SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૪ કેટલેક કાળે ભવદત્તના આગ્રહથી ભવદેવે પણ અર્થી શણગારેલી નાગિલા નામની પત્નીનો ત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. કેટલેક વર્ષે ભવદત્ત મુનિ સ્વર્ગે ગયા પછી ભવદેવ ચારિત્રથી ભગ્ન પરિણામવાળો થયો, તેને ફરીથી નાગિલાએ જ સ્થિર કર્યો. તે ભવદેવ મૃત્યુ પામીને સૌઘર્મ દેવલોકમાં દેવતા થયો. ભવદત્તનો જીવ સ્વર્ગથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિણી નામની પુરીમાં વજદર નામના ચક્રીની યશોઘરા નામની રાણીથી પુત્રપણે ઉત્પન્ન થયો. તે કુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યો, ત્યારે પિતાએ તેને ઘણી કન્યાઓ પરણાવી. એકદા તે રાજકુમાર પોતાની સ્ત્રીઓ સહિત મહેલની અગાશીમાં બેઠો હતો, તે વખતે આકાશમાં વિચિત્ર વર્ણવાળાં વાદળાંઓ તથા મેઘ જોઈને તે આનંદ પામ્યો. ક્ષણવારમાં પ્રચંડ વાયુ વાવા લાગ્યો, એટલે સર્વ વાદળાંઓ અને મેઘ વિખરાઈને જતાં રહ્યાં. તે જોઈને રાજકુમારે વિચાર્યું કે “આ વાદળાંઓની જેમ યૌવન, ઘન, સૌંદર્ય વગેરે સર્વ અનિત્ય છે.” એમ નિશ્ચય કરીને ગુરુ પાસે જઈ તેણે દીક્ષા લીધી. અનુક્રમે અવધિજ્ઞાન પામી તે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. તે જ વિદેહ ક્ષેત્રમાં વીતશોક નામના પુરમાં ભવદેવનો જીવ સૌઘર્મ દેવલોકમાંથી ચ્યવીને શિવકુમાર નામે રાજપુત્ર થયો. તે એકદા પોતાના મહેલના ગવાક્ષમાં બેઠો હતો, તેવામાં તે મુનિ કે જે પોતાના પૂર્વભવના ભાઈ હતા તે ત્યાંથી નીકળ્યા. તેને જોઈને શિવકુમાર અતિ હર્ષ પામ્યો. પછી મુનિ પાસે જઈ વંદના કરીને તેણે પોતાના સ્નેહનું કારણ પૂછ્યું ત્યારે તે જ્ઞાની મુનિએ પૂર્વની સર્વ વાત કહી સંભળાવી. તે સાંભળીને તે દીક્ષા લેવા ઉત્સુક થયો; પરંતુ માતાપિતાની આજ્ઞા નહીં મળવાથી તે ખેદ પામીને પૌષધશાળામાં જઈ નિરંતર છઠ્ઠ તપ કરી પારણાને દિવસે આચાર્લી વ્રત કરવા લાગ્યો. એ પ્રમાણે બાર વર્ષ સુધી તપ કરી ભાવયતિપણું સ્વીકારી ત્યાંથી કાળ કરીને બ્રહ્મ દેવલોકમાં આ વિદ્યુમ્માલી નામે દેવ થયો છે.” તે સાંભળીને શ્રેણિક રાજાએ તેનું ભાવિ વૃત્તાંત પૂછ્યું, ત્યારે શ્રી જિનેશ્વર બોલ્યા કે “આજથી સાતમે દિવસે આ દેવ ચ્યવીને આ જ નગરીમાં ઋષભ નામના શ્રેષ્ઠીની ઘારિણી નામની સ્ત્રીના ગર્ભથી જંબૂ નામે પુત્ર થશે. તે આ અવસર્પિણીમાં છેલ્લા કેવળી થશે.” આ પ્રમાણે ભગવાનની દેશના સાંભળી સર્વ જનો સ્વસ્થાને ગયા. પછી સાતમે દિવસે તે દેવ સ્વર્ગથી ચ્યવી ઘારિણીની કુક્ષિથી પુત્રરૂપે ઉત્પન્ન થયા. તેનું માતાપિતાએ જંબૂ નામ પાડ્યું. તે અનુક્રમે યુવાવસ્થા પામ્યા. એકદા વૈભારગિરિ ઉપર શ્રી સુઘર્મા સ્વામી સમવસર્યા. તેને નમવા માટે જંબૂકુમાર ગયા. સુઘર્મા સ્વામીને વાંદીને યોગ્ય સ્થાને બેસી અમૃત જેવી ઉજ્વલ દેશના સાંભળીને તે પોતાના ઘર તરફ પાછા વળ્યા. ગામના દરવાજા પાસે આવતાં તે દરવાજા પર શત્રુને મારવા માટે ચક્ર વગેરે ગોઠવેલાં હતાં, તે જોઈ જંબૂકમારે વિચાર્યું કે “કદાચ આ મારણચક્રાદિક મારા ઉપર પડે, તો હું ઘર્મ કર્યા વિના કેવી ગતિ પામું? માટે હું પાછો વળીને ગણઘર પાસે જઈ જીવન પર્યત બ્રહ્મચર્યનું પચખાણ તો લઈ આવું.” એમ વિચારી ગણઘર પાસે જઈ બ્રહ્મચર્યનું પચખાણ લઈને તે ઘેર આવ્યા. પછી માતાપિતાને તેણે કહ્યું કે “હું આપની આજ્ઞાથી શ્રી સુઘર્મા સ્વામી પાસે દીક્ષા લેવા ઇચ્છું છું.” આ પ્રમાણેનું કાલકૂટના જેવું તેનું વચન સાંભળીને માતાપિતાએ પુત્ર પરના સ્નેહથી મોહ પામીને સંયમની દુષ્કરતા વગેરેનું વર્ણન કર્યું. તેના અનેક ઉત્તરો આપીને જંબૂકુમારે માતાપિતાને નિરુત્તર કર્યા; એટલે ફરીથી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy