SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [તંભ ૨૪ हितं भवद्वयस्यापि, धर्ममेतमगारिणाम् । पालयन्ति नरा धीरास्त्यजन्ति तु ततः परे ॥१॥ ભાવાર્થ-“આ દાનાદિક ગૃહસ્થીઓનો ઘર્મ બન્ને ભવમાં હિતકારી હોવાથી તેનું વીર પુરુષો પાલન કરે છે, અને કાયર મનુષ્યો તેને તજી દે છે.” જંબૂએ કહ્યું કે “સાવદ્યનું–પાપયુક્ત ક્રિયાઓનું સેવન કરવાથી ગૃહીઘર્મ શી રીતે શ્રેષ્ઠ કહેવાય? કેમકે ગૃહી અને મુનિના ઘર્મમાં મેરુ અને સરસવ તથા સૂર્ય અને ખદ્યોતના જેટલું અંતર છે.” પછી ત્રીજી પદ્મસેના બોલી કે “કદલીના ગર્ભ સમાન કોમળ તમારું શરીર સંયમનાં કષ્ટો સહન કરવાને યોગ્ય નથી.” જંબૂએ કહ્યું કે “અરે! કૃતધ્રી અને ક્ષણભંગુર એવા આ દેહ ઉપર બુદ્ધિમાન પુરુષ શી રીતે પ્રીતિ કરે?” પછી ચોથી કનકસેના બોલી કે “પૂર્વે જિનેશ્વરોએ પણ પ્રથમ રાજ્યનું પાલન કરી સંસારના ભોગ ભોગવીને પછી વ્રત અંગીકાર કર્યું હતું, તો તમે શું કોઈ નવા મોક્ષની ઇચ્છાવાળા થયા છો?” જંબૂએ કહ્યું કે “જિનેશ્વરો અવધિજ્ઞાનવાળા હોવાથી તેઓ પોતાના વ્રતયોગ્ય સમયને જાણી શકે છે; માટે હાથી સાથે ગધેડાની જેમ તેમની સાથે આપણા જેવા સામાન્ય મનુષ્યની શી સ્પર્ધા? પ્રાણીઓના જીવિતરૂપી મહા અમૂલ્ય રત્નને કામરૂપ તસ્કર અચિંત્યો આવીને મૂળમાંથી ચોરી લે છે, તેથી ડાહ્યા પુરુષો સંયમરૂપી પાથેય લઈને તેના વડે મોક્ષપુરને પામે છે કે જ્યાં આ કાળરૂપ ચોરનો જરા પણ ભય હોતો નથી.” પછી પાંચમી નભસેના બોલી કે “હે પ્રાણનાથ! આ પ્રત્યક્ષ અને સ્વાધીને એવું કુટુંબનું સુખ પ્રાપ્ત થયું છે, તેને છોડીને દેહ વિનાના સુખની (મોક્ષસુખની) શા માટે ઇચ્છા કરો છો?” જંબૂએ જવાબ આપ્યો કે “હે પ્રિયા! સુઘા, તૃષા, મૂત્ર, પુરીષ અને રોગાદિકથી પીડા પામતા આ મનુષ્યદેહમાં ઇષ્ટ વસ્તુના સમાગમથી પણ શું સુખ છે? કાંઈ નથી.” પછી છઠ્ઠી કનકશ્રી બોલી કે “પ્રત્યક્ષ સુખ પામ્યા છતાં તેને તજીને પરોક્ષ સુખનો વાતો કરવી તે ફોગટ છે. ભોગની પ્રાપ્તિ માટે વ્રત ગ્રહણ કરવું, તો જ્યારે તે ભોગ જ પ્રાપ્ત થયા હોય ત્યારે વ્રતના આચરણથી શું? ખેતરમાં વૃષ્ટિથી જ અન્ન પાક્યું હોય તો પછી કૂવામાંથી પાણી ખેંચીને પાવાનો પ્રયાસ કોણ કરે?” કુમારે તેને જવાબ આપ્યો કે “હે પ્રિયા! તારી બુદ્ધિ બરોબર રૂડી રીતે ચાલતી નથી. વળી આવું બોલવાથી તારું અદીર્ઘદર્શાપણું પ્રગટ થાય છે, અને તે અન્ય જનને હિતકારી થતું નથી; કેમકે સ્વર્ગ તથા મોક્ષને આપનાર એવા આ મનુષ્ય દેહને જે માણસો ભોગસુખમાં ગુમાવે છે, તેઓ મૂલઘન ખાનારાની જેમ પરિણામે અતિશય દુ:ખને પ્રાપ્ત થાય છે, માટે હે પ્રિયા! જલદીથી નાશ પામનારા એવા આ મનુષ્યજન્મને પામીને હું એવી રીતે કરીશ કે જેથી કોઈ પણ વખત પશ્ચાત્તાપ કરવો ન પડે.” પછી સાતમી કનકવતી બોલી કે “હે નાથ! હાથમાં રહેલા રસને ઢોળી નાખીને પાત્રના કાંઠા ચાટવા' એ કહેવતને તમે સત્ય કરી બતાવો છો.” જંબૂએ કહ્યું કે “હે ગૌર અંગવાળી પ્રિયા! ભોગો હાથમાં આવ્યા છતાં પણ નાશ પામી જાય છે, તેથી તેમાં મનુષ્યોનું સ્વાધીનપણું છે જ નહીં; છતાં તેને હાથમાં આવેલા માને છે તેઓને ભૂતના જેવો ભ્રમ થયેલ છે એમ સમજવું. વિવેકી પુરુષો પોતે જ ભોગના સંયોગોનો ત્યાગ કરે છે, અને જે અવિવેકી પુરુષો તેનો ત્યાગ કરતા નથી તેઓનો તે ભોગો જ ત્યાગ કરે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy