SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૪ પ્રિય વચન બોલનારને દીન કહે છે, તેજસ્વી હોય તો ગર્વિષ્ઠ કહે છે, વક્તા હોય તો વાચાળ કહે છે અને સ્થિરતાવાળો હોય તો અશક્તિમાન કહે છે, માટે એવો કયો ગુણ છે કે જેને દુર્જનોએ કલંકિત કર્યો નથી?’’ અર્થાત્ તેણે સર્વ ગુણોને કલંક વડે અંકિત કરેલા છે. આ પ્રમાણે વિચારીને રાજાએ તેને પટ્ટરાણી કરી. એકદા રાજાએ પટ્ટરાણી સાથે ધર્મોપદેશ સાંભળીને શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પછી અનુક્રમે તે ચિત્રકારની પુત્રી ધર્મનું આરાધન કરીને સ્વર્ગે ગઈ, ત્યાંથી ચ્યવીને તે વૈતાઢ્ય પર્વત ઉપર દૃઢશક્તિ રાજાની પુત્રી થઈ. તે પુત્રી જ્યારે યુવાવસ્થા પામી ત્યારે તેને જોઈને મોહ પામેલો વાસવ નામનો ખેચર તેનું હરણ કરીને આ પર્વત ૫૨ લાવ્યો. અહીં વિદ્યાના બળથી આ પ્રાસાદ બનાવીને તે પરણવાને તૈયાર થયો. તેવામાં તે કન્યાનો મોટો ભાઈ અહીં આવ્યો એટલે વાસવનું ને તેનું યુદ્ધ થયું. તેને પરિણામે બન્ને જણા મૃત્યુ પામ્યા. પોતાના ભાઈના મરણથી તે કન્યા શોકાતુર થઈ, અને અત્યંત રુદન કરવા લાગી. તેવામાં કોઈ વ્યંતર દેવે આવીને કહ્યું કે “હે વત્સે! તું કેમ રુદન કરે છે?'' તેનો જવાબ તે આપે છે, તેટલામાં તે કન્યાનો પિતા ત્યાં આવ્યો. તેને આવતો જોઈને તે દેવે તે કન્યાને શબરૂપ કરી નાંખી. દૃઢશક્તિ રાજાએ પુત્રને તથા પુત્રીને મરેલાં જોઈને ઉદ્વેગ પામી સંસારની અસારતા જાણી પોતાને હાથે લોચ કરી ચારિત્ર અંગીકાર કર્યું. ત્યાર પછી તે દેવે માયાનું હરણ કરી તે કન્યાને સચેતન કરી, અને તે બન્નેએ મુનિને વંદના કરી. પછી મુનિના પૂછવાથી તે કન્યાએ પોતાના ભાઈનું વૃત્તાંત કહ્યું. ત્યારે મુનિ બોલ્યા કે “મેં હમણાં ત્રણ શબ કેમ જોયાં હતાં?’’ એટલે તે દેવ બોલ્યો કે મેં મારી માયા તમને બતાવી હતી.” મુનિએ પૂછ્યું કે “શા માટે' દેવ બોલ્યો કે “આ કન્યા પૂર્વે ચિત્રકારની પુત્રી, જિતશત્રુ રાજાની રાણી અને પરમ શ્રાવિકા હતી. તેણે પોતાના પિતાના મૃત્યુ સમયે પંચ નમસ્કારાદિક વડે તેની નિર્યામણા કરી હતી; તેથી તે ચિત્રકાર મરીને વ્યંતરદેવ થયો છે તે હું છું. મેં અવધિજ્ઞાનથી આ મારી પૂર્વભવની પુત્રીને શોકાતુર જોઈને પૂર્વ ભવના પ્રેમથી તેની આશ્વાસના કરી. તે વખતે તમને આવતા જોઈને મેં વિચાર્યું કે હવે આ પુત્રી તેના પિતા સાથે જતી રહેશે; તેથી મને તેનો વિરહ થશે, એમ જાણીને તેને ચેષ્ટારહિત કરી હતી. પછી તમને નિઃસ્પૃહી (મુનિ) થયેલા જોઈને મેં મારી માયા દૂર કરી. હે મુનિરાજ! તે મારા અપરાધને ક્ષમા કરો.'' મુનિ બોલ્યા કે ‘‘તમે મને ઘર્મપ્રાપ્તિમાં હેતુભૂત થવાથી મારા ઉપકારી થયા છો.’' એમ કહીને મુનિએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. પછી તે કન્યાને જાતિસ્મરણ થવાથી પોતાના પૂર્વભવના પિતા તે દેવને ઓળખીને તેણે પૂછ્યું કે ‘“હે પિતા! મારો પતિ કોણ થશે?' દેવે અવધિજ્ઞાનથી જાણીને કહ્યું કે “હે પુત્રી! તારો પૂર્વભવનો પતિ સ્વર્ગથી ચ્યવીને સિંહરથ નામે રાજા થયો છે. તે અશ્વ વડે હરણ કરાઈને અહીં આવશે અને તે તારો પતિ થશે, માટે ઘીરજ રાખીને તું અહીં જ રહે.'' આ પ્રમાણે પ્રિયાએ કહેલું વૃત્તાંત સાંભળીને સિંહરથ રાજાને પણ જાતિસ્મરણ થવાથી તે સંદેહરહિત થયો. પછી તે સ્ત્રીની સાથે રાજા એક માસ સુધી ત્યાં આનંદથી રહ્યો. એકદા તે સ્ત્રીએ રાજાને કહ્યું કે “હે પ્રિય! તમારું નગર અહીંથી ઘણે દૂર છે, માટે મારી પાસેથી તમે પ્રજ્ઞતિ વિદ્યા ગ્રહણ કરો.’’ રાજાએ તે વિદ્યા ગ્રહણ કરીને વિધિપૂર્વક તેનું સાધન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy