SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૪૭] સુલભબોધિનું સ્વરૂપ ૨૨૧ જગત છેતરાયું છે અને દાનધર્મ નિરર્થક જણાય છે.’ અર્થાત્ દાનધર્મનું શાસ્ત્રમાં શ્રવણ કરીને તેમાં પ્રવર્તતા લોકો છેતરાયા છે એમ જણાય છે, પણ ખરી રીતે તેમ નથી, દાનાદિ ધર્મ જ સ્વર્ગને આપનાર છે. પુત્રથી સ્વર્ગ મળતું નથી. જુઓ– बहुपुत्रा दुली गोधा, ताम्रचूडस्तथैव च । तेषां च प्रथमं स्वर्गः, पश्चाल्लोको गमिष्यति ॥२॥ ભાવાર્થ-જો પુત્રથી જ સ્વર્ગની પ્રાપ્તિ થતી હોય તો ગરોળીને, ગોઘાને તથા કૂકડા વગેરેને ઘણા પુત્રો હોય છે; તેથી પ્રથમ તેઓ સ્વર્ગે જશે અને પછી બીજા લોકો જશે.” પરંતુ એ વાત અસત્ય છે. વળી તમે શ્રીવિલાસનું સુખ ભોગવવાનું કહ્યું, પણ તે ક્ષણભંગુર છે. તે વિષે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં પરમાત્માએ કહ્યું છે કે– खणमित्तसुखा बहुकालदुक्खा, पग्गामदुक्खा अनिगामसुखा । संसारमुक्खस्स विवक्खभूया, खाणी अणत्थाण उ कामभोगा ॥ १ ॥ ભાવાર્થ–‘સ્ત્રીના કામભોગનું સુખ એક ક્ષણ માત્રનું છે અને તેમાં ઘણા કાળનું દુઃખ રહેલું છે. વળી તેમાં દુ:ખ ઘણું છે અને સુખ સ્વલ્પ છે. સંસારથી મુક્ત થવાની ઇચ્છાવાળાને તે શત્રુભૂત છે તથા અનર્થની ખાણરૂપ છે.' વળી હે પિતા! નિરંતર સંસારનાં કાર્યો કર્યા કરીએ, તોપણ જિંદગી પર્યંત તેની સમાપ્તિ થતી નથી; માટે ધર્મમાં પ્રમાદ કરવો એ કેમ યોગ્ય કહેવાય? જે દિવસ ગયા તે ફરીને આવતા નથી. તેથી ધર્મ નહીં કરનારના દિવસો નિષ્ફળ જાય છે. વળી અધર્મનું મૂળ કારણ ગૃહસ્થાશ્રમ છે, માટે તેનો ત્યાગ કરવો તે જ કલ્યાણકારી છે.’’ આ પ્રમાણેનાં પુત્રોનાં વચનથી પ્રતિબોઘ પામીને ભૃગુ પુરોહિત બોલ્યો કે ‘“હે પુત્રો! તમે કહ્યું તે સત્ય છે, પરંતુ હાલમાં આપણે ગૃહસ્થાશ્રમમાં રહીને તમે અને અમે સર્વ સાથે દેશવિરતિ ગ્રહણ કરીએ; પછી યૌવનાવસ્થા વ્યતિક્રમશે ત્યારે વૃદ્ધાવસ્થામાં આપણે સર્વે ચારિત્ર ગ્રહણ કરીશું.’ પુત્રો બોલ્યા કે ‘‘હે પિતા! જેને મૃત્યુની સાથે મિત્રાઈ હોય, અથવા જે મૃત્યુના પંજામાંથી નાસી શકે તેમ હોય અથવા જે એમ જાણે કે હું મરવાનો નથી તેને તેમ કરવું યોગ્ય છે; પણ તેવું તો કાંઈ પણ નથી. તેથી તેવું ધારનારને મૂર્ખ જાણવો; કેમકે મૃત્યુને નહીં આવવાનો કોઈ પણ વખત નથી. તે તો તેને ગમે ત્યારે આવે છે, માટે આપણે આજે જ ધર્મને અંગીકાર કરીએ. વિષયાદિકનાં સુખ તો આપણે અનંતી વાર પામ્યા છીએ.' ઇત્યાદિ પુત્રોનાં વચન સાંભળીને વ્રતની ઇચ્છાવાળો થયેલો ભૃગુ પોતાની સ્ત્રીને ઘર્મમાં વિઘ્ર કરનાર જાણીને તેના પ્રત્યે બોલ્યો કે “હે વસિષ્ઠગોત્રમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી! આ પુત્રો વિના મારે ગૃહસ્થાશ્રમમાં રહેવું યોગ્ય નથી. જેમ શાખા વિનાના વૃક્ષ અને ભૃત્ય વિનાનો રાજા શોભતો નથી, તેમ હું પણ પુત્રરહિત શોભતો નથી; માટે હું તેમની સાથે દીક્ષા લેવા ઇચ્છું છું.’ તે સાંભળીને યશા બોલી કે “હે સ્વામી! આ પ્રત્યક્ષ મળેલા કામભોગો તજવા યોગ્ય નથી. દીક્ષા ગ્રહણ કરવી તે બીજા ભવમાં ભોગ મેળવવાની ઇચ્છાથી છે, તે ભોગ તો આ જન્મમાં જ પ્રાપ્ત થયા છે; તો પછી દીક્ષા શા માટે ગ્રહણ કરવી?’’ ત્યારે ભૃગુ બોલ્યો કે ‘હે પ્રિયા! હું અસંયમરૂપ જીવિતને માટે એટલે કે પરલોકના સુખને માટે દીક્ષા ગ્રહણ કરતો નથી, પણ સંયમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy