SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ સ્તિંભ ૨૦ લાખ ને એંશી હજાર સઝાય સહિત દશ ઉપવાસ, જાણીને સેવવાથી ૧૮૦ ઉપવાસ, તિર્યંચ સંબંધી નિયમનો ભંગ થયો હોય તો એક આયંબિલ, સ્વપ્નમાં ભંગ થયો હોય તો ચાર લોગસ્સ ને એક નવકારનો કાયોત્સર્ગ (એકસોને આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ), હસ્તક્રિયા કરવાથી ત્રણ ઉપવાસ, વારંવાર હસ્તક્રિયા કરવાથી દશ ઉપવાસ, પરસ્ત્રીના હૃદયનો સ્પર્શ કરવાથી એક ઉપવાસ, ઢીંગલા ઢીંગલીના વિવાહ કરવાથી એક પુરિમઠ્ઠ, ઢીંગલા ગૂંથવાથી એકાસણું, અને તેની ક્રીડા કરવાથી એક આંબિલ, પરસ્ત્રીને બળાત્કારે સેવવાથી એકસો એંશી ઉપવાસ, તેના પર તીવ્ર દ્રષ્ટિરાગ રાખવાથી બે ઉપવાસ, અને તેની સાથે તીવ્ર પ્રેમપૂર્વક વાતચીત કે હસ્ત વગેરેનો સ્પર્શ કરવાથી ત્રણ ઉપવાસની આલોયણા આવે છે. રૂપી નામની રાજપુત્રી બાળવિઘવા હતી. તેણે શીલસન્નાહ નામના અમાત્ય ઉપર દ્રષ્ટિરાગ કર્યો હતો. અનુક્રમે તે બન્નેએ દીક્ષા ગ્રહણ કરી હતી. છેવટ સંલેખનાને સમયે ગુરુએ તેને ઘણી રીતે બોઘ આપી સમજાવી, તોપણરૂપી સાથ્વીએ તે દ્રષ્ટિરાગ સંબંધી પાપની આલોચના લીધી નહીં. તે પાપ ગુપ્ત રાખવાથી (દંભ કરવાથી) તે અનન્ત ભવપરંપરા પામી. જો તે પાપની આલોચના લીધી હોત તો થોડા તપથી જ તેની કાર્યસિદ્ધિ થાત. કુમારિકા સાથે ભોગ કરવાથી અઠ્ઠમ, ઇત્વર પરિગ્રહિત (અમુક મુદત સુધી રખાત તરીકે કોઈએ રાખેલ)નો સમાગમ કરવાથી બે ઉપવાસ, મૈથુન સંબંધી અશુભ ચિંતવન કરવાથી એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે છે. શ્રી લક્ષ્મણા નામની સાધ્વીએ ચકલા ચકલીના મૈથુનની સ્તુતિ કરી હતી. તે પાપની આલોયણ ગુરુ પાસે લીધી નહીં, પણ પોતાની બુદ્ધિથી જ તે પાપના નાશને માટે પચાસ વર્ષ સુધી મહા ઉત્કટ તપ કર્યું, તો પણ તે પાપ નાશ પામ્યું નહીં; ઊલટી અનેક ભવ સુધી તે વિડંબના પામી. પણ જો દંભનો ત્યાગ કરીને ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્ત તપથી આલોચના કરી હોત તો થોડા કાળમાં જ શુદ્ધ થાત. પાંચમા પરિગ્રહ પરિમાણ નામના વ્રતમાં નવ પ્રકારના પરિગ્રહના નિયમનો ભંગ થાય તો જઘન્ય પુરિમઢ, મધ્યમથી આયંબિલ અને ઉત્કૃષ્ટથી એક ઉપવાસની આલોયણા આવે છે; દર્પથી નિયમનો ભંગ કરે તો દશ ઉપવાસની આલોયણા આવે છે; આ વ્રતનું પ્રાયશ્ચિત્ત તપ મહણસિંહ નામના શ્રાવકની જેમ તત્કાળ સ્વીકારી લેવું. સાધુએ પણ પોતાના ઉપકરણાદિક અધિક રાખવાથી તત્કાળ આલોયણા લઈ તે પાપને આલોવવું; નહીં તો વિબુદ્ધસિંહસૂરિની જેમ અનાર્ય કુળમાં જન્મવું પડે છે. તે કથા નીચે પ્રમાણે– વિબુદ્ધસિંહસૂરિનું દ્રષ્ટાંત શ્રી વિબુદ્ધસિંહ નામના સૂરિ પોતાના શિષ્યો સહિત સમસ્ત આસપ્રણીત ઘર્મમાં રક્ત હતા. પરંતુ એક યોગપટ્ટ ઉપર તેને ઘણી પ્રીતિ થઈ હતી. તે યોગપટ્ટ વિના કોઈ પણ સ્થાને તેને પ્રીતિ ઊપજતી નહોતી. યોગપટ્ટ એટલે ઊભી પલાંઠી વાળીને કેડ તથા પગને સાથે બાંધવામાં આવતું સૂતરનું વસ્ત્ર સમજવું. તે યોગપટ્ટ ઉપરની મૂછ તેણે તજી નહીં. જિનેન્દ્રોએ તો મૂછને જ સમસ્ત પરિગ્રહનું મૂળ કારણ કહેલું છે. તે મૂછનું પાપ તેણે મૃત્યુ વખતે પણ સમ્યપ્રકારે આલોચ્યું નહીં. તેથી તે સૂરિ કાળ કરીને અનાર્ય દેશમાં આરબના પ્લેચ્છ કુળમાં રાજપુત્ર થયા. ત્યાં તેના શરીર પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy