SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતરભાગ ૫ [સ્તંભ ૨૪ વિરક્ત થઈને વૈરાગ્યથી સુસ્થિત નામના આચાર્ય પાસે દીક્ષા લીધી. ગુરુની સાથે વિહાર કરતાં તે ભવદત્ત મુનિ ગીતાર્થ થયા. એકદા કોઈ સાધુ ગુરુની રજા લઈને પોતાને ગામ પોતાના નાના ભાઈને પ્રતિબોધ આપવા માટે ગયા; પણ ત્યાં તેનો ભાઈ તો વિવાહના કાર્યમાં વ્યગ્ર હતો, તેથી તેણે પોતાના મોટા ભાઈ મુનિને આવેલા પણ જાણ્યા નહીં; એટલે ખેદયુક્ત થઈને તે મુનિએ ગુરુ પાસે પાછા આવી સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને ભવદત્ત મુનિ બોલ્યા કે ‘અહો! તમારા ભાઈનું હૃદય તો બહુ કઠણ લાગે છે કે જેથી તમારો સત્કાર પણ તેણે કર્યો નહીં.'' ત્યારે તે મુનિ બોલ્યા કે ‘‘ત્યારે તમે તમારા નાના ભાઈને દીક્ષા અપાવો.'' તે સાંભળી ભવદત્ત બોલ્યો કે ‘જ્યારે ગુરુ તે દેશ તરફ વિહાર કરશે ત્યારે તે કૌતુક તમને બતાવીશ.’' અન્યદા ગુરુમહારાજ વિહાર કરતાં કરતાં ભવદત્તના ગામ તરફ ગયા; ત્યારે ગુરુની આજ્ઞા લઈને ભવદત્ત પોતાને ઘેર ગયા. તે વખતે ભવદેવ નાગદત્તની નાગિલા નામની કન્યાને તરતમાં જ પરણ્યો હતો. ભવદત્ત મુનિએ ભાઈને ઘેર જઈ ધર્મલાભ આપ્યો ત્યારે તેના સ્વજનોએ તેમને પ્રાસુક અન્નથી પ્રતિલાભ્યા. તે સમયે કુળાચારને લીધે ભવદેવ પોતાની સ્ત્રીને શણગારવાના પ્રારંભમાં તેના વક્ષ:સ્થળ પર ચંદનના રસથી અંગરાગ કરતો હતો, ત્યાં તેણે મોટા ભાઈને આવેલા સાંભળ્યા; એટલે તેને અર્થી શણગારેલી પડતી મૂકીને તરત જ તે મુનિને વાંદવા આવ્યો. પછી ભવદત્ત મુનિએ ત્યાંથી પાછા વળી ગુરુ પાસે આવતાં નાના ભાઈના હાથમાં ઘીનું પાત્ર આપ્યું. તેમને વળાવવા માટે આવેલા સર્વ સ્વજનો થોડે દૂર જઈને અનુક્રમે પાછા વળ્યા; પણ ભવદેવ તો ભવદત્ત મુનિએ કરવા માંડેલી બાલ્યક્રીડાની વાતો સાંભળતો સાંભળતો ભાઈની (મુનિની) સાથે જ ચાલ્યો. અનુક્રમે પોતાના ભાઈ સહિત ભવદત્ત મુનિને આવતા જોઈને સર્વ સાધુઓ બહુ વિસ્મય પામ્યા, અને તેમની પ્રશંસા કરવા લાગ્યા કે “અહો! આ ભવદેવ શું બાલ્યવયમાં જ દીક્ષા લેશે?’’ પછી ભવદત્ત મુનિ ગુરુને નમીને બોલ્યા કે આ મારો ભાઈ આપની પાસે દીક્ષા લેવા આવ્યો છે.'' ત્યારે ગુરુએ ભવદેવને પૂછ્યું કે ‘“તારે દીક્ષા લેવી છે?” તે સાંભળી ભવદેવે વિચાર્યું કે ‘“મારા મોટા ભાઈનું વચન મિથ્યા ન થાઓ.'' એમ વિચારીને તે બોલ્યો કે ‘હે ગુરુ! હું દીક્ષા માટે જ આવ્યો છું.'' તે સાંભળીને ગુરુએ તેને દીક્ષા આપી. અનુક્રમે તે વૃત્તાંત તેના સ્વજનોએ જાણ્યો, એટલે તેઓ ત્યાં આવ્યા, પણ તેણે દીક્ષા લીધેલી દેખીને પાછા ગયા. હવે ભવદેવ મુનિ મોટા ભાઈના ઉપ૨ોધથી વ્રતનું પાલન કરતો હતો, પણ યોગીના હૃદયમાં પરમાત્માની જેમ તેના હૃદયમાં નાગિલાનું ચિંતન થયા કરતું હતું. કેટલાક વર્ષ પછી ભવદત્ત મુનિ અનશન ગ્રહણ કરીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. ત્યારે ભવદેવે વિચાર્યું કે ‘‘અહો! ભવદત્ત તો સ્વર્ગે ગયા; હવે મારે વ્રતનો પરિશ્રમ શા માટે કરવો? મારા જીવિતને ધિક્કાર છે! કેમકે હું અર્ધી શણગારેલી પ્રાણપ્રિયાનો ત્યાગ કરીને અહીં આવ્યો છું, માટે હવે તો ઘેર પાછો જાઉં.'' એમ વિચારીને સંયમથી ભ્રષ્ટ મનવાળો થઈ તે પોતાના નગર તરફ ચાલ્યો. ત્યાં નગરની બહારના ઉપવનમાં એક વૃદ્ધ સ્ત્રીને બીજી કાંઈક જરા આવેલી સ્ત્રી સાથે જોઈને તેણે પૂછ્યું કે “હે ડોશી! આ ગામમાં ભવદેવની સ્ત્રી નાગિલા રહે છે, તે કુશળ છે?’’ તે સાંભળીને કાંઈક જરા આવેલી આ જે નાગિલા જ હતી તેણે ભવદેવને ઓળખીને પૂછ્યું કે “હે મુનિ! શું તમે જ નાગિલાના પતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy