SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪o શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૪ ભાવાર્થ-“શ્રી કૃષ્ણને પુત્ર શાંબ પોતાને સ્થાને રહીને પણ સદ્ભાવ વડે શ્રી નેમિનાથને વંદન કરવાથી મુક્તિફળને આપનારું ફળ પામ્યો.” - શાંઘકુમારની કથા દ્વારિકા નગરીમાં ત્રણ ખંડના સ્વામી શ્રીકૃષ્ણવાસુદેવ રાજ્ય કરતા હતા. તેને રુકિમણી વગેરે ઘણી સ્ત્રીઓ હતી. એકદા રુક્મિણીએ સ્વપ્નમાં વૃષભોથી શોભતા વિમાનમાં પોતાને બેઠેલી જોઈ. પછી તે સ્વપ્ન તેણે શ્રીકૃષ્ણને કહ્યું, ત્યારે કૃષ્ણ “તને પુત્ર થશે” એમ કહ્યું. તે વાક્ય રુકિમણીએ સત્યભામાને કહ્યું. તે સાંભળીને ક્રોધથી અરુણ થયેલી સત્યભામા કૃષ્ણ પાસે જઈને બોલી કે “મેં પણ આજે સ્વપ્નમાં મોટો હસ્તી જોયો છે.” આ વાક્ય તેની ચેષ્ટા પરથી અસત્ય જાણીને કૃષ્ણ કહ્યું કે “હે પ્રિયા! પરની ઈર્ષ્યાથી શા માટે ખેદ કરે છે?” ત્યારે બીજાની સંપત્તિને નહીં સહન કરનારી સત્યભામાં બોલી કે “મારું વાક્ય સત્ય જ છે.” પછી તે બન્ને સપત્નીને પરસ્પર વિવાદ થયો, તેમાં છેવટ તેમણે એવી શરત કરી કે “જેનો પુત્ર પહેલો પરણે તેને બીજીએ પોતાના મસ્તકના સર્વ કેશો ઉતારીને આપવા.” આ વાતમાં કૃષ્ણ તથા બળરામને સાક્ષી રાખ્યા. દૈવયોગે તે બન્ને સપત્નીઓએ ગર્ભ ઘારણ કર્યો. સમય આવતાં રુકિમણીએ પ્રથમ પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર અત્યંત કાંતિમાન હોવાથી કૃષ્ણ તેનું પ્રદ્યુમ્ર એવું નામ પાડ્યું. બીજે દિવસે સત્યભામાએ પણ પુત્રને જન્મ આપ્યો. તેનું નામ ભાનુ રાખવામાં આવ્યું. અન્યદા ધૂમકેતુ નામનો અસુર પૂર્વના વૈરથી રુક્મિણીને ઘેર આવીને તેના પુત્રને હરીને વૈતાઢ્યપર્વત પર લઈ ગયો. ત્યાં એક શિલા પર તે બાળકને મૂકીને તે અસુર જતો રહ્યો. તેવામાં કાળસંવર નામે કોઈક વિદ્યાધરનો રાજા ત્યાંથી નીકળ્યો. તેણે તે બાળક જોઈને તેને લઈ પોતાની સ્ત્રીને આપ્યો, અને પુત્ર તરીકે તેનું પાલન કરવા માંડ્યું. અહીં શ્રીકૃષ્ણને પુત્રહરણની ખબર થતાં તેના વિયોગથી તેને પીડા થઈ. તે જોઈને નારદમુનિ શ્રી સીમંઘર સ્વામી પાસે ગયા. ત્યાં નારદના પૂછવાથી સ્વામીએ ધૂમકેતુના હરણથી આરંભીને પ્રદ્યુમ્રનું સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. તે સાંભળીને નારદે કૃષ્ણ અને રુક્મિણી પાસે આવીને પ્રદ્યુમ્નનું સર્વ વૃત્તાન્ત સંભળાવીને કહ્યું કે, “પૂર્વભવે રુક્મિણીએ મયૂરીનાં ઈંડાનો સોળ પ્રહર સુધી વિયોગ કરાવ્યો હતો, તે કર્મથી તેનો પુત્ર તેને સોળ વર્ષે પાછો મળશે.” તે સાંભળીને રુક્મિણી હર્ષિત થઈ. અહીં પ્રદ્યુમ્ર યુવાવસ્થા પામ્યો. અન્યદા તેના સ્વરૂપથી મોહ પામેલી તે કાળસંવર વિદ્યાઘરની સ્ત્રી કનકમાળાએ કામવરથી પીડા પામીને પ્રદ્યુમ્રને કહ્યું કે “હે ભાગ્યવાન્ ! મારી સાથે ભોગ ભોગવ.” તે સાંભળીને ખેદ પામેલો પ્રદ્યુમ્ર બોલ્યો કે “હે માતા! આવું બોલવું તમને ઘટતું નથી.” તે બોલી કે “હું તારી માતા નથી. મારા પતિને તું કોઈ સ્થાનેથી હાથ આવ્યો છે, મેં તો તને વૃક્ષની જેમ વૃદ્ધિ પમાડ્યો છે; તેથી હું તારી પાસેથી ભોગરૂપ ફળ ગ્રહણ કરવા ઇચ્છું છું. મારી પાસેથી તું સર્વત્ર વિજય આપનારી ગૌરી અને પ્રજ્ઞપ્તિ નામની બે વિદ્યાઓ ગ્રહણ કર.” ત્યારે પ્રશ્ન હા પાડીને તેની પાસેથી બન્ને વિદ્યા ગ્રહણ કરી. પછી કનકમાળા બોલી કે “હે પ્રાણપ્રિય! હવે મારા દેહમાં વ્યાપ્ત થયેલા કામન્વરનું નિવારણ કર, અને પોતાની વાણીને સત્ય કર.” તે સાંભળીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy