SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૮૯] પાંચ અણુવ્રત સંબંધી પ્રાયશ્ચિત્ત ૧૫ આયંબિલ અને ઉત્કૃષ્ટ એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત, અહંકારથી અસત્ય બોલે તો દશ ઉપવાસ, કલહ કરતાં, ચાડી કરતાં ને ખોટું કલંક દેતાં એક આયંબિલ, ઘર્મનો લોપ થાય એવું બોલે તો દશ ઉપવાસ, શાપ૧ દેવાથી અથવા હાથવતી કરકડા મોળવાથી એક ઉપવાસ, દુષ્ટપણાથી કોઈને મારવાનું કહે તો દશ ઉપવાસ, કોઈના પર કલંક ચડાવવા માટે તેને વ્યભિચારી કહેવો, શાકિની કહેવી અથવા કોઈને નિધિ મળ્યો છે—એ વગેરે દોષ આપવો તેથી દશ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. અક્ષરૐ, મસિ† (શાહી) અને ગુપ્ત કહેલ વાતનો ભેદ કરે તો એક આયંબિલ, ખોટી રીતે કોઈને દંડ કરાવે તો દશ ઉપવાસ એક વચનદ્વારા કોઈને મારી નાંખે તો એકસો ને એંશી ઉપવાસ, એક પખવાડિયા સુધી ક્રોધ રહે તો એક ઉપવાસ, ચાર માસ સુધી ક્રોધ રહે તો બે ઉપવાસ, વર્ષ સુધી ક્રોધ રહે તો દશ ઉપવાસ. (આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત સમજવું.) એક વર્ષથી વધારે મુદત ક્રોધ રહે તેની આલોચના છે જ નહીં. અભિચિકુમારે પોતાના પિતા ઉદાયી મુનિ ઉપર દ્વેષ રાખ્યો હતો. છેવટે મરણસમયે પણ તેણે ઉદાયી વિના બીજા સર્વ જીવોને ખમાવ્યા, અને ઉદાયી પરના દ્વેષની આલોચના કરી નહીં, તેથી તે "અધોગામી દેવતા થયો હતો. અસત્ય વાણી બોલવાના પાપની આલોચના નહીં લેનારા રજ્જા સાધ્વી, કુવલયપ્રભસૂરિ અને મરીચિ વગેરેનાં દૃષ્ટાંતો અહીં જાણવાં. સ્થૂલ અદત્તાદાનમાં પ્રમાદથી ખોટાં તોલાં તથા માપ રાખવાં, રસ પદાર્થમાં બીજો રસ ભેળવી વેચવો, દાણચોરી કરવી ઇત્યાદિકમાં જઘન્યથી પુરિમ, મધ્યમથી આંબિલ અને ઉત્કૃષ્ટથી ઉપવાસ, અહંકારથી તે કાર્યો કરે તો દશ ઉપવાસ, વિશ્વાસઘાત કરવાથી એક ઉપવાસ. અદત્તાદાનની આ પ્રમાણેની આલોયણ નહીં લેનાર અને અદત્ત ગ્રહણ કરવામાં આસક્ત ધવલ નામનો શ્રેષ્ઠી શ્રીપાલ રાજા ઉપર વિશ્વાસઘાતની સ્પૃહા રાખવાથી તે જ ભવમાં મોટી વ્યથાને પામ્યો હતો; અને કેસરી, રોહિણેય વગેરે ચોરો ચોરીનો ત્યાગ કરીને જિનેશ્વરના માર્ગના રાગી (ભક્ત) થયા હતા. મૈથુન વિરમણ નામના ચોથા વ્રતમાં પ્રમાદથી સ્વદારા સંબંધી નિયમનો ભંગ થયો હોય તો એક ઉપવાસ, વેશ્યા સંબંધી નિયમનો ભંગ થયો હોય તો બે ઉપવાસ, અહંકારથી ભંગ કર્યો હોય તો દશ ઉપવાસ, હીન જાતિની પસ્રીને અજ્ઞાતપણે સેવવાથી દશ ઉપવાસ, જાણીને સેવવાથી લાખ સજ્ઝાય સહિત† દશ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. આમ નામના રાજાએ ડુંબની સ્ત્રી સાથે ભોગ કરવાની ઇચ્છા કરી હતી તે વાત બપ્પભટ્ટસૂરિના જાણવામાં આવી, તેથી રાજા લજ્જિત થયો. પછી બ્રાહ્મણના કહેલા પ્રાયશ્ચિત્તથી રાજાએ તપાવેલી લોઢાની પૂતળીનું આલિંગન કરવાની ઇચ્છા કરી. તે જાણીને ગુરુએ રાજાને શિખામણ આપી કે,‘હે રાજ! એમ કરવાથી પાપનો ક્ષય થતો નથી.’’ પછી રાજાના પૂછવાથી ગુરુએ સર્વજ્ઞશાસ્ત્રને આધારે પ્રાયશ્ચિત્ત આપ્યું. તે પ્રાયશ્ચિત્ત તપ કરવાથી રાજા પાપરહિત થઈને ગુણ પામ્યો હતો. ઉત્તમ જાતિની પરસ્ત્રીને અજાણતાં સેવવાથી એક ૧. તારું ભૂંડું થજો ઇત્યાદિ બોલવું તે શાપ, ૨. આ સ્ત્રીજાતિ સંબંધી દોષ જાણવો, ડાકણ કહે છે તે. ૩. અક્ષર ફેરવવો, ૪ શાહી બદલાવવી, ૫. ભુવનપતિ વ્યંતરાદિ. ૬. લાખ નવકાર ગણવા અથવા લાખ શ્લોક વાંચવા-સંભારવા તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy