SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૫૨] અંતિમ કેવળી ૨૩૫ છો?” ભવદેવ બોલ્યો કે “હા, તે જ હું છું. મારા મોટા ભાઈ કાળ કરી સ્વર્ગે જવાથી ભોગમાં ઉત્સુક એવો હું અહીં આવ્યો છું, માટે તું મને નાગિલાના ખબર આપ.” તે સાંભળી નાગિલા બોલી કે “હે મહાત્મા! હું જ તે નાગિલા છું. મારા દેહમાં તમે શું લાવણ્ય જુઓ છો?” ઇત્યાદિ ઘણી સારી રીતે તેને ઉપદેશ કર્યો, તો પણ ભવદેવની આસક્તિ ઓછી થઈ નહીં, તેવામાં નાગિલની સાથે હતી તે સખીના પુત્રે ત્યાં આવીને કહ્યું કે “હે માતા! એક વાસણ લાવો, એટલે મેં પ્રથમ ખાધેલી ખીર હું તેમાં ઓકી કાઢું. મારે આજ જમવાનું નોતરું આવ્યું છે, માટે હું ત્યાં જઈને જમી આવીશ. પછી જ્યારે મને ભૂખ લાગશે ત્યારે હું ઓકી કાઢેલી ખીર ખાઈશ.” તે સાંભળીને તે વૃદ્ધા બોલી કે “હે પુત્ર! શ્વાનથી પણ અધિક જુગુપ્સા કરવા લાયક આ કાર્ય કરવું તે તને યોગ્ય નથી.” ભવદેવ પણ બોલ્યો કે “હે બાળક! વમન કરેલાને ખાવાની ઇચ્છા કરવાથી તું શ્વાનથી હલકો ગણાઈશ.” ત્યારે નાગિલા બોલી કે “હે મહાત્મા! તમે એવું જાણો છો, છતાં પ્રથમ વમન (ત્યાગ) કરેલી એવી જે હું તેને હવે પાછા કેમ ચાહો છો? લાજતા કેમ નથી? દુર્ગધી એવા મારા દેહમાં સારું શું જુઓ છો?” ઇત્યાદિ નાગિલાની યુક્તિયુક્ત વાણીથી પ્રતિબોઘ પામેલો ભવદેવ ફરીથી ગુરુ પાસે ગયો, અને ફરીથી ચારિત્ર ગ્રહણ કરી ગુરુએ કહેલા તપનો સ્વીકાર કરી છેવટે અનશનથી કાળ કરીને સૌઘર્મ દેવલોકમાં દેવતા થયો. ત્યાંથી ચ્યવીને તે શિવકુમાર થયો. ત્યાં દીક્ષા લેવા ઉત્સુક છતાં જ્યારે માતાપિતાએ તેને દીક્ષાની આજ્ઞા આપી નહીં ત્યારે ઘેર રહીને ભાવમુનિ થઈ નિરંતર છઠ્ઠને પારણે આયંબિલ તપ કરવા લાગ્યો. એવી રીતે બાર વર્ષ સુધી તપ કરીને તે ભાવમુનિ કાળ કરીને બ્રહ્મદેવલોકમાં અદ્ભુત કાંતિવાળો વિદ્યુમ્માલી દેવતા થયો. “આ પ્રમાણે ભવદેવે પ્રથમ લાના વશથી દીક્ષા લઈને તેનું દ્રવ્યથી ઘણાં વર્ષ સુધી પાલન કર્યું, પછી સ્ત્રીના વચનથી પ્રતિબોધ પામીને શુદ્ધ વ્રત ઘારણ કર્યું, અને તેનું પ્રતિપાલન કરી સદ્ગતિનું ભાજન થયો.” વ્યાખ્યાન ઉપર અંતિમ કેવળી गणाधिपेऽथ संप्राप्ते, पंचमे पंचमी गतिम् । जंबूर्विकासयामास, शासनं पापनाशनम् ॥१॥ ભાવાર્થ-“પાંચમા ગણઘર સુઘર્માસ્વામી પાંચમી ગતિ (મોક્ષ) પાયે સતે શ્રી જંબુસ્વામીએ પાપને નાશ કરનારા જૈનશાસનનો વિકાસ કર્યો.” શ્રી જંબૂસ્વામીની કથા એકદા વૈભારગિરિ ઉપર શ્રી મહાવીર સ્વામી સમવસર્યા. તે સાંભળીને શ્રેણિક રાજા સર્વ સમૃદ્ધિથી ત્યાં જઈ પ્રભુને વાંદી દેશના સાંભળવા બેઠા. તે સભામાં ચાર દેવીઓ સહિત બેઠેલા કોઈ અતિ દેદીપ્યમાન કાંતિવાળા દેવને જોઈને રાજાએ પ્રભુને પૂછ્યું કે “હે સ્વામી! સર્વ દેવોમાં આ દેવ અતિ કાંતિમાન છે તેનું શું કારણ?” ત્યારે પ્રભુ બોલ્યા કે “પૂર્વે તમારા જ દેશમાં ભવદત્ત અને ભવદેવ નામના બે ભાઈઓ હતા. તેમાં મોટા ભાઈ ભવદત્તે ચારિત્ર ગ્રહણ કર્યું હતું. પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy