્યાં જ મૂકીને પ્રદ્યુમ્ર વેષ પરાવર્તન કરી ભાનુના વિવાહ માટે આણેલી કન્યાનું હરણ કર્યું, અને તેને નારદ પાસે મૂકી. પછી શ્રીકૃષ્ણના ઉદ્યાનને વિદ્યાના બળથી પુષ્પ, ફળ અને પત્રરહિત કરી દીધું; તથા વિવાહને માટે એકઠાં કરેલાં જળ, ઘાસ વગેરેને પણ વિદ્યાના બળથી અદ્રુશ્ય કર્યા. પછી એક માયાવી અશ્વ બનાવીને તેને ગામ બહાર ખેલાવવા લાગ્યો. તે અશ્વના વેગને જોવાની ઇચ્છાથી ભાનુકુમાર તેની પાસેથી તે અશ્વ માગીને તેના પર ચડ્યો, અને તેને ખેલાવવા લાગ્યો. એટલે પ્રદ્યુમ્ર વિદ્યા વડે તેને અશ્વ પરથી પાડી નાંખ્યો, તે જોઈને લોકો ભાનુને હસવા લાગ્યા. પછી પ્રદ્યુમ્ર બ્રાહ્મણનો વેષ ધારણ કરીને ગામમાં ગયો. ત્યાં કોઈ વેપારીની દુકાને ઊભેલી સત્યભામાની કુન્જા દાસીને મુષ્ટિ મારીને સરળ અને સ્વરૂપવાળી કરી દીધી; એટલે તે દાસી તેને બહુમાનથી સત્યભામાને ઘેર તેડી ગઈ, અને સત્યભામાને પોતાની વાત કહી સંભળાવી તે બ્રાહ્મણની શ્લાઘા કરી. તે સાંભળીને સત્યભામાએ તે બ્રાહ્મણને નમીને કહ્યું કે “હે પ્રિય! મને રુકિમણી કરતાં અધિક રૂપવાન કરો.” ત્યારે તે બોલ્યો કે “તમે પ્રથમ શિરમુંડન કરાવીને જીર્ણ વસ્ત્રો ધારણ કરી એકાંત સ્થળે બેસી આ મંત્રનો જપ કરો, એટલે તમારું ઇચ્છિત થશે.” તે સાંભળીને સત્યભામાએ તે પ્રમાણે કરીને જાપ જપવા માંડ્યો. પછી પ્રદ્યુમ્ર રુક્મિણીને ઘેર જઈને કૃષ્ણના સિંહાસન પર બેઠો. તે જોઈને રુક્મિણી બોલી કે कृष्णं वा कृष्णजातं वा, विना सिंहासनेऽत्र हि । __अन्यं पुमांसमासीनं, सहते नहि देवता ॥१॥ ભાવાર્થ-“આ સિંહાસન પર કૃષ્ણ અથવા તેના પુત્ર સિવાય બીજો કોઈ બેસે તો તે દેવતાઓ સહન કરી શકતા નથી.” ત્યારે તે બોલ્યો કે “હું મહા તપસ્વી છું. સોળ વર્ષે આજ પારણાને માટે હું અહીં આવ્યો છું, તેથી તમે મને પારણું કરાવો, નહીં તો હું સત્યભામાને ઘેર જઈશ.” ત્યારે Jain Edભાગપ-કો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy