SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૫૦] ત્રીજા પ્રત્યેકબુદ્ધ નગ્નતિ ૨૩૧ રાજાએ તેને જ વારો આપ્યો. પછી પહેલી રાત્રિની જેમ રાજા ખોટી નિદ્રા લેવા લાગ્યો, ત્યારે દાસીએ પૂછ્યું કે “હે સ્વામિની! કાલની શંકાનો જવાબ આપો.” ત્યારે રાણી બોલી કે “ચાર હાથની પ્રતિમા એટલે તે પ્રતિમાને ચાર બાહુ હતી, પણ તે ચાર હાથ ઊંચી નહોતી, અર્થાત્ ઊંચાઈમાં તો એક હાથની નાની હતી, તેથી એક હાથ ઊંચા ચૈત્યમાં તે રહી શકી.” પછી દાસીએ બીજી વાર્તા કહેવાનું કહ્યું, ત્યારે રાણી બોલી કે “કોઈ વનમાં રાતો અશોક વૃક્ષ હતો. તેને સેંકડો શાખાઓ હતી, પણ તેની છાયા પૃથ્વી પર બિલકુલ પડતી નહોતી.” ત્યારે દાસીએ પૂછ્યું કે “એવડા મોટા વૃક્ષને છાયા કેમ ન હોય? હોવી જ જોઈએ.” રાણી બોલી કે “અત્યારે તો નિદ્રા આવે છે; કાલે જવાબ આપીશ.” એમ કહી સૂઈ ગઈ. ત્રીજે દિવસે પણ રાજાએ તેને વારો આપ્યો. એટલે રાત્રે પૂર્વની જેમ દાસીએ પૂછ્યું, ત્યારે રાણીએ તેનો ખુલાસો આપ્યો કે “તે વૃક્ષ કૂવા ઉપર હતું, તેથી તેની છાયા કૂવામાં પડતી હતી, એટલે તે પૃથ્વી પર પડતી નહોતી.” આ પ્રમાણે કનકમંજરીએ છ માસ સુધી વાર્તાઓ કહીને રાજાને વશ કર્યો; તેથી બીજી રાણીઓ કનકમંજરી ઉપર કોપાયમાન થઈને તેનાં છિદ્રો શોધવા લાગી. હવે કનકમંજરીને એવો નિયમ હતો કે તે હમેશાં એક વાર ઓરડો બંધ કરીને પોતાના પિતાનાં ઘરનાં લૂગડાં પહેરી રાજાએ આપેલાં ઉત્તમ વસ્ત્રો તથા આભૂષણો કાઢી નાંખીને પૂર્વાવસ્થાનું સ્મરણ કરી પોતાના આત્માની નિંદા કરતી કે “અરે જીવ! તું મદ કરીશ નહીં, ઋદ્ધિગૌરવ કરીશ નહીં, કેમકે કદાચિત્ રાજા કોહેલી કૂતરીની જેમ તને ઘરમાંથી કાઢી પણ મૂકે; માટે અહંકાર ન કરીશ.” આ પ્રમાણેની તેની ચેષ્ટા માત્ર જોઈને બીજી રાણીઓએ રાજાને કહ્યું કે “હે સ્વામી! ચિતારાની દીકરી જે તમારી માનીતી છે તે હમેશાં કાંઈક કામણ કરે છે, માટે તે તમે જાતે પ્રમાદ મૂકીને જુઓ અને તમારી ખાતરી કરો; નહીં તો તેની ઉપરના મોહથી તમે કાંઈ પણ કામ કરવા જેવા રહેશો નહીં (નકામા થઈ જશો).” તે સાંભળીને રાજા પોતે પ્રચ્છન્ન રીતે તે જોવા માટે ગયો. તે વખતે કનકમંજરીને હંમેશની જેમ પોતાના આત્માને શિખામણ આપતી જોઈ. તેનાં તેવાં વચનો સાંભળીને સંતુષ્ટ થયેલા રાજાએ વિચાર કર્યો કે मदोन्मत्ता भवत्यन्ये, स्वल्पायामपि संपदि । असौ तु संपदुत्कर्ष, संप्राप्तापि न माद्यति ॥ ભાવાર્થ-“બીજી સ્ત્રીઓ થોડી સંપત્તિમાં પણ મદોન્મત્ત થયેલી છે, પરંતુ આ તો મોટી સમૃદ્ધિ પામ્યા છતાં પણ ગર્વ કરતી નથી.” મારી બીજી રાણીઓ ઈર્ષ્યાથી આના ગુણને પણ દોષરૂપે જુએ છે; પરંતુ દુર્જનનો એવો સ્વભાવ જ હોય છે. કહ્યું છે કે जाड्यं ह्रीमति गण्यते व्रतरुचौ दंभः शुचौ कैतवं । शूरे निघृणता ऋजौ विमतिता दैन्यं प्रियालापिनी॥ तेजस्विन्यवलिप्तता मुखरता वक्तर्यशक्तिः स्थिरे । तत्को नाम गुणो भवेत् स गुणिनां यो दुर्जनै कितः॥४॥ ભાવાર્થ-“દુર્જનો લવંતને વિષે જડતા ગણે છે, વ્રતની રુચિવાળાને વિષે દંભનો આરોપ કરે છે, પવિત્રને વિષે કપટ કહે છે, શુરવીરને નિર્દય કહે છે, સરલ સ્વભાવવાળાને મૂર્ખ કહે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy