SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૫૨] અંતિમ કેવળી ૨૩૭ બોલ્યા કે “હે વત્સ! તારે માટે પ્રથમથી નક્કી કરી રાખેલી આઠ કન્યાઓને પરણીને અમારા મનોરથ પૂર્ણ કર, પછી તને ગમે તે કરજે.’’ આ પ્રમાણે કહેવામાં તેના માતાપિતાએ ‘‘સ્ત્રીઓના પ્રેમમાં પડવાથી પછી એ જઈ શકશે નહીં'' એવો નિશ્ચય કરીને તેને પરણવાનો આગ્રહ કર્યો. પછી મોટા ઉત્સવથી જંબૂકુમારે આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. જંબૂકુમારે પરણ્યા પહેલાં તે આઠેને પોતાનો મનોરથ કહેવરાવ્યો હતો. ત્યારે તે આઠેએ કહ્યું હતું કે ‘“આ લોકમાં અથવા તો પરલોકમાં પણ અમારે તો જંબૂકુમાર જ સ્વામી છે. શું કુમુદિની ચંદ્ર વિના બીજા વરને કદાપિ ઇચ્છે છે?’' એમ કહીને તે જંબૂકુમારને પરણી હતી. લગ્ન થયા પછી સ્પૃહા રહિત જંબૂકુમાર વાસગૃહ (શયનગૃહ) માં ગયો. ત્યાં કામદેવથી પીડાતી તે સ્ત્રીઓ સાથે વિકાર રહિત કુમાર વાતો કરવા લાગ્યો. તે વખતે તે સ્ત્રીઓએ સ્નેહ વૃદ્ધિ પામે તેવી આઠ વાર્તાઓ કહી. તેના ઉત્ત૨માં કુમારે વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવી સામી આઠ વાર્તાઓ કહી. હવે તે ઉપદેશને સમયે જ પાંચસો ચોરો સહિત પ્રભવ નામનો રાજપુત્ર અવસ્વાપિની અને તાલોટિની (તાળાં ઉઘાડે તેવી) વિદ્યાના પ્રભાવથી જંબૂકુમારના ઘરમાં ચોરી કરવા આવ્યો હતો. તે વખતે કોઈ દેવતાએ તે સર્વ ચોરોને સ્તંભિત કર્યા; એટલે પ્રભવે વિચાર્યું કે ‘‘આ મહાત્માથી જ હું પરિવાર સહિત સ્તંભિત થયો છું.’’ એમ વિચારીને સર્વ સ્રીઓને ઉત્તર પ્રત્યુત્તર આપીને સમજાવતા જંબૂકુમારને તેણે કહ્યું કે “હે મહાત્મા ! હું આ દુષ્ટ વ્યાપાર–ચૌર્યકર્મથી નિવૃત્ત થયો છું, માટે મારી પાસેથી આ બે વિદ્યા તમે લો અને તમારી સ્તંભિની વિદ્યા મને આપો.'' તે સાંભળીને જંબૂકુમાર બોલ્યા કે ‘‘હું તો પ્રાતઃકાળમાં જ આ ગૃહાર્દિકના બંધનનો ત્યાગ કરીને શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લેવાનો છું, મારે તારી વિદ્યાની કાંઈ પણ જરૂર નથી. વળી હે ભદ્ર! મેં કાંઈ તને સ્તંભિત કર્યો નથી, પણ કોઈ દેવતાએ મારા પરની ભક્તિથી તને સ્તંભિત કર્યો હશે, તેમજ ભવની વૃદ્ધિ કરે તેવી વિદ્યાઓ હું લેતો કે દેતો નથી; પણ સમસ્ત અર્થને સાધી આપનારી શ્રી સર્વજ્ઞભાષિત જ્ઞાનાદિક વિદ્યાને જ ગ્રહણ કરવાને હું ઇચ્છું છું.'' એમ કહીને તેણે ચમત્કાર પામે તેવી ધર્મકથાઓ તેને વિસ્તારથી કહી. તે સાંભળીને પ્રભવ બોલ્યો કે “હે ભદ્ર! પુણ્યથી પ્રાપ્ત થયેલા ભોગોને તમે શા માટે ભોગવતા નથી?’’ જંબૂકુમારે જવાબ આપ્યો કે ‘કિંપાક વૃક્ષના ફળની જેમ અંતે દારુણ કષ્ટને આપનારા અને દેખવામાં જ માત્ર મનોહર એવા વિષયોને કર્યો ડાહ્યો માણસ ભોગવે? કોઈ ન ભોગવે.’’ એમ કહી તેણે પ્રથમ મધુબિંદુનું દૃષ્ટાંત કહ્યું. ફરીથી પ્રભવે કહ્યું કે ‘“તમારે પુત્ર થાય ત્યાર પછી દીક્ષા લેવી યોગ્ય છે, કેમકે પિંડ આપનાર પુત્રરહિતને સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી.’’ તે સાંભળીને જંબૂકુમારે હાસ્ય કરીને કહ્યું કે ‘જો એમ હોય તો સૂકર, સર્પ, શ્વાન, ગોઘા વગેરેને ઘણા પુત્રો હોય છે, તેથી તેઓ જ સ્વર્ગે જશે, અને બાલ્યાવસ્થાથી જ બ્રહ્મચર્ય પાળનારા સ્વર્ગે નહીં જાય.’’ આ પ્રસંગ ઉપર મહેશ્વર વણિકનું દૃષ્ટાંત કહી બતાવ્યું. પછી જંબૂકુમારની આઠે સ્ત્રીઓ અનુક્રમે બોલી. તેમાં પ્રથમ મોટી સમુદ્રશ્રી બોલી કે “હે સ્વામી! પુણ્યથી પ્રાપ્ત થયેલી આ લક્ષ્મીનો ત્યાગ કરીને તમે કેમ ચારિત્ર લેવા ઇચ્છો છો?’' જંબૂકુમારે જવાબ આપ્યો કે ‘વીજળીના જેવી ચપળ લક્ષ્મીનો શો વિશ્વાસ? માટે હે પ્રિયે! તે લક્ષ્મીને મૂકીને હું દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છું છું.” પછી બીજી પદ્મશ્રી બોલી કે છયે દર્શનનો મત એવો છે કે દાનાદિક ધર્મથી ઉપકારી હોવાને લીધે ગૃહસ્થાશ્રમીનો ધર્મ શ્રેષ્ઠ છે. કહ્યું છે કે— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy