SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૫૩] ભાવવંદનનું ફળ ૨૪૩ તે તેની પાછળ ગયા. પ્રશ્ને તરત જ સર્વ સૈન્યને ભગ્ન કરી દઈને હાથીને દાંતરહિત કરે તેમ કૃષ્ણને પણ શસ્ત્રરહિત કરી દીધા, તેથી કૃષ્ણ ખેદ પામવા લાગ્યા; એટલે તે જ વખતે નારદે આવીને તેનો સંશય દૂર કર્યો. પછી પ્રદ્યુમ્ર આવીને પિતાના ચરણમાં પડ્યો અને બોલ્યો કે ‘‘ઠે પિતા! મારો અપરાધ ક્ષમા કરો. મેં માત્ર કૌતુકને માટે જ આ ચમત્કાર બતાવ્યો છે.’’ પછી કૃષ્ણે હર્ષપૂર્વક મોટા ઉત્સવથી પુત્રને પુરપ્રવેશ કરાવ્યો. એ અવસરે દુર્યોધને આવીને કૃષ્ણને કહ્યું કે “મારી પુત્રી અને તમારા પુત્ર ભાનુની વહુનું કોઈએ હરણ કર્યું છે, તેથી તેની શોધ કરાવો.’' કૃષ્ણે કહ્યું કે “શું કરીએ? ઘણી શોધી પણ કાંઈ પત્તો લાગતો નથી.’’ એમ કહીને ખેદ પામેલા પિતાને જોઈને પ્રધુમ્ર બોલ્યો કે “હું હમણા મારી વિદ્યાથી તેને શોધીને અહીં લાવું છું, તમે ખેદ ક૨શો નહીં.’’ એમ કહીને તરત જ તે કન્યાને તે લઈ આવ્યો. પછી કૃષ્ણે તથા દુર્યોધને કહ્યું કે “હે પ્રધુમ્ર! તું જ આ કન્યાને પરણ.’’ તે બોલ્યો કે તે યોગ્ય નહીં. ભાનુકુમારને જ પરણાવો.'' આ પ્રકારનો તેનો ઉદાર આશય જોઈને અનેક વિદ્યાધરોએ તથા રાજાઓએ પ્રશ્નને પોતપોતાની કન્યાઓ આપી. એકદા સત્યભામાને અતિ કૃશ અને દુઃખિત જોઈને કૃષ્ણે તેને પૂછ્યું કે “કેમ, તને શું દુઃખ છે?’’ ત્યારે તે બોલી કે “પ્રદ્યુ× જેવા પુત્રને હું ઇચ્છું છું.” કૃષ્ણે કહ્યું કે ‘“તારી ચિંતા હું દૂર કરીશ.’’ પછી કૃષ્ણે ચતુર્થ તપ કરીને હણિગમેષી દેવનું આરાધન કર્યું, એટલે તેણે પ્રગટ થઈને ઇચ્છિત પુત્રને આપનારો હાર તેને આપ્યો અને અદૃશ્ય થયો. તે હારપ્રાપ્તિનું સ્વરૂપ પ્રધુમ્રના જાણવામાં આવ્યું, એટલે તેણે માયાથી જાંબૂવતી માતાને સત્યભામા જેવી કરીને કૃષ્ણ પાસે મોકલી. હરિએ તેના કંઠમાં તે હાર નાંખીને તેની સાથે ક્રીડા કરી. તે વખતે દૈવયોગે સ્વર્ગમાંથી ચ્યવીને કોઈ દેવતા જાંબૂવતીની કુક્ષિમાં અવતર્યો. પછી હર્ષ પામતી જાંબૂવતી પોતાના મહેલમાં ગઈ. થોડી વારે સત્યભામા ભોગને માટે કૃષ્ણ પાસે આવી. ત્યારે કૃષ્ણે વિચાર્યું કે “અહો! આ સ્ત્રી હજુ તૃપ્તિ પામી નથી; તેથી ફરીને આવી જણાય છે. સ્ત્રીઓને કામની શાંતિ હોતી નથી તે વાત સત્ય છે!’' એમ વિચારીને તેની સાથે પણ તેણે ક્રીડા કરી. તે વખતે સમય જોઈને પ્રશ્ને ભંભા વગાડી, જેથી કૃષ્ણ ક્ષોભ પામ્યા. પછી તેણે સત્યભામાને કહ્યું કે “તારે પુત્ર થશે.’’ પ્રાતઃકાળે જાંબૂવતીના કંઠમાં પેલો હાર જોઈને કૃષ્ણે વિચાર્યું કે ‘‘ખરેખર, ગઈ રાત્રે પ્રધુમ્ર જ આ પ્રપંચ રચ્યો હોય એમ જણાય છે.’’ એમ વિચારી કૃષ્ણ મૌન જ રહ્યા. અનુક્રમે સમય આવતાં જાંબુવતીએ શાંબ નામના પુત્રને જન્મ આપ્યો, અને સત્યભામાએ ભીરુક નામના પુત્રને જન્મ આપ્યો. બન્ને કુમારો અનુક્રમે વૃદ્ધિ પામી બાળક્રીડા કરવા લાગ્યા. તેમાં શાંબ ભીરૂકને હમેશાં બીવરાવતો, તેથી એકદા સત્યભામાએ કૃષ્ણને કહ્યું કે “મારા પુત્રને નિરંતર શાંબ બીવરાવે છે.’ કૃષ્ણે તે વાત જાંબૂવતીને કહી કે “તારો પુત્ર અન્યાયી સંભળાય છે.’’ જાંબૂવતી બોલી કે ‘‘ના, મારો પુત્ર તો ન્યાયી છે.’’ કૃષ્ણે કહ્યું કે ‘‘આપણે તેની ખાતરી કરીશું.’’ પછી કૃષ્ણે આભીરનું (ભરવાડનું) રૂપ લીધું, અને જાંબૂવતીને આભીરીનું રૂપ લેવરાવ્યું. પછી દહીં વેચવાના મિષથી ચાલતા ચાલતા તે બન્ને પુરના દરવાજા પાસે આવ્યા. ત્યાં શાંબે તેમને જોયા; એટલે તેણે આભીરીને કહ્યું કે “અહીં આવ, મારે દહીં લેવું છે.'' એમ કહીને તેને એક શૂન્ય ઘરમાં લઈ જઈને શાંબ કાંઈક કહેવા લાગ્યો, ત્યારે તે બન્નેએ પોતાનું સ્વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy