SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૫૧] લાથી પણ વ્રત અત્યાજ્ય ૨૩૩ પછી વિદ્યા સિદ્ધ કરીને રાજા આકાશમાર્ગે પોતાના નગરમાં ગયો, ત્યાંથી પાછો તે પર્વત પર આવ્યો. એવી રીતે તે રાજા વારંવાર પર્વત ઉપર જતો અને પાછો પોતાના નગરમાં આવતો; તેથી લોકોએ ના એટલે પર્વત પર આની ગતિ છે એમ જાણીને તેનું નતિ એવું સાર્થક નામ પાડ્યું. તે વિદ્યાધરની પુત્રી કનકમાળા તો તે વ્યંતર દેવના કહેવાથી તે પર્વત પર જ રહી; તેથી નગતિ રાજાએ ત્યાં નવું નગર વસાવ્યું. એકદા કાર્તિકી પૂર્ણિમાને દિવસે રાજા સૈન્ય સહિત નગર બહાર નીકળીને રમવાડીએ જવા ચાલ્યો. ત્યાં નવીન પલ્લવોથી રક્ત અને માંજરોથી પીત દેખાતો એક સદા ફળવાળો છત્રાકાર આમ્રવૃક્ષ જોયો; એટલે તે મનોહર વૃક્ષની એક માંજર રાજાએ માંગળિકને માટે ગ્રહણ કરી અને ત્યાંથી આગળ ચાલ્યો. પાછળથી આખા સૈન્ય તેનાં પત્ર, પલ્લવ અને માંજર લઈને તે વૃક્ષને હૂંટારૂપ કરી નાંખ્યું. થોડી વારે રાજા પાછો વળી તે જ જગ્યાએ આવ્યો. ત્યારે તેણે “પેલો આંબો ક્યાં છે?” એમ મંત્રીને પૂછ્યું. ત્યારે મંત્રીએ તે હૂંઠું બતાવ્યું. તે જોઈને ફરીથી રાજાએ પૂછ્યું કે “તે આવો કેમ થઈ ગયો?” મંત્રીએ કહ્યું કે “હે સ્વામી! આ વૃક્ષની એક મંજરી પ્રથમ આપે ગ્રહણ કરી, ત્યાર પછી સૈન્યના સર્વ લોકોએ તેનાં પત્ર, પુખ તથા ફળ વગેરે લઈને જેમ ચોર લોકો ઘનિકને લક્ષ્મી વિનાનો કરી નાખે તેમ તેને શોભારહિત કરી નાખ્યો.” તે સાંભળીને રાજાએ વિચાર કર્યો કે “અહો! લક્ષ્મી (શોભા) કેવી ચંચળ છે? જુઓ! આ અભુત લક્ષ્મીવાળો આમ્રવૃક્ષ ક્ષણવારમાં લક્ષ્મી રહિત થઈ ગયો. જે પ્રથમ સંતોષ કરનાર હોય તે ક્ષણાંતરમાં જ વમન કરેલા ભોજનની જેમ જોવા યોગ્ય પણ રહેતું નથી. જેમ જળના બુબુદો (પરપોટા) અને સંધ્યા સમયની કાંતિ સ્થિર રહેતી નથી, તેમ સર્વ સંપત્તિઓ પણ અસ્થિર છે એમ નિશ્ચય થાય છે.” આ પ્રમાણે વિચાર કરીને પોતાની મેળે કેશનો લોચ કરી દેવદત્ત મુનિવેષ ઘારણ કરીને ગાંઘાર દેશના રાજા નગ્ગતિએ ચારિત્ર અંગીકાર કર્યું, અને ત્યાંથી તે ચોથા પ્રત્યેકબુદ્ધે પૃથ્વી પર વિહાર કર્યો. વ્યાખ્યાન ૩૫૧ લથી પણ વ્રત અત્યાજ્ય કેટલાક લwથી પણ ગ્રહણ કરેલા વ્રતને તજતા નથી તે વિષે કહે છે– लज्जातो गृहीतां दीक्षा, निर्वहति यदा नरः । तदा सत्त्वेषु योग्यात्मा, लक्ष्यते भवदेववत् ॥१॥ ભાવાર્થ-“જ્યારે માણસ લજ્જાથી પણ ગ્રહણ કરેલી દીક્ષાનું પાલન કરે છે, ત્યારે તે ભવદેવની જેમ ધૈર્યવાન પુરુષોમાં યોગ્ય આત્મા જણાય છે.” આ અર્થનું સમર્થન કરવા માટે સંપ્રદાયાગત ભવદેવનો સંબંઘ કહેવામાં આવે છે. ભવદેવની કથા સુગ્રામ નામના ગામમાં રાઠોડવંશી આર્યવાન નામનો એક કૌટુંબિક (કણબી) રહેતો હતો. તેને રેવતી નામે સ્ત્રી હતી, અને ભવદત્ત તથા ભવદેવ નામે બે પુત્રો હતા. તેમાંના ભવદત્તે સંસારથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy