SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [તંભ ૨૪ વિનાનું જીવિત નિષ્ફળ છે, માટે જ હું ભોગોને તજું છું. વળી જીવિત, મરણ, લાભ, અલાભ, સુખ અને દુઃખ વગેરેમાં સમપણાની ભાવના કરીને મુક્તિ મેળવવા માટે જ દીક્ષા લેવી યોગ્ય છે.” આ પ્રમાણેના તેનાં વાક્યથી પ્રતિબોઘ પામેલી તે બોલી કે “આપણા પુત્રોને ઘન્ય છે કે જેઓ આપણા પહેલાં જ વ્રત લેવાની ઇચ્છાવાળા થયા. તેઓની સ્થિરતા જ આપણને પણ ઘર્મ આપનાર થઈ છે.” આ પ્રમાણે સર્વ પ્રતિબોધ પામવાથી ચાર જણાએ સાથે દીક્ષા ગ્રહણ કરી. આ વૃત્તાંત સાંભળીને ઈષકાર રાજા ભૃગુએ ત્યાગ કરેલા તેના ગૃહાદિકનું ગ્રહણ કરવા માટે તેને ઘેર આવ્યો. તે વખતે તેની કમળા નામની રાણી રાજાને વારંવાર કહેવા લાગી કે “બ્રાહ્મણે વમન કરેલા ગૃહના સારને તમે ખાવા ઇચ્છો છો; તેથી તમે વમનનું ભક્ષણ કરનારા થાઓ છો, તે તમારા જેવાને ઉચિત નથી. વળી તમારી આવી ઉત્કટ ઇચ્છા પૂર્ણ થવા માટે સમગ્ર જગતનું ઘન તમારે આધીન હોય તો પણ તે પૂર્ણ થાય તેમ નથી, તેમજ તે જરામરણના દુઃખને અટકાવવા સમર્થ નથી; કેમકે આ જગતમાં જન્મ ધારણ કરનારને અવશ્ય મરણ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે कश्चित्सखे त्वया दृष्टः, श्रुतः संभावितोऽथवा । क्षितौ वा यदि वा स्वर्गे, यो जातो न मरिष्यति ॥१॥ ભાવાર્થ-હે મિત્ર! આ પૃથ્વી ઉપર અથવા સ્વર્ગમાં તેં એવો કોઈ પ્રાણી જોયો છે, સાંભળ્યો છે, તથા સંભાવના પણ કરી છે કે જે જન્મેલો મૃત્યુ ન પામે? અર્થાત્ એવો કોઈ જ નથી. માટે હે સ્વામી! ઘર્મ વિના બીજું કોઈ રક્ષણ કરનાર નથી. આ ચારેએ આ સર્વ અનિત્ય જાણીને જ તેને તર્યું છે, અને હું પણ તે જાણીને આરંભથી પરિગ્રહ નિવૃત્તિ પામી છું, માટે હે નાથ! હું વ્રત ગ્રહણ કરીશ.” આ પ્રમાણેની રાણીની વાણીથી તે જ વખતે પ્રતિબોધ પામેલો રાજા રાણી સહિત દુસ્યજ કામભોગને તથા મોટા રાજ્યને તજીને નિર્ગથ થયો. આ પ્રમાણે ઉપર કહેલા છયે જીવો કહેલા ક્રમ પ્રમાણે પ્રતિબોઘ પામ્યા, અને સર્વ મોહનો ત્યાગ કર્યો. તેઓનાં ચિત્ત પૂર્વજન્મમાં કરેલા ઘર્મના અભ્યાસની ભાવનાથી ભાવિત થયેલાં હતાં; તેથી અલ્પ કાળમાં જ તેઓએ કેવળજ્ઞાન પામીને અજરામર પદને પ્રાપ્ત કર્યું. પૂર્વ ભવે અરિહંતના શાસનમાં તે છ જીવોનાં ચિત્ત ઘર્મથી વાસિત થયાં હતાં, તેથી તેઓને જલદીથી આત્મતત્ત્વની પ્રાપ્તિ થઈ. આવા પ્રાણીઓ સુલભબોઘી કહેવાય છે.” વ્યાખ્યાન ૩૪૮ પહેલા પ્રત્યેકબુદ્ધ કરકંડુ જે ચાર પ્રત્યેકબુદ્ધ એક સાથે જ સ્વર્ગમાંથી ચ્યવ્યા, સાથે જ દીક્ષા ગ્રહણ કરી, સાથે જ કેવળજ્ઞાન પામ્યા અને સાથે જ મોક્ષે ગયા, તેમનું સ્વરૂપ અહીં કહીએ છીએ तत्रादौ वृषभं वीक्ष्य, प्रतिबुद्धस्य धीनिधेः । करकंडुमहीजानेश्चरितं वच्मि तद्यथा ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy