SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૪ ભાઈઓએ વટવૃક્ષ ઉપરથી નીચે ઊતરી મુનિઓને વંદન કર્યું, અને તેમની સ્તુતિ કરી. પછી પોતાને ઘેર આવી પિતાને કહ્યું કે असासयं दकृमिमं विहारं, बहु अंतरायं न हि दीहमाउं । तम्हा गिहंमि न रइं लभामो, आमंतयामो चरिसामुमोणं ॥१॥ ભાવાર્થ-“આ પ્રત્યક્ષ વિહાર એટલે મનુષ્યભવની સ્થિતિ અશાશ્વત એટલે અનિત્યક્ષણભંગુર જોઈને તથા તેમાં રોગાદિક ઘણાં વિધ્રો અને અલ્પ આયુષ્ય (ક્રોડ પૂર્વનું નહીં) જોઈને અમે ગૃહસ્થાશ્રમમાં કિંચિત્ પણ પ્રીતિ પામતા નથી, માટે અમે મૌનવ્રત એટલે ચારિત્ર ગ્રહણ કરવા તમારી રજા માગીએ છીએ.” તે સાંભળીને તેના પિતા બોલ્યા કે “હે પુત્રો! તમે વેદનું વચન જાણતા નથી. વેદમાં કહ્યું છે કે “નપત્યસ્થ ગતિતિ ’ પુત્રરહિત મનુષ્યની ગતિ નથી; તથા “પુત્રેણ ગાયતે :” પુત્રથી લોક ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે વેદમાં કહ્યું છે. વળી “ઉથ પુત્રસ્ય પુખ સ્વો મહીયતે.” પુત્રનો પણ પુત્ર હોય તો તેથી તે સ્વર્ગલોકમાં પૂજાય છે, એમ પણ કહ્યું છે. માટે તમે વેદનો અભ્યાસ કરીને, બ્રાહ્મણોને સંતોષ પમાડીને, પુત્રોને ઘેર મૂકીને તથા સ્ત્રીઓના વિલાસ ભોગવીને પછી દીક્ષા ગ્રહણ કરજો.” આ પ્રમાણે સાંભળીને બન્ને પુત્રો બોલ્યા કે “હે પિતા! વેદ ભણવાથી તે વેદ શરણ કે રક્ષણ કરી શકતા નથી; કેમકે તેને ભણવા માત્રથી તે કાંઈ દુર્ગતિમાં પડતાનું રક્ષણ કરી શકતા નથી. સ્મૃતિમાં કહ્યું છે કે अकारणमधीयानो, ब्राह्मणस्तु युधिष्ठिर! । दुःकुलनाप्यधीयन्ते, शीलं तु मम रोचते ॥१॥ ભાવાર્થ-“હે યુધિષ્ઠિર! “વેદ ભણ્યો માટે તે બ્રાહ્મણ છે,” એમ વેદાધ્યયન કાંઈ બ્રાહ્મણપણાનું કારણ નથી; કેમકે વેદ તો નીચ કુળવાળા પણ ભણે છે, પરંતુ હું તો શીલને જ પસંદ કરું છું; એટલે કે જે સદાચરણી છે તે જ બ્રાહ્મણ છે.” વળી शिल्पमध्ययनं नाम, व्रतं ब्राह्मणलक्षणम् । व्रत्तस्थं ब्राह्मणं प्राहुर्नेतरान् वेदजीवकान् ॥२॥ ભાવાર્થ-“ભણવું તે તો એક જાતની શિલ્પકળા છે પણ બ્રાહ્મણનું લક્ષણ તો સારાં આચરણ છે, માટે સદાચરણમાં રહેલા હોય તે જ બ્રાહ્મણ કહેવાય છે; બીજા વેદથી આજીવિકાના કરનારા તે કાંઈ બ્રાહ્મણ કહેવાતા નથી.” વળી હે પિતા! આપે વિપ્રોને સંતોષ પમાડવાનું જે કહ્યું તે તો નરકમાં નાંખવાનો જ હેતુ છે, કારણ કે તેઓ કુમાર્ગની પ્રરૂપણા કરે છે, અને પશુવઘાદિમાં પ્રવર્તે છે, તેમજ પુત્રાદિક પણ નરકમાં પડતા જીવોને શરણરૂપ થતા નથી. વેદ જાણનાર પણ કહે છે કે यदि पुत्राद्भवेत्स्वर्गो, दानधर्मो न विद्यते । मुषितस्तत्र लोकोऽयं, दानधर्मो निरर्थकः॥१॥ ભાવાર્થ-“જો કદાચ પુત્રથી સ્વર્ગ મળતું હોય અને દાનધર્મની જરૂર ન હોય, તો પછી સર્વ ૧ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪ મા અધ્યયનમાં આ ગાથા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy