SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૦ તો આંબિલ અને ઉપદ્રવ કર્યો હોય તો ઉપવાસ કરવો. અહંકારથી પંચેન્દ્રિયનો વધ કર્યો હોય તો દશ ઉપવાસ, ઘણા એકેન્દ્રિયનો વધ કર્યો હોય તો દશ ઉપવાસ, ગળ્યા વિનાનું જળ એક વાર પીધું હોય તો બે ઉપવાસ, જળ ગળ્યા પછી તેનો સંખારો થોડો ઢોળાયો હોય તો બે ઉપવાસ, વારંવાર સંખારો ઢોળાયો હોય તો દશ ઉપવાસ, સંખારો સુકાઈ ગયો હોય તો દશ ઉપવાસ, ખારો અને મીઠો (ખારો ને મીઠા પાણીનો) સંખારો એકત્ર કરવામાં આવ્યો હોય તો ત્રણ ઉપવાસ, ગળ્યા વિનાના જળથી સ્નાન કર્યું હોય અથવા તેને ઊનું કર્યું હોય તો ત્રણ ઉપવાસ, લીલ ફૂલનો સંઘટ્ટ કર્યો હોય તો એક ઉપવાસ, લીલાં ઘાસ ઉપર બેસવા કે ચાલવાથી એક ઉપવાસ, ગર્ભપાતે ૧૦૮ ઉપવાસ, કરોળિયાનાં પડ ઉખેડવાથી દશ ઉપવાસ, ઉધઈનાં ઘર નષ્ટ કરવાથી દશ ઉપવાસ; ખાળકૂવામાં, કીડીઓના દરમાં તથા પોલાણવાળી જમીનમાં જળ જાય તેમ સ્નાન કરવાથી, અને ઊનું જળ અથવા ઓસામણ વગેરે તેવે સ્થાને ઢોળવાથી એક ઉપવાસ, પાણી ગાળતાં ઢોળે, ફાટેલા ગળણાથી પાણી ગાળે, લાકડાં પૂંજ્યા વિના અગ્નિમાં નાખે, સળેલું ધાન્ય ખાંડે, દળે, સેકે, ભરડે કે તડકે મૂકે, ઉકરડો સળગાવે, ક્ષેત્રમાં સૂઢ કરે, વાસીદું અગ્નિમાં નાખે, કોઉ નાખે, ચોમાસામાં ઢાંક્યા વિના દીવો કરે, ખાટલા ગોદડાં તડકે નાખે, વાસી ગાર લીંપે, વાસી છાણાં થાપે, ચકલી વગેરેના માળા ભાંગે, જીવ જોયા વિના વજ્ર ઘૂએ, રાત્રિએ સ્નાન કરે; ઘંટી, ખાંડણીઓ, ચૂલો વગેરે પૂંજ્યા વિના ઉપયોગમાં લે, સોય ખૂએ, ઇત્યાદિ કાર્ય નિષ્વસ(નિર્દય)પણે ક૨વાથી દરેક કાર્યમાં જઘન્યથી એક ઉપવાસનું, મઘ્યમથી ત્રણ ઉપવાસનું અને ઉત્કૃષ્ટથી દશ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. સુવાવડ કરવાથી બે અથવા ત્રણ ઉપવાસ, ઘણી સ્ત્રીઓની સુવાવડ કરવાથી દશ ઉપવાસ, જળો મુકાવવાથી એક ઉપવાસ, કૃમિના નાશ માટે ઔષધ ખાધું હોય તો ઉત્કૃષ્ટ દશ ઉપવાસ, જળાશયમાં સ્નાન કરે, લૂગડાં કે ગોદડાં વગેરે ધૂએ તો દશ ઉપવાસ અને કાંસકી વગેરેથી કેશ ઓળીને જૂ લીખની વિરાધના કરે તો દશ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. આ પ્રમાણે આલોચના સાંભળીને જે કોઈ પાપની આલોચના ન કરે તે મોટું દુઃખ પામે છે. ધર્મરાજાએ પૂર્વે પોતાના દુમકના ભવમાં ઘણાં સ્થાવર અને અનન્તકાયાદિકનો વધ કર્યો હતો, તેથી તેને ઘણું દુઃખ પ્રાપ્ત થયું હતું. પછી તેણે તે પાપની ગુરુ પાસે આલોચના કરી, અને ગુરુએ કહેલું પ્રાયશ્ચિત્ત અંગીકાર કર્યું, તેથી તે જ ભવમાં તે પાછો મોટો ઇમ્ય થયો. લાખો સાધર્મિકોને અન્નદાન આપીને તેણે સુખી કર્યા. ત્યારપછી બીજો મનુષ્યજન્મ પામતી વખતે તેના પ્રભાવથી બાર વર્ષનો દુષ્કાળ પડવાનો હતો તે પડ્યો નહીં, તેથી તેનું ધર્મરાજા નામ પડ્યું. આ દૃષ્ટાંત અમે સાતમા વ્રતમાં સવિસ્તર આપેલું છે. એક ગોવાળે બાવળની સૂઈથી જૂને પરોવી મારી હતી, તેનું પ્રાયશ્ચિત્ત ન કરવાથી તે એકસો ને આઠ ભવ સુધી શૂળીથી મરણ પામ્યો હતો. મહેશ્વર નામના શ્રેષ્ઠીની સ્ત્રીએ એક જૂ મારી હતી, તે જાણીને કુમારપાળ રાજાએ તેનું સર્વસ્વ લઈને તેના વડે તે જૂના પ્રાયશ્ચિત્ત બદલ યૂકાવિહાર નામનું ચૈત્ય કરાવ્યું હતું. શ્રી હરિભદ્રસૂરિએ પોતાના પ્રાયશ્ચિત્તને સ્થાને ચૌદસો ને ચુંમાળીશ ગ્રંથો બનાવ્યા છે. આ વગેરે દૃષ્ટાન્તો પોતાની મેળે જાણી લેવાં. હવે બીજા વ્રતનું પ્રાયશ્ચિત્ત આ પ્રમાણે છે—પાંચ મોટા અસત્ય છે, તે બોલવાથી જઘન્ય એક For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy