SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૫૩] ભાવવંદનનું ફળ ૨૩૯ પછી છેલ્લી (આઠમી) જયશ્રી બોલી કે “હે સ્વામી! તમે સત્ય કહો છો, પરંતુ તમે પરોપકારરૂપ ઉત્તમ ઘર્મને અંગીકાર કરનારા છો, માટે ભોગને અડ્યા વિના પણ અમારા પર ઉપકાર કરવા માટે અમને સેવો. જેમ વૃક્ષો મનુષ્યોના તાપને દૂર કરવારૂપ ઉપકારને માટે પોતે તાપને સહન કરે છે. વળી ક્ષારસમુદ્રનું પાણી પણ મેઘના સંયોગથી અમૃત સમાન થાય છે, તેવી રીતે તમારા સંયોગથી પ્રાપ્ત થયેલા ભોગ પણ અમને સુખને માટે થશે.” કુમારે કહ્યું કે “હે પ્રિયા! ભોગોથી ક્ષણ માત્ર સુખ થાય છે, પણ ચિરકાળ સુઘી દુઃખ થાય છે. એવા પરમાત્માના વચનથી મારું મન તેનાથી (ભોગોથી) નિવૃત્તિ પામ્યું છે, અને તેમાં તમારું પણ કાંઈ કલ્યાણ હોય એમ મને ભાસતું નથી. માટે હે કમળના જેવા નેત્રવાળી પ્રિયા! તેવા પ્રાંત અહિતકારી ભોગમાં આગ્રહ કરવો તે કલ્યાણને માટે નથી. કુમનુષ્યોમાં, કુદેવોમાં, તિર્યંચોમાં અને નરકમાં ભોગી જનો જે દુઃખ પામે છે તે સર્વ જ્ઞાની જ જાણે છે.” આ પ્રમાણેની કુમારની વાણી સાંભળીને તે આઠે સ્ત્રીઓ વૈરાગ્ય પામી, એટલે તત્કાળ હાથ જોડીને બોલી કે “હે પ્રાણનાથ! તમે જે માર્ગનો આશ્રય કરો તે જ માર્ગ અમારે પણ સેવ્ય છે.” તે વખતે પ્રભવ વિચાર કરવા લાગ્યો કે “અહો! આ મહાત્માનું વિવેકીપણું તથા પરોપકારીપણું કેવું છે? અને મારું પાપિષ્ટપણું તથા મૂર્ણપણું કેવું છે? આ મહાત્મા પોતાને આધીન એવી પણ લક્ષ્મીનો ત્યાગ કરે છે અને નિર્લજ્જ એવો હું તે જ લક્ષ્મીની અભિલાષા કરું છું પણ તે પ્રાપ્ત થતી નથી. માટે હું અત્યંત નિંદ્ય છું. મને અઘર્મીને ધિક્કાર છે!” આવા વિચારથી પરિવાર સહિત વૈરાગ્ય પામેલો પ્રભવ બોલ્યો કે “હે મહાત્મા! મને આજ્ઞા આપો. મારે શું કરવું?” જંબૂકુમારે જવાબ આપ્યો કે “જે હું કરું તે તું પણ કર.” પછી પ્રાતઃકાળે સંઘ તથા ચૈત્યનું પૂજન કરીને સ્વજનોનું સન્માન કરીને કુમારે સ્નાન કરી ચંદનનું વિલેપન કર્યું. પછી શ્વેત વસ્ત્રો તથા સર્વ અંગે અલંકારો ઘારણ કરીને હજાર પુરુષોએ વહન કરાતી શિબિકામાં આરૂઢ થયા. માર્ગમાં દીન પુરુષોને દાન આપી રંજન કરતા હતા, વાજિંત્રોથી આકાશ શબ્દિત થતું હતું, અને અનાવૃત દેવતાએ તેનો નિષ્ક્રમણોત્સવ કર્યો હતો. એવી રીતે પોતાની આઠ પત્નીઓ, તેના માબાપો, પોતાના માબાપ અને પાંચસો ચોરો સહિત પ્રભાવ રાજપુત્ર-એ સર્વની સાથે જંબૂકુમાર સુધર્માસ્વામીએ પવિત્ર કરેલા ઉપવનમાં આવ્યા. ત્યાં શિબિકાથી ઊતરીને ગુરુને નમસ્કાર કરી જંબૂકુમારે વિજ્ઞપ્તિ કરી કે “કુટુંબ સહિત અમને પાંચસો સત્તાવીશ જણને દીક્ષા તથા તપસ્યા આપીને અનુગ્રહ કરો.” એટલે સુધર્માસ્વામીએ પોતાના હાથથી તેને પરિવાર સહિત દીક્ષા આપી, અને પ્રભવમુનિ જંબૂમુનિને શિષ્ય તરીકે આપ્યા. “શ્રી વીરસ્વામીના નિર્વાણ પછી દશ વર્ષે સુઘર્માસ્વામીએ જંબૂસ્વામીને ગણઘર પદવી આપી, અને શ્રી મહાવીરના નિર્વાણ પછી ચોસઠ વર્ષે જંબૂસ્વામીએ પ્રભવસ્વામીને ગણધર પદવી આપી. ” ક વ્યાખ્યાન ૩પ૩ ભાવવંદનનું ફળ स्वस्थानस्थोऽपि सद्भावात्, शांबः श्रीकृष्णनंदनः । श्रीनेमिवंदनात् प्राप, फलं मुक्तिफलप्रदम् ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy